SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - : કારત્ન-કોષ : શ્રી વિજયસૂરિને ધર્મોપદેશ. દેવના અવતારમાં અવતર્યો છું અને હમણાં હું તને ધર્મસાધનામાં સ્થિર કરવા માટે અને એક બીજી ખાસ વાત તને જણાવવા માટે તારી પાસે આવ્યો છું. શ્રીગુપ્ત બેઃ ઠીક કર્યું, હવે કૃપા કરીને જે બીજી ખાસ વાત મને કહેવાની છે તે તમે કહી નાખે. દેવ બેઃ આજથી બરાબર સાતમે દિવસે તું આ માનવલોક છેડી જવાનો છે અર્થાત્ તારું મરણ થવાનું છે, તે તું હવે વિશેષ સારી રીતે ધર્મની આરાધનામાં પુરુષાર્થ કરજે. દેવનું એ કથન સાંભળીને શ્રીગુતે તેને વિશેષ અભિનંદન આપ્યાં અને પછી એ દેવ પિતાને સ્થાને પાછો ફર્યો. દેવની વાત સાંભળ્યા પછી તુરત જ શ્રીગુ શ્રી જિનમંદિરોમાં વિશેષ પૂજાપ્રભા વના કરવા લાગ્ય, સકળ સંઘની પૂજા કરી અને જીવમાત્રને ખમાવ્યા અથર્ પિતાના અપરાધ બદલ જીવમાત્ર પાસે તેણે ક્ષમા માગી અને પછી દિવ્ય જ્ઞાનવાળા વિજયસૂરિ નામના મુનિરાજ પાસે તેણે સંથારે સ્વીકારી અણસણ માંડ્યું. સંથારામાં પાંચ પરમેષ્ટીના નમસ્કારરૂપ નવકાર મંત્રને જ અક્ષુબ્ધભાવે યાદ કરતાં તે કાળધર્મ પામી સ્વર્ગે સીધાવ્યું. આ પ્રસંગે નગરીવાસી લોકોએ તે આચાર્યને પૂછ્યું: હે ભગવંત! શ્રીગુસ અત્યંત દુષ્ટ અને કર આચારવાળો હતો છતાંય તે, આ જાતના વિશુદ્ધ વિવેકને શી રીતે પામે ? અર્થાત્ પાછળથી તે કેવી રીતે સુધરી ગયે? એ વિજયસૂરિ આચાર્ય બોલ્યાઃ શાસ્ત્રોને સાંભળી સાંભળીને એવા દુખ શ્રીગુસમાં પણ પવિત્ર સદાચાર તથા બીજા અનેક સગુણે આવી ગયા અર્થત શાસ્ત્રના શ્રવણ, મનન અને ચિંતનથી અનેક સદ્ગુણેને મેળવી શકે છે માટે તમે બધા પણ હે નગરવાસી લકે! શાસ્ત્રના શ્રવણ માટે વિશેષ ઉદ્યમ કરજે. વળી, “આ સત છે, આ અસત્ છે.” એ વિવેક કરીને જાણે ત્યારે જ માણસના મનમાંથી સઘળી શંકાઓ ટળી જાય છે અને વિશેષ વિવેકને ગુણ પ્રાપ્ત થાય છે. એમ થવાથી જ સાધક, અશુભ તત્ત્વ કે વિચારને છેડી શકે છે. માણસમાં શાસ્ત્ર સાંભળવાની તીવ્ર વૃત્તિ હેય- શુશ્રુષા હોય–તે જ તે વિવેકના શુદ્ધ ભાવને પામી શકે છે. માટે મુમુક્ષુ સાધકોએ લેશ પણ ખેદ રાખ્યા વિના-થાક વગર-કંટાળા વગર શાસ્ત્રશ્રવણ માટે વિશેષ પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રાણીઓ પિતે તે જ્ઞાન–સમજ વગરના છે. વળી, આ કળિકાળના પ્રભાવને લીધે કેઈ અતીન્દ્રિય જ્ઞાની પણ નથી સાંપડતો. સંસારમાં સૂર્યની જેવા પ્રખર પ્રભાવવાળા આ શ્રી જિનભગવાનને ધર્મ ન હોત તો આ અજ્ઞાન માણસ કોણ જાણે કેવાં કેવાં કષ્ટો ન પામત? શ્રીજિનભગવાને ઉપદેશેલાં શાસ્ત્રો શિવ-નિવણ માર્ગ સુધી પહોંચવા માટે રથ જેવાં છે. એ શાઓ જ, દુર્વાદીઓના મોઢાં બંધ કરી શકે છે, મુમુક્ષુઓને સારુ એ શાસ્ત્રો, "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy