SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગુરૂતરવના વિષય ઉપર ગુણધરમુનિને એગ્ય જવાબ = : કયારન-કાય : ઘરબાર ધન સ્ત્રી વગેરે કશુંય નથી તેમને તો તે સંબંધી તૃચ્છાનો ત્યાગ કરવામાં કશું આકરું લાગતું નથી. તેઓ તે ન મળે નારી ત્યાં સુધી સહેજે બાવા બ્રહ્મચારી જેવા છે. તે તારું એ કથન પણ બરાબર નથી. તારી પિતાની જ પાસે દીન–અનાથ લેકેને જે વડે ઉદ્ધાર કરી શકાય છે એવું ધન મુદલ નથી છતાં તું એ ધન સંબંધી તૃષ્ણને ત્યાગ કરીને શ્રમણ કેમ થઈ જતે નથી? એ જ હકીકત સૂચવે છે કે વસ્તુ ન હોય છતાં તેની વાસનાનો ત્યાગ કરે સહેલું નથી. વળી, તે જે કહેલું કે “જે આચાર પાળ શકય છે તેને પણ આ સાધુઓ પાળતા નથી” તે પણ તારું કથન મિથ્યા છે. શું તેઓ આવશ્યક વગેરે જ નથી કરતા જેથી તું આ આક્ષેપ કરે છે? તું એમ કહેતા હોય કે “આજકાલના સાધુઓ વિગઈ ત્યાગ કરતા નથી, નિરંતર ઉસ માર્ગ પ્રમાણે વર્તતા નથી અને નવકથી વિહારની પ્રક્રિયાપણે વિહાર ન કરી એક જ ઠેકાણે પડ્યાપાથર્યા રહે છે” અર્થાત એ રીતે જે બધે શક્ય આચાર છે તે બધે તેઓ પાળતા નથી. તારું આ કથન પણ અસંગત છે. તું શી રીતે જાણે કે અમુક આચારનું પાલન શકય છે વા અશકય છે? હે ભદ્ર! સામર્થના અભાવને લીધે તથા કાળ વગેરે દોષને લીધે ઘણીવાર જે શકય હોય છે તે પણ અશક્ય બની જાય છે. લાભ હાનિ પરિણામની તુલનાને વિચાર કરતાં એ જે શક્ય આચાર પણ સામર્થ્યની અપેક્ષાએ વા સમયની અપેક્ષાએ અશક્ય બની ગયે દેખાતું હોય તે તે પ્રમાણે વર્તત ન થાય તે પણ દેષ સમજવાનો નથી. વળી, તે જે કહેવું છે કે “આ સાધુઓ પાસ0ા લોકોને સંગ છોડતા નથી. તેમની સાથે વંદનવ્યવહાર રાખે છે તે પણ તારું કથન મિથ્યા છે. આ બાબતમાં તે જે રીતે સિદ્ધાંતમાં કહેલું છે તે રીતે આ સાધુઓની પ્રવૃત્તિ છે. હવે તું એમ કહે કે “એસને પાસ” એ પ્રમાણે વારંવાર કહીને સિદ્ધાંતમાં તો પાસસ્થાઓની સાથે બોલ્યા વ્યવહાર પણ ન રાખ એમ કહેવું છે તો તેમની સાથે વંદન વ્યવહાર તો કેમ રાખી શકાય? તારી આ વાત ખરી છે, પરંતુ સૂત્રમાં એમ પણ કહેલ છે કે દીક્ષાપયોય, પર્ષદા અને પુરુષ વગેરેની પરિસ્થિતિની અપેક્ષાએ પરસ્પર બોલ્યા ચાલ્યાને અને નમસ્કાર વગેરેને વ્યવહાર કરવો એમ શા માટે કહેલું છે. પાસસ્થાઓ સાથે કઈ જાતને વ્યવહાર ન જ રાખવાને હોત તે સૂત્રમાં અમુક અપેક્ષાએ વ્યવહાર રાખવાનું ન કહેતાં તદ્દન નિષેધ જ કરી નાખે છે પરંતુ એમ ન કહેતાં “અમુક અપેક્ષાએ એમ જે કહેલું છે તેનું રહસ્ય છે મૂઢ ! તું જાણું શકેલ નથી. જે એ પાસસ્થાઓ, સર્વથા અગ્ય જ હોત તે અમુક અપેક્ષાએ તેમની સાથે પણ નમન વગેરેનો વ્યવહાર રાખવાનું જે ફરમાન કરેલ છે તેનું શું કારણ? આ રીતે શાસ્ત્રકારે સાપેક્ષ દષ્ટિએ વ્યવહાર રાખવા વિશે વિધિ-નિષેધ કરેલ છે માટે તે કઈ અપેક્ષાઓ પાસસ્થાઓ માટે પણ ઘટમાન છે. એ વ્યવહાર સંબંધે સાપેક્ષ રીતે જે વિધિ-નિષેધનું શાસ્ત્રીય અનુશાસન "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy