SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ દેવે રાજવીને આપેલ રખ. : કથારન–૧ : પિતાને ઘરે તેડી ગયા. તેને નવરા, ખૂબ આદરથી જમાડ અને ઉચિત સેવાચાકરી કરી તેનું ઉચિત સન્માન કર્યું. પછી ઠેઠ વિજ્યવર્ધનપુર સુધી આવી તેઓ શંખને સુખપૂર્વક મૂકી ગયા. છેવટે તેમની ક્ષમા માંગી પાછા પૂર્યા. શંખ પણ પિતાને ઘરે પહોંચે. તેના માતા પિતા વગેરે સ્વજનો તેને આ જાણી આનંદ પામ્યા. પૂર્વની બધી હકીકત પૂછી. શંખે પહેલેથી માંડીને પિતાના ઘરે પસતાં સુધીના બધા સમાચાર કહ્યાં. આ સમાચાર રાજા, સેનાપતિ અને પુરોહિતને પણ સંભળાવ્યા. તેમને ચિત્તમાં ઘણે સંતાપ થયે અને એ રીતે એઓ શોચનીય દશાને પામ્યા. આ તરફ પેલે શંખ ગૃહસ્વામી છે અને ધર્મ, અર્થ, કામ એમ ત્રણે વર્ગની સાધનાથી સારા થયેલા જીવિતના ફળને લાંબા કાળ સુધી ભેગવી મરણ પામ્યા. મરીને ભવનપતિ દેશમાં એક પોપમના આયુષ્યવાળે દેવ થયે. ત્યાં તેને પિતાને આગલે જન્મ યાદ આવ્યો અને એણે મનમાં જાયું કે આ દેવની સમૃદ્ધિ મળી છે તે અભયદાનરૂપ કલ્પવૃક્ષનું ફળ છે. દેવ જન્મ પૂરો થતાં છેક છેલ્લી ઘડીએ તે દેવે કેવળજ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! હવે પછી અહીંથી મારીને હું કયાં જન્મીશ? કેવળી ભગવાન બેલ્યાઃ વિજ્યપુર નામના નગરમાં વિજયસિંહ રાજાની રાણી વિજયવતી દેવીનો તું પુત્ર થઈશ. એ સાંભળીને તે મહાત્માએ એમ વિચાર્યું છે ત્યાં રાજાને ત્યાં મને “અભયદાન દેવું વગેરે સારી પ્રવૃત્તિઓનો બેધ મળે એમ અગાઉથી કાંઈક પ્રબંધ કરવો જોઈએ. આમ ધારીને તેણે પિતાના બંધ માટે જે પ્રબંધ કરવાનું હતું તે માટે રાજા વિસિંહને સ્વપ્નામાં કહ્યું: તમારા સભાભવનની ભીંત ઉપર કુશળ ચિત્રકારો દ્વારા આવી હકીક્તવાળાં ચિત્રો ચીતરાવેઃ રાજપુત્ર, સેનાપતિ પુત્ર, પુહિતપુત્ર અને શેઠનો પુત્ર એ ચારે જણા વિંધ્ય પર્વતમાં આવેલી ઘટ્ટ ઝાડીમાં રહેલા અને જ્યાં કોઈ જઈ શકતું નથી એવા યક્ષના મંદિરમાં ઊભા છે. એ મંદિરની પાસે આવેલા પેલા ભંયરાને ઉઘાડતાં પહેલાં પૂજાનું બહાનું બતાવી અને એ ચારે જણુની પાસે બેકડા મંગાવવાનું છળ કરી પેલા કાપાલિકે તેમાંનાં ત્રણેને મારી નાખ્યા, અને તેમાંનો એક શંખ નામે શેઠને પુત્ર છે તેણે એ કાપાલિકનું કહેવું ન માન્યું અર્થાત્ તે, ભેગ દેવા માટે બેકડાને ન લઈ ગયે અને તેથી જ કાપાલિકના ઘામાંથી તે બચી ગયે-ઈત્યાદિથી શરુ કરી પછી એ શંખ સુખે સુખે પિતાને ઘરે પહોંચ્યો.-આ બધી હકીક્ત આવે.” આવું આશ્ચર્યકારક સ્વપ્ન જોઈને જાગેલે રાજા વિસિંહ વિચારમાં પડે. આ શું? આવું તે મેં સાંભળ્યું નથી તેમ દિડું પણ નથી. આ તે મેં કદી નહીં અનુભવેલું અને મારી પ્રકૃતિના વિકારોથી જુદી જ જાતનું સ્વપ્ન જોયું છે, એમ મને લાગે છે. અથવા એ એટલું બધું વધારે લાંબુ "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy