SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જા ધનશમેં કરેલ જ્ઞાન તથા જ્ઞાનીને આદર. : કથારત્ન-કોષ : ધૃણા કરેલી અને તેમ કરી તેણે જ્ઞાન પાર્જનમાં જ ભારે વિન્ન કરેલું, એથી જ કરીને આ છેકરે આ જન્મમાં પત્થર જે જડ થયેલો છે. આ વાત સાંભળીને ધનશર્મ નામના એ છેકરાને જાતિસમરણ જ્ઞાન થયું એટલે તેને પિતાને પૂર્વજન્મ સાંભર્યો. પછી તે સાધુને પગે પડ્યો અને કહેવા લાગેઃ “હે ભગવન્! તમે જે મારે માટે કહ્યું છે તે બરાબર છે અને હવે હું મારા એ દુષ્કર્મથી ભારે ભયભીત થયે છું. આ જ્ઞાનાન્તરાયના-જ્ઞાનમાં વિન્ન કરવાના–પાપના ખાડામાંથી હું શી રીતે બહાર નીકળું? મને તમે તે વિશેને ઉપાય બતાવે.” એ તપસ્વી બોલ્યા -હે સોમ્ય ! સાંભળ, તારે એ માટે જે કાંઈ કરવાનું છે તે આ પ્રમાણે છે. જે કઈ પ્રકારના દેષને લીધે સારા ભાવને વિવંસ થાય તે દેવને ટાળવા માટે એ દૃષથી ઉલટી પ્રવૃત્તિ શરુ કરવી એ જ એક એ દોષનું પ્રાયશ્ચિત છે, અર્થાત્ કઈ પણ દેષ ટાળવાને અસાધારણ ઉપાય એ છે કે–એ દેષથી વિરુદ્ધ દિશામાં સન્માનપણે બળપૂર્વક પ્રયત્ન કર-એ વાત જ્ઞાનીઓએ કહેલી છે. તે તે જે વિદ્યાના દાનને વિચ્છેદ કરેલ અને તેને લીધે તને જે આ જ્ઞાનાંતરાય થયેલ છે તેના વિનાશને ઉપાય વિદ્યાનું દાન છે અર્થાત તું વિદ્યાના દાન માટેના બને તેટલા પ્રબળ પ્રયત્ન કરે અને વિદ્યા તરફ વિશેષ અભિરુચિ રાખ એટલે આપે આપ તારે આ જ્ઞાનતરાય દેષ ઝરી જશે. વળી, તું પિતે વિશેષ જડતાવાળે છે એથી સાક્ષાત્ તારી જાતે જ્ઞાનનું દાન બની શકે એમ નથી તે પણ તું જ્ઞાનનું અને જ્ઞાનીઓનું બહુમાન કરવા મંડી જા અને જ્ઞાન તરફ તથા જ્ઞાનીઓ તરફ અભિરુચિ તથા આદરભાવવાળી દષ્ટિને વિશેષ કેળવ એટલે તારે દોષ આપોઆપ ઘટવા માંડશે. જે લેકે વિદ્યાભ્યાસ કરતા હોય તેમને સારાં પુસ્તક અને સારી પિથી પૂરી પાડી જ્ઞાનપ્રાપ્તિમાં સહાયતા કરવી તેમજ એવા જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાઓને અષધ, વસ્ત્ર, અન્ન, નિવાસસ્થાન વગેરે આપીને સહાય કરવી એ બધું, જ્ઞાનને વધારનારું દાન છે. આ વાત સાંભળીને એ “ધનશમ” મહાત્માને પિતાના પૂર્વભવમાં પોતે કરેલી જ્ઞાનવિઘાતની પ્રવૃત્તિને ભારે પશ્ચાત્તાપ થયે અને હવેથી તે જ્ઞાન અને જ્ઞાનીઓ તરફ વિશેષ આદર રાખવા લાગે તથા જેમ જ્ઞાનને પ્રચાર થાય અને જ્ઞાનીઓને વિશેષ આદર થાય તેવી પ્રબળ પ્રવૃત્તિ તરફ પિતાના બધા પ્રયને કરવા લાગ્યા. ત્યારપછી એ ધનશર્મ' મનુષ્યને ભવ પૂરો કરી અને સીધર્મ નામના વર્ગમાં દેવપણાનું સુખ અનુભવી વળી પાછે મનુષ્યના જન્મમાં સુકુલમાં અવતાર પામ્યા, અને ત્યાં તેનું નામ “ધનદત્ત' પડ્યું. ધનદત્તના અવતારમાં પણ તેને સારી રીતે ભણતાં છતાંય "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy