SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - - - - -- -- - - -- * કથાનકેાષ . જય રાજવીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. ૨૫૪ લાંબું ચાલ્યું એથી એમ પણ કેમ ન હોય કે એ, એક આળપંપાળ જ હોય! બીજી રીતે પણ ફરીને રાજાને એ જ સ્વપ્ન દેખાડવામાં આવ્યું, એથી એને એમ થયું કે આ સ્વપ્ન આવવાનું જરૂર કોઈ કારણ હેવું જોઈએ.” એમ વિચારીને જે રીતે સ્વપ્ન આવેલું બરાબર તે જ રીતે સભામંદિરની ભીંતે ઉપર એ બધાં ચિત્રે કરાવ્યાં. વખત જતાં તે દેવ, રાજા વિજયસિંહની રાણી વિજયવતીના ગર્ભથી પુત્ર તરીકે ઉત્પન્ન થયે. ઉચિત સમય . જતાં તેને જન્મ થયે, વધામણું થયાં. તે પુત્રનું “ ” નામ પાડયું. મંદરગિરિની ગુફામાં જેમ વૃક્ષ વધે તેમ તે મોટે થવા લાગ્યો અને પુરુષની બહેતરે કળાઓ શીખી જઈ જુવાન થઈ ગયે. એક વાર રાજા વિજયસિંહને કઈ ખરાબ સ્વપ્ન આવ્યું તેથી પિતાનું મરણ હવે નજીકમાં આવેલું છે એમ સમજી તેણે ‘ય’ યુવરાજને પિતાની ગાદી ઉપર બેસાડી અને રાજા પિતે વનવાસે ગયે. હવે રાજા “જય ' રાજલક્ષમીને ભગવતે વિલાસથી રહેવા લાગ્યા. એક વખત રાજા “જય ” જ્યારે પિતાની સભામાં બેઠેલ હતું તે વખતે એકદમ કેલાહળ થયે. તે કેળાહળને લીધે ગભરાટમાં પડેલો લેકને આમથી તેમ અને તેમાંથી આમ દેડતા જોઈને રાજાએ પૂછયું: આ શું થયું ? લકે કહ્યું: દેવ! આ તમારા લંગેટીયા મિત્ર અને તમારે આશરે જીવનારા ધનપાલ, ધર્મધર અને ધરણિધર એ ત્રણે જણ સભાસ્થાનની ભતિ ઉપર આળેખેલાં ચિત્રને જોતાં જ કઈ કારણથી મૂરછ આવતાં બેભાન થઈ આંખો વીંચાતા “ધસ” દઈને જમીન ઉપર પડી ગયા છે. એ વાત સાંભળી વિસ્મય પામેલે રાજા તેમની પાસે ગયો. રાજાએ કુતૂહલથી એ ચિત્રોવાળી ભીને પેલેથી જોવા માંડી અને તેણે જોયું કે એ ચિત્રમાં રાજપુત્ર વગેરેની હકીક્તથી માંડી વિધ્યગિરિ તરફ પ્રયાણ સાથે ભીલની પલ્લી સુધીની બધી હકીકત-વાતે આલેખેલી છે અને એ જ રાજાને પોતાને પૂર્વજન્મને વૃત્તાંત છે તથા એ જ હકીકતને જોઈને રાજાના મનમાં ઈહા-અહિ થ “આ બધું મેં ક્યાંક જોયું છે અને એવું થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું–તેને પિતાને આગલા જન્મ યાદ આવી ગયો. આગલા ભવની વાત યાદ આવતાં જ રાજાને મૂછ આવી ગઈ અને તે જમીન ઉપર પડી ગયું. રાજાની એ સ્થિતિ જોઈ ગભરાટમાં પડેલા તેના સેવકે એ રાજાના શરીર ઉપર ઠંડે ઉપચાર કર્યો, પાણી છાંટયું, પવન નાંખ્યો વગેરે અડધા ક્ષણમાં તો રાજા અને તેના લંગોટીયા મિત્ર એ બધાની આંખે ખુલ્લી ગઈ અને જાણે ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ એ બધા જાગ્યા. રાજાના પ્રધાને તેને પૂછ્યું “દેવ! આ શું થયું?” રાજાએ પિતાના પૂર્વભવની બધી હકીકત કહેતાં પિતે આગલા ભવમાં “અભયદાન કરેલું એ વાત ખાસ મુખ્યપણે કહી સંભળાવી. મૂરછમાંથી જાગેલા બીજા “ધનપાલ વગેરે રાજાના આશ્રિતને પણ, તેમને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy