SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રંથની મહત્તા. * કયારત્ન-મેષ : અપવાદ સેવે છે તે પણ તારું કથન બરાબર ઘટમાન નથી. આજકાલના મુનિઓને તેવા પ્રકારનો મજબૂત શરીરને બાંધે વગેરે નથી માટે અને અમુક પરિસ્થિતિમાં અપવાદો કરવાનું વિધાન સૂત્રમાં પણ કહેલું છે તેથી તેઓ અપવાદ સેવે એ દૂષણ નથી. શાસ્ત્રમાં કહેવું છે કે:-“મુનિએ સંયમનું રક્ષણ સર્વત્ર કરવું અને સંયમ કરતાં ય આત્માનું રક્ષણ પ્રથમ કરવું. આત્મા હયાત હશે તે હિંસાદિકની વા કામ ક્રોધને વાસનાથી છૂટી જવા માટે પ્રયત્ન થઈ શકશે, તે દ્વારા વિશુદ્ધિ મેળવી શકાશે અને પછી અવિરતિ ટળી જશે. ” એવું બીજું પણ શાશ્રવાકય છે. “ જીવતો હોઈશ તે પ્રવચનની પરંપરાને વિખેદ નહીં થવા દઉં અથવા અધ્યયન કરી શકીશ અથવા તપોધાનમાં ઉજમાળ થઈ શકીશ, ગણની વ્યવસ્થા કરી શકીશ, નીતિની-પ્રવચનની સારણું કરી શકીશ? એ પ્રકારે લક્ષ્ય રાખી અપવાદ સેવનાર મુનિ મુકિત પામે છે. તથા સર્વજ્ઞનાં વચને પ્રમાણે શીલાંગને પણ સંભવ સમજ. વળી નિરપવાદ ચારિત્રને જ સંભવ હેત તે શાસ્ત્રકારે એમ કેમ કહ્યું છે કે જ્યાં સુધી બકુશ અને કુશીલ શ્રમ હયાતી ધરાવે છે ત્યાં સુધી તીર્થ પણ વિદ્યમાન છે એમ સમજવું. અર્થાત અપવાદ સેવન એકાંતદષ્ટિએ દૂષણરૂપ નથી. જે સ્થળે કલ્પવૃક્ષ ન હોય ત્યાં લીંબડાઓને પણ વૃક્ષ ગણવામાં આવે છે તેમ જ્યાં ઉત્કૃષ્ટ રીતે સંયમ પાળનારા ન હોય ત્યાં કાલાનુસારે સંયમ પાળવા માટે તત્પર હોય અને તદનુસારે ક્રિયાકાંડમાં પણ તત્પર હોય તેઓને પેલા લીંબડાના દષ્ટાંત પ્રમાણે સંયમવાળા શ્રમણે સમજવા જોઈએ. હવે કોઈ એમ કહે કે અમુક પુરુષ મુનિ છે.” એવું જયાં સુધી સ્પષ્ટ પણે સારી રીતે ન જણાય ત્યાં સુધી તેની સાથે નમન વગેરેને વ્યવહાર કેમ કરી શકાય? આ વાત પણ બરાબર નથી. રાગદ્વેષવાળા છવાસ્થ માનવની બધી ચર્ચા વ્યવહાર નયને અનુસાર પ્રવર્તે છે એટલે તેના બહારના મુનિ વેષ, મુનિ વર્તન વગેરેના વ્યવહાર ઉપરથી આપણે તેને આપણી બુદ્ધિ પ્રમાણે મુનિ સમજી તેની સાથે નમન વગેરેને વ્યવહાર કરીએ તે તેમાં કશું ખોટું નથી એટલું જ નહીં પણ તે રીતે વ્યવહાર કરે તે પુરુષ શુદ્ધિને મેળવી શકે છે. શાસ્ત્રમાં કહેલ છે કે જિનમતને વીકાર કરતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંનેને ન છેડે અર્થાત્ બાહ્ય આચાર અને આંતરિક આચાર એ બંને ઉપર લક્ષય રાખે. વ્યવહાર નયને બાદા પ્રવૃત્તિ માત્રને ઉચ્છેદ કરશે તે તીર્થને જ નાશ થઈ જશે. વળી, શાસ્ત્રમાં કહ્યું છે કે –“જે વ્યવહાર ધર્માજિત છે. ક્ષમા માર્દવ આજે વરૂપ ધર્મ દ્વારા કમાયેલું છે અને જ્ઞાની પુરુષોએ સદા . છ ત વ્યવહાર પ્રમાણે આચરણ કરનાર મહાને પામતે નથી. ” તેથી દુષમ કાળને આ દેષ સમજીને જ્ઞાનમાં, દર્શનમાં કે ચારિત્રમાં જે આરાધક ભાવે વર્તતે હોય તેને વિશેષ ઉત્સાહિત કરો-સ્થિર કરે. વળી કહેવું છે કે-“નિર્થ સિવાય તીથ ને સંભવ નથી અને તીર્થ વિના નિર્ણને સંભવ નથી. જ્યાં સુધી છકાયને સંચમ છે ત્યાં સુધી તીર્થ અને નિર્બ એ બનેની હયાતી સમજવાની છે. તથા છામાં "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy