SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ = થારન-કેપ ઃ યુગધર રાજકુમારને જાતિસ્મરણઝાન અને દીક્ષા-ગ્રહણ છે. પણ “દે અહીં શા માટે આવ્યા છે એમ વિચારીને એ બાબત નક્કી કરવા માટે તે ત્યાંથી પણ આગળ વધે. ત્યાં આગળ જતાં તેણે “કાળધર્મ પામેલા એક સાધુનાં પૂજા-સન્માન સુરો અને અસુરે આદરપૂર્વક કરી રહ્યાં છે તથા તેવી તેની સ્તુતિ પણ કરી રહ્યા છે. એ દેખાવ જે. “આ શું છે ?” એવું જાણવા માટે તેણે ત્યાં એક દેવને પ્રશ્ન પૂછઃ દેવે તે જમીન ઉપર સંચરતા જ નથી છતાં આ મહાનુભાવ દે અહીં જમીન ઉપર સંચરતા દેખાય છે, એનું શું કારણ? દેવ બોલ્યોઃ હે રાજપુત્ર ! અહીં આ તપસ્વી મુનિએ રાત્રે પ્રતિમાને સ્વીકારી અને શુકલધ્યાન ધ્યાતાં એ મુનિના બધાં ઘાતી કર્મો નાશ પામી ગયાં અને એ જ વખતે તેના બાકીનાં અઘાતી કર્મો પણ નાશ પામતાં તે મુનિએ દેહત્યાગ કર્યો-નિવણ મેળવ્યું. એનો મહિમા કરવા માટે આ સુરે અને અસુરનાં ટેળાં અહીં આવેલાં છે. આવી જ હકીકત મેં કયાંય પહેલાં પણ સાંભળેલી છે અને જોયેલી છે” આ પ્રમાણે વિચારમાન થતાં તે રાજકુમારને ત્યાં જ જાતિ સ્મરણશાન થયું એટલે તેને પિતાનાં પૂર્વ ભ સાંભરી આવ્યા અને પિતે પૂર્વભવમાં જે પ્રવજ્યા લીધી હતી તે અને તેને અંગે જે જે અનુષાને કર્યા હતાં તે બધું તેને સાંભરી આવ્યું. તથા પૂર્વભવમાં જે જે પૂર્વ વગેરે સૂત્રોનું અધ્યયન કરવામાં આવેલું તે બધું જાણે તાજું જ કંઠે કર્યું-ભણવેલું હોય તેમ સાંભરી આવ્યું. સાધુઓની જે ચકવાલસામાચારી આચરી હતી તે પણ યાદ આવી ગઈ અને આ રીતે તે રાજકુમાર સ્વયં બુદ્ધ થઈ, સર્વ સંગેને પરિત્યાગ કરી સ્વયં બુદ્ધ એ સાધુ થયો અને સાધુધર્મની વિશુદ્ધ રીતે આરાધના કરતાં તેને આત્મા વિશેષ વિશુદ્ધ થતાં તેને અવધિજ્ઞાન પણ થઈ ગયું. આ રીતે તે અવધિજ્ઞાનવાળો યુગંધર શ્રમણ દિવ્ય જ્ઞાનદૃષ્ટિવાળો થયે અને જ્યાં કોઈ પણ પ્રાણેને લેશ પણ કલેશ ન થાય એવી જગ્યામાં એક શિલા ઉપર આસન જમાવી સૂત્રપાઠનું પરાવર્તન કરવા લાગ્યો. હવે આ તરફ જ્યાંથી તે રાજકુમાર પથારી છોડીને નીકળી આવ્યો છે, ત્યાં શી શી હકીકત બની તે વિશે ગ્રંથકાર જણાવે છે. સવારના ઊગતા પહેારે શિયાળાની ઠંડી હવા ચાલતાં એની શીતતાથી પીડા પામેલા એવા શય્યાપાલક પથારીમાંથી જાગી ગયા અને તેમણે યુગંધર રાજકુમારને પથારીમાં ન દીઠે. એથી કરીને ખેદ અને ભય પામેલા તે શય્યાપાલકએ ચારે તરફ રાજકુમારને શો પણ જ્યારે તેને મુદ્દલ પત્ત જ નહીં લાગે ત્યારે તે શય્યાપાલકેએ, મંત્રીઓને, અંતઃપુરની સ્ત્રીઓને અને રાજા વગેરેને રાજકુમાર ગુમ થયાની હકીકત જણાવી. એવામાં તે રાજકુમાર જ્યાં "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy