SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ શ્રેણીએ રાજાને જણાવેલ શ્રીગુપ્તનું સ્વછંદાચારીપણું. કથાન-કેષ : કેમ જાણે તમે અમારા તરફ પક્ષપાત ન રાખતા હો એવા કેમ દેખાઓ છે ? અને એવું હોવાથી જાણે તમે આજ ઘણુ વખતે મળવા આવ્યા છે કેમ? શું અમારી એવી કોઈ અનુચિત પ્રવૃત્તિને લીધે અથવા અહીં તમારું યોગ્ય સન્માન નહીં થાય એવી સંભાવનાને લીધે તમે અમારી પાસે નથી આવતા? તમારું અહીં ન આવવાનું ખરું કારણ કળી શકાતું નથી. એટલે માથે પિતાના બન્ને હાથ લગાડીને નમ્રતાપૂર્વક તે શેઠ બેલ્યા કે-હે દેવ ! આવી બેટી વિકલ્પના ન કરે! સ્વમમાં પણ તમે કદી અનુચિત પ્રવૃત્તિ કરે તેવા નથી, આપ એવા દેવાદો તરફથી કેઈપણ માનવ, કઈ પ્રકારની અનુચિત પ્રવૃત્તિની સંભાવના કરે ખરો? ખરી વાત તો એ છે કે ઘર-સંસારનાં બીજા બીજા અનેક કાર્યોને લીધે હમણું હું ઘણે વ્યાકુળ રહું છું અને તેથી જ નિરન્તર આપના દર્શન કરવાની મારી ઉત્સુકતા હોવા છતાંય આપની પાસે આવી શકાતું નથી. અર્થાત અમારી જેવા લોકેએ પૂર્વે કઈ એવાં દુષ્કર્મો કરેલાં છે, જેને લીધે આપની પાસે આવી શકાતું નથી એટલે આપની પાસે નહીં આવવાનું કારણ અમારા પાપ સિવાય બીજું કશું જ નથી. રાજા બે થયું, હવે તમે આજ મારી પાસે શા માટે આવ્યા છે? તે વાત કરો. સાર્થવાહ-શેઠ બે-હે દેવએ કારણ, કહી શકાતું પણ નથી, સહી શકાતું પણ નથી અને છાનું પણ રાખી શકાય તેમ નથી. જે દુઃખ બીજા દ્વારા નીપજેલું હોય તે તે ગમે તેની પાસે સારી રીતે કહી શકાય, પરંતુ જે આફત પોતાની જાતમાંથી જ પેદા થયેલી હોય–જે આફત પોતે જાતે કરી હોય તેને કહેતાં ભારે કષ્ટ થાય છે. એમ છતાં ય ગમે તેવું કઠણમાં કઠણ દુઃખ પણ આપને–સ્વામીને જણાવ્યા સિવાય ચાલે તેમ નથી, તેથી મારું દુઃખ પણ આપને જણાવીને હું દુઃખરહિત થઈશ. હું સમજું છું કે-દુઃખ ટાળવા માટે આપના સિવાય બીજે કોણ સમર્થ છે? શેઠને અભિપ્રાય કઈ પ્રકારની ખાનગી વાત કરવાનું છે એમ સમજીને રાજાએ પિતાની પાસે બેઠેલા બીજાઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું અને બરાબર એકાંત સ્થાન રહે એવી તજવીજ કરી રાજા બેઃ હે ભદ્ર! તું મારા ઉપર બરાબર વિશ્વાસ રાખી તારા દુઃખની વાત કહે શેઠ બે હે રાજા! મારા દુઃખની કહાણી સાંભળે. અમારું કુળ ચંદ્રમા જેવું ધવળ છે પણ તેમાં કલંક સમાન, અનેક અનર્થોથી ભરેલ એ મારે એકને એક પુત્ર શ્રીગુપ્ત છે. મારે એ એક જ પુત્ર છે. તેથી એ મારે લાડકે અને એમ જ છે માટે જ તેને હું અનેક પ્રકારનાં દુર્વ્યસનમાં પડેલ જોઉં છુંજાણું છું છતાં રોકી શકો નથીઃ તે દુર્લલિત-ગોષ્ઠીઓમાં રખડ્યા કરે છે, એ જ ગોષ્ઠીઓ તરફ હમેશા તેનું ચિત્ત ખેંચાયા કરતું હોવાથી તે જુગાર રમે છે, વેશ્યાઓનાં ઘરમાં પ રહે છે, અનેક નટે, ચેટ તથા અનેક સ્વચ્છંદી ખુશામતીયા લેકેને તે પિષે છે. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy