SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - * કથા ––ષ : ગંધર યોગીને મેળાપ અને મૃતકસાધક મંત્ર. કરું તે પણ મારું વાંછિત ધન મેળવી શકું તેમ નથી, માટે હવે તે એ દુર્ભાગ્યને દર કરવા સારુ પ્રબળ પ્રયત્ન કરે જરૂરી છે. આમ વિચાર કરીને તે, પિતાની પેઢી દરપેઢીથી ચાલ્યા આવતા અને વા માર્ગમાં નિપુણ એવા જેગધર ગુરુ પાસે ગયા. તેમને પગે પડીને સામે જમીન ઉપર બેઠે. ગુરુએ તેમને પૂછ્યું–હે બા ! કેમ તારા મુખની કાંતિ ઊડી ગઈ છે અને એટલે બે સુધી તારે મારી પાસે શા માટે આવવું પડયું ? પાલક –હે ભગવાન ! મારી કાંતિ ઊડી જવાનું દારિદ્ર-ગરીબાઈ સિવાય બીજું કશું કારણ નથી. બીજા પણ અનેક દેનું કારણ એ ગરીબાઈ છે, જેમકે – જે માનવ અર્થ-ધન વગરને છે તેની બુદ્ધિ ગળી જાય છે-નાશ પામે છે, તેને જશ અપજશ થાય છે. સ્વજને પણ તેવા રાંક માણસને આદર કરતા નથી. રાંકના શરીરમાં આળસ વર્યા કરે છે અને મનમાં ઉદ્વેગ જ રહ્યા કરે છે. ઉત્સાહ બધે ઓસરી જાય છે. અને આખા શરીરે બળતરા જ વળ્યા કરે છે, અથવા જે માણસ, ધન વગરને છે તેને શું શું દુખ નથી થતું? બધું જ દુઃખ થયા કરે છે. આ સાંભળીને ગંધર ગુરુ બે બચ્ચા ! એ વાત તે તારી સાચી છે. પાલક બેલ્યોઃ હે ભગવાન! એ પરિસ્થિતિને દૂર કરવાના ઉપાયને મેળવવા માટે જ હું તમારા ચરણની છાયાને આશરે આવ્યો છું. ગુરુ ગંધર બેલ્યોઃ જે ઉપાય તું શોધવા આવ્યું છે તે ઉપાય ગુરુની કૃપાથી મારા જાણવામાં તે છે, પરંતુ જેનામાં મહાશક્તિ-મોટું પરાક્રમ હોય તે જ માનવ એ ઉપાયને મેળવી શકે તેમ છે. પાલક બે -તમે મારા ઉપર તેવા પ્રકારનો પ્રસાદ કરે જેથી હું તમારી સેવા માટે બરાબર સમર્થ અને મહાપરાક્રમી બની જાઉં. ગંધર બેલ્ય: હે પુત્ર! અમારા ગુરુઓએ અમને મૃતકસાધક મંત્ર-જે મંત્રને સાધવા માટે મુડદાની સાધનરૂપે જરૂર પડે તે મંત્ર-આપેલ છે. તારું મનોબળ બરાબર ચોક્કસ હોય-મન ચલાયમાન વા ભયભીત થાય તેવું ન હોય તે જ તું આવતી કાળી ચૌદશને દિવસે બરાબર તૈયાર થઈને મારી પાસે આવજે. પાલક બોલ્ય: હે ભગવાન! એમ કરીશ અર્થાત્ તમે કહ્યા પ્રમાણે મનને દઢ કરીને બરાબર તૈયાર થઈને આપની પાસે બરાબર કાળી ચૌદશને દિવસે આવીશ. પછી તે ઘડીએ ઘડીએ વારંવાર દિવસ ગણતાં ગણતાં માંડ માંડ કાળી ચૌદશ આવી, અને સાથે સેંકડો મનોરથ લેતી આવી. હું ગુરુ પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું: કહો, હવે શું કરવાનું છે? ગુરુએ બધું બરાબર સમજાવીને કહ્યું. પછી હું ગુરુએ જણાવેલા ઉપકરણ અને. વિધિવિધાનની સામગ્રી સહિત ગુરુની સાથે મસાણમાં પહોંચ્યો. ત્યાં ગુરુએ એક મંડળ-કુંડાળું આલેખ્યું–દેવું. પહેલાં દીઠેલું, શરીર બગડ્યા વગરનું અને મોટા ઝાડની ડાળ ઉપર લટકતું એક મુડડું લઈ આવ્યું. મુડદાને નવરાવ્યું અને તેના ઉપર ચંદનનું વિલેપન કર્યું. પછી તેને હાથમાં ધારદાર તરવાર પકડાવીને, પેલા કુંડલામાં સુવરાવ્યું. ગુરુને મને આદેશ કર્યો-હે બચ્ચા ! આ મુડદાનાં તળીયાં તલાસવા માંડ-ઘસવા "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy