SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ જ્ઞાનીની મહત્તા, : કારત્ન-મેષ : તથા ઉત્તેજક સામગ્રીઓ તેને પૂરી પાડવી એ પણ એક પ્રકારનું જ્ઞાનદાન છે. વળી, જે લેકે સારાં શાસ્ત્રોને ભણતાં ભણતાં ભાંગી પડયા હોય છે અર્થાત કંટાળી ગયા હોય છે તેમને સન્શાસ્ત્રના જ્ઞાનગુણ માટે તત્પરતા બતાવનારા જે જ્ઞાનરુચિ મહાનુભાવ હોય છે તેમની વારંવાર વિશેષ પ્રશંસા કરનારાઓ એ બન્ને પ્રકારના મહાનુભાવ પણ એક પ્રકારનું જ્ઞાનદાન જ કરે છે. હે ભલેઆ માટે શું વધારે કહેવાય ? પરંતુ જ્ઞાનદાન અને જ્ઞાનનું અદાન એટલે જ્ઞાનવિરોધી પ્રવૃત્તિ એ બન્નેનું ફળ મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે. તે જાણીને તમે તમને જે ઉચિત સમજાય તે પ્રવૃત્તિ કરવા લાગે. આ સાંભળીને લેકે એ કહ્યું. તે હે ભગવન્! આપ આપનું જ ચરિત્ર વર્ણવી બતાવે. પછી ધનદત્ત કેવળીએ જે ચરિત્ર જેમ પિતે નજરે દીઠેલું અને જેમ પિતે પ્રત્યક્ષ અનુભવેલું તેમ બધું કહી બતાવ્યું, માટે જે જ્ઞાનદાનને શાસ્ત્રોએ વખાણેલું છે, કુશલ પુરુષોએ ઉપદેશેલું છે અને જેનું ફળ પ્રત્યક્ષ સિદ્ધ છે એવું જ્ઞાનદાન હે લેકેતમે નિરંતર કર્યા કરે અને એવું જ શાનદાન, બધી સિદ્ધિઓ મેળવવાનું મહાસાધન છે. જે કે બીજા પણ એવી અનેક સવૃત્તિઓ છે જેનાથી આત્માની જડતા સર્વ પ્રકારે ટળી જાય છે તે પણ તે બધી પ્રવૃત્તિઓમાં જ્ઞાનદાન જ ભારે પ્રશંસનીય છે, કારણ કે શાસ્ત્રમાં તેની (જ્ઞાનદાનની) વિશેષ પ્રતિષ્ઠા છે અથવા જ્ઞાનદાનને સીધે સંબંધ સશાસ્ત્રો સાથે છે અને જ્ઞાનદાન જ એક એવું દાન છે કે જે આત્માને નિરંતર લાભ પહોંચાડ્યા જ કરે છે, માટે જ્ઞાનદાન જ શ્રેષ્ઠતમ છે. શ્રી જિનેશ્વર ભગવંત કેવળજ્ઞાની હેવા છતાં જે તેમનામાં ઉપદેશશક્તિ ન હોય તો તેઓ લેકેને તૃષ્ણારહિત થવાની પ્રેરણસૂચના કરી શકતા નથી અર્થાત જ્ઞાન હોય તે જ ઉપદેશ દેવાની આવડત આવે છે તેથી જ્ઞાનદાન એવું ઉ ત્તમ છે કે તેની સરખામણી કોની સાથે થઈ શકે? માણસ કદ્રુપ પણ હોય, બેલતાં પણ બરાબર ન આવડતું હોય, કાંતિ વગરને પણ હોય, દરિયાપેટો પણું ન હોય અથત મનમાં કાંઈ ન સંઘરી શકે એ બડબડિયે પણ હય, રેગી પણ હેય અને અપલક્ષણવાળે પણ હોય છતાં જે તે જ્ઞાની હોય તે તેની તરફ લેકે “ગુરુ” સમજીને નમ્રપણે માથું નમાવે છે, એ બધે માત્ર જ્ઞાનના એક જ છાંટાના દાનને ચમત્કાર છે એમ મેટા મોટા મહાનુભાવોએ કહેલું છે. આ પ્રકારે એ ધનદત્ત કેવળી મુનિએ પિતાના પૂર્વભવને વૃત્તાંત વર્ણવી બતાવ્યું અને તે દ્વારા જ્ઞાનના દાનનો મહિમા સ્પષ્ટપણે સમજાવી લેકેને જ્ઞાનદાન માટે વિશેષ પ્રેરણા કરી અને દેશના પૂરી કરી પછી દેવ અને મનુષ્યમાં પૂજાને પામેલા એ મુનીંદ્ર પોતે ગામગામાંતરે વિહરવા લાગ્યા. એ રીતે શ્રી કથારન કેશમાં જ્ઞાનદાનના વિચારના પ્રકરણમાં એ સંબંધે ધનદત્તની કથા પૂરી થઈ. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy