SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાન-કોશ : ગુરુ વગેરે સંબંધી ગુણધર રિએ કરેલ વર્ણન. ~ ~ જયારે આચાર્ય ગુણધર, ગુરુનું સ્વરૂપ સમજાવતા હતા તે વખતે એક વિદગ્ધઆસધર નામના શ્રાવક આ પ્રમાણે કહેવા લાગ્યો કે હે ભગવંત! જેવા વર્ણવ્યા છે એવા સાધુઓ જ વર્તમાન કાળમાં વિદ્યમાન નથી તે પછી એમને ગુરુ તરીકે શી રીતે માનવા વર્તમાન કાળમાં જે સાધુએ છે તેઓ પિંડવિશુદ્ધિને બરાબર સાચવતા નથી, જે આચાર અને વિધિ પ્રમાણે આચરણ કરી શકાય છે તે પ્રમાણે પણ વર્તતા નથી, જે લોકો પાસસ્થા છે એટલે હીન આચારવાળા છે તેમની સાથે સંબંધ, વર્તમાન કાળના સાધુએ છેડતા નથી, અથોત હીન આચારવાળા સાધુઓ સાથે આ વર્તમાન કાળના સાધુએ બાલવા ચાલવાને તથા નમનને વ્યવહાર ચાલુ રાખે છે. વળી જે હકીકત છે તેને થઇ રીતે પ્રરૂપતા–જણાવતા–નથી, પ્રમાણુ પ્રમાણેનાં એટલે જેટલાં રાખવાં જોઈએ તેટલાં જ ઉપકરણથી ચલવતા નથી–વધારે ઉપકરણે વસ્ત્ર પાત્ર વગેરે–રાખે છે, સાધારણ રગ વા વેદના થઈ આવતાં ગમે તેમ અપવાદને સેવે છે. એ પ્રમાણે વર્તમાન કાળના સાધુઓ અઢાર હજાર શીલાંગને બરાબર ધારણ કરતા નથી માટે તેમને પ્રમાણે કેમ કહેવાય? અને એવા પ્રમાણેને “ગુરુ” પણ શી રીતે માની શકાય? તથા “તેઓ વંદનીય છે એમ પણ કેમ કહી શકાય ? આ સાંભળીને ગુરુ ગુણુંધર બેલ્યા: હે ભદ્રક! “સાધુઓ નથી” એમ કહીને તું સાધુઓના અભાવને ન કહે. તારા કહેવા પ્રમાણે સાધુઓને અભાવ જ હોય તે પછી ધર્મને પણ અભાવ જ છે એમ તું ઇષ્ટ ગણતા જણાય છે. આજકાલ મિથ્યાત્વની પ્રચુરતાને લીધે હમણાં હમણાં દેવનું નામ પણ જણાતું નથી, એવા સમયમાં સમય પ્રમાણે વર્તનારા સુમુનિએ પણ ન હોય તો લેકેને ધર્મના માર્ગનું જ્ઞાન કેની પાસેથી મળશે? તે જે કહ્યું છે કે “આજકાલના સાધુઓ બરાબરપિંડવિશુદ્ધિને સાચવતા નથી તે તારું કથન બરાબર નથી. આજકાલ વર્તતા મુનિઓ પિતાની શક્તિ, સમય અને ક્ષેત્ર પ્રમાણે પિંડવિશુદ્ધિને સાચવીને પ્રવૃત્તિ કરે છે. કદાચ સાધુઓ પિંડવિશુદ્ધિ ન સાચવતા હોય છતાં તેમનામાં ખાવાપીવાના પદાર્થોમાં આસક્તિ નથી અને તેમના મનમાં શઠતા પણ નથી એટલે તેઓને દોષનો સંભવ નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-જે શુદ્ધ રીતે પિંડ પાત્ર વગેરેની ગવેષણ કરતો હોય છતાં આધાકર્મ આવી જતું હોય તે પણ તે શુદ્ધ છે, દોષપાત્ર નથી. તું એમ કહીશ કે આ સાધુઓમાં ચઢાપણું નથી એ શી રીતે જાણી શકાય? સાધુઓએ પિતાના ઘરબાર પરિવાર ધન સ્વજન વગેરેનો સર્વથા ત્યાગ કરેલ છે એટલે જ એ માલુમ પડે છે કે તેઓ ખાઉધરા ચટ્ટા નથી. તું એમ કહીશ કે જેમને ઘરબાર પરિવાર ધન વગેરે કશુંય નહોતું એવા પણ લેકો સાધુ થયેલ છે એટલે એવાઓ ખાઉધરા ચટ્ટા નથી એમ કેમ કહેવાય? તો જેમની પાસે ઘરબાર વગેરે નહેતું પરંતુ તેઓના મનમાં તે સંબંધે તૃષ્ણ તે હતી જ અને એ તૃષ્ણા ત્યાગ કરીને તેઓ સાધુ થયેલ છે એટલે એવી તૃષ્ણાને ત્યાગ કરનારા કે ખાઉધરા વા ચા હાવાને સંભવ નથી. વળી, તું એમ કહીશ કે જેમને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy