SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ : ક્યારત્ન–કોશ ધર્મ કોને કહે ? આપે એવા, નીતિમાં નિપુણ અને કુવલય-ભૂવલયને આનંદ ઉપજાવનાર એવો તેને હરિદત્ત નામે એક પુત્ર છે. રાજા નરવર્માને કૂર્મની પેઠે એ હરિદત્ત પુત્રની હયાતી પરમ સહાયતારૂપ હોવાથી એ વિશેષ પરિશુદ્ધ હતો અને તેથી જ તે ભારે એવા પણ રાજ્યભાર જેમ શેષનાગ ભૂભાઈને વહે છે તેમ વહેતો હતો. રાજાને મહિસાગર વગેરે અનેક મંત્રીઓ હતા. તે બધા સુકુળમાં જન્મેલા, વિનયવાળા, દક્ષ, ધીર, સ્વામિભક્ત અને શાસ્ત્રના–રાજનીતિશાસ્ત્રના તથા બીજા પણ અનેક શાસ્ત્રોના અર્થની સમજના પારગામી હતા. તે મહાત્મા રાજા એવા એ મંત્રીઓ ઉપર રાજયનો ભાર મૂકીને પંડિતાએ વખાણેલ એવા વિષયસુખને ઉચિત સમયે અનુભવતો સમય ગાળતા હતા. હવે કેઈએક દિવસે જ્યારે રાજા સભામાં સુખાસન ઉપર બેઠેલો હતો ત્યારે ત્યાં ધર્મકથા ચાલતી હતી અને રાજા તેને સાંભળતો હતો. એ સભામાં એક સભાજન બે -કે જે જે કાર્યો કવિરુદ્ધ છે તે બધાનો હંમેશને માટે ત્યાગ કરવાથી, દાક્ષિય ગુણને રાખ, વાથી અને દુખી જને ઉપર દયા કરવી તે ઉત્તમ ધર્મ છે. બીજે વળી એમ બેલ્યોકે ધર્મ શું છે? તેનું સ્વરૂપ કેવું છે? તેના ફળનો લાભ કોને મળે છે? શું “ધર્મ છે?' એ વગેરે વાત સાચી છે ? એ બધી માત્ર કલ્પના છે ? પછી ત્રીજે વળી એમ છે કે–પિતાપિતાની કુલપરંપરાથી જે પ્રવૃત્તિ ચાલી આવે છે અને જેનું પરિણામ પ્રત્યક્ષ છે એ જ ધર્મ છે, એ સિવાય બીજું કઈ ધર્મતત્ત્વ નથી. બીજાએ વળી એમ જણાવ્યું કે શાસ્ત્રમાં જે પ્રવૃત્તિ માટે વિધાન બતાવેલ છે અને જે પ્રવૃત્તિ માટે નિષેધ કહેલ છે તે જ ખરું ધર્મ તત્ત્વ છે; પરંતુ એ નરી પિતાની બુદ્ધિની કલ્પના માત્ર નથી. તે પછી બીજો વળી એમ બેલ્યો કે, શાસ્ત્રો તે ઘણું ય છે અને તે બધાનાં નિર્ણયે પણ જુદી જુદી જાતના એક બીજાથી ઊલટા છે, અનેક પ્રકારના છે, તેમાં અનેક મતભેદો છે એમાં “ ખરું ધર્મતત્વ કયાં છે ? ” એ કેણ સારી રીતે જાણી શકે ? એ પ્રમાણે ધર્મ સંબંધી અનેક વિચારો સાંભળીને રાજા સંદેહમાં પડી ગયો તેણે વિચાર્યું કે ધર્મ તે પરમ પુરુષાર્થ છે, તેને આ લેકેએ મોટા સંદેહના ત્રાજવામાં ચડાવીને ચકડોળે ચડાવ્યા છે. જેમ આકાશકુસુમને સંભવ નથી તેમ ધર્મનું નામનિશાન પણ ન હોય એમ બને નહીં. જે તરફ આબાલગોપાલની, સ્ત્રીએની અને ડાહ્યા લોકેની પણ પ્રવૃત્તિ થતી દેખાય છે એ ધર્મ ન જ હોય એમ કેમ મનાય ? સંસારમાં કેટલાક લોકો હાથીને હોદ્દે ચડીને રાજયલક્ષમી ભોગવે છે, કેટલાક લોકે યુદ્ધમાં ઘડેસ્વારને હરાવીને રાજ્યલક્ષમી ભગવે છે, વળી બીજા કેટલાક તેમની જ સામે તનતોડ મહેનત કરીને અને એથી પરસેવામાં રેબબ થઈને મહાકણે આજીવિકા ચલાવે છે, કેટલાક વળી સુંદર ભેજન અનાયાસે જ મેળવી શકે છે અને બીજાને પણ આપી શકે છે, વળી, બીજા કેટલાક ઘરે ઘરે ભમતા છતાં ય મહાકષ્ટ વાસી અને હલકે આહાર મેળવી પછી મહાદુઃખથી ઉદ્વેગ પામેલા એકલા જ "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy