SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ * કયારના : કેવળી મુનિને ધર્મોપદેશ. ૧૭૨ છે અને તેથી જ તે છ દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એવી ચાર ગતિવાળી આ સંસારઅટવીમાં-વધારેમાં વધારે દેશન-થોડું ઓછું અર્ધપગલપરિવર્ત જેટલું આથડ્યા કરે છે. (સંસારમાં લોકમાં જેટલાં પુદ્ગલપરમાણુઓ છે તે પરમાણુંઓમાંથી એક પણ અણુને ઉપગ બાકી ન રહે તે રીતે તે બધાને ઉપગ જીવ જેટલાં–વખતમાં કરી શકે તે વખતનું નામ પુદ્ગલ પરિવર્તે છે.) ત્યાર પછી સંસારમાં આથડતે જીવ નવી નવી સેંકડો નિઓમાં અવતાર ધારણ કરતે ભારે ભયાનક પાર વિનાનાં દુસહ દુઃખને કેમે કરીને ભગવતો ભેગવતો ભારે પાપને ક્ષપશમ થતાં તેને માનવને અવતાર લાભે છે. માનવને અવતાર પામ્યા પછી પણ હીન જાતિઓમાં, મલિન કુલેમાં અને અનાર્યભૂમિમાં જન્મેલે હોય તે જીવ, સદુધર્મની સંગતિ પામી શકતો નથી અને તેથી તેનાથી કશું સુકૃત્ય બની શકતું નથી એટલે એમ ને એમ ભારે ગરીબીમાં સપડાએલે, ભયાનક રોગથી ઘેરાએલે વા એવી બીજી કઈ આપત્તિથી ચગદાએ તે જીવ, પિતાને માનવ જન્મ વૃથા હારી જાય છેગુમાવે છે. કેઈ પ્રકારે જીવને કુશળનો યોગ થયે, આરોગ્ય મળ્યું, જ્યાં સુકૃત્ય કરી શકાય એવા ખામી વિનાનાં જાતિ, કુળ અને જન્મભૂમિ પણ મળ્યા છતાં જીવ ઘણું રૂઢ એવા પ્રમાદના સંસ્કારને લીધે આત્મશોધન તરફ વા જેનાથી માનવજન્મ સફલા કરી શકાય એવાં સત્કાર્યો તરફ સાવ બેદરકાર રહે છે. સુખસંબંધની વિવેકશકિત ગુમાવી બેસે છે અને ખરા સુખ વિષેને વિવેક બતાવનારા સંયમપરાયણ ગુરુજનોએ બતાવેલું પણ દેવ, ગુરુ અને ધર્મનું સાચું સ્વરૂપ જાણવાને વારંવાર ઊજમાળ જ તે નથી. કદાચ જીવ, ગુરુજને પાસેથી તત્ત્વોનું ખરું સ્વરૂપ જાણે તે પણ સંયમના બાધકે ગાઢ આવરણને લીધે એ જાણેલા તને અનુસાર તે, પિતાનું આચરણ સારી રીતે કરી શકતો નથી. તાત્પર્ય એ છે કે-જીવને તેનાં વધારેમાં વધારે શુભ પુણ્યનો ઉદય થયે હોય ત્યારે જ ધર્મની સામગ્રીને વેગ મળે છે. અને એ મેળવેલ યોગ જ પ્રેક્ષાવંત જનેને શિવશ્રીનું ફળ આપે છે, માટે ધર્મના પ્રશંસક ગુરુજને, ધર્મ સામગ્રીને વેગ સિવાય બીજા કોઈ પદાર્થ વખાણુતા નથી. એવો ધર્મસામગ્રીને સુંદર લેગ મળ્યા પછી બીજું કશું મેળવવાનું બાકી રહેતું નથી. જેમની બુદ્ધિ પરિપકવ છે એવા સુજ્ઞ લેકે તો ધર્મ સામગ્રી સિવાય બીજું કશું ય ચાહતા નથી, કારણ કે ધર્મની સામગ્રી મેળવ્યા વિના શિવસુખને લાભ મળી શકતો જ નથી, માટે આ વિશે અહીં બહુ કહેવાની જરૂર નથી. વાત એમ છે કે જે તમને સુગતિનું સુખ ગમતું હોય અને દુર્ગતિનું દુઃખ સહી શકાય એવું ન જણાતું હોય તે પ્રમાદને કેરે કરીને, મિથ્થાબુદ્ધિને ઉરછેદ કરી નાખીને શ્રી જિન ભગવાને પ્રરૂપેલા તત્ત્વવિચારને પામવા માટે અને તદનુસાર આચરણ આચરવા સારુ નિરંતર પ્રયત્ન કરે. પ્રયત્ન કરો એટલે ગુણવાળા બધા માનવે તરફ પ્રમેદભાવ કેળ એટલે દેશ, કાળ, વય, નાત, જાત, રંગ વગેરેને ભેદ કેરે મૂકીને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy