SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ * કથા રત્ન–ડેષ : જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનું ફલ તાજા તાજા જવારાઓ મૂકવામાં આવેલા હોય તે જાણે કે તેમના તત્કાળ ઊગેલા સુખકલ્પવૃક્ષના અંકુરાઓનો જ ન હોય. જે ભવ્ય લોક શ્રી જિનબિંબ નિમિત્તે વેદીની રચના કરે છે તેઓ માનું છું કે તે દ્વારા મેક્ષવધૂનું પાણિગ્રહણ કરે છે કે શું? જે ભળે, ભરેલી–પવિત્ર સુતરથી ભરેલી–ત્રાકના તાંતણુઓથી શ્રી જિનબિંબનું માપ કરે છે તેઓ તંતુને બહાને જાણે કે પિતાની લક્ષમીને દ્રઢ રીતે બાંધી રાખતા ન હોય ? જેઓ જગતની આંખ જેવા એવા શ્રી જિનબિંબન બને નયનું ઉન્મેલન કરે છે તેઓ પોતાની બને આંખ, જાણ જગતને જેવાને સમર્થ બને એવી બનાવે છે. પ્રતિષ્ઠાને પ્રસંગે વાજાઓને અવાજ બધે સ્થળે નિર્ભર રીતે ફેલાય છે તે જાણે એમ કહે છે કે જેમ બકરી સપ્તપર્ણના વૃક્ષ પાસે પહોંચે છે તેમ બધા બુધ પુરુષોએ આવા પવિત્ર કામો કરવા માટે પહોંચી જવું જોઈએ. એ પ્રમાણે જગદ્ગુરુ એવા શ્રી જિનના બિંબ નિમિત્તે ભવ્ય લેકે જે જે કાંઈ મંગલ કરે છે તે તે બધું તદનુરૂપમણે તેમના સુખ માટે પરિણમે છે તેથી તમે બધા પૂણ્યવાળા છે, કારણ કે તમારી બધાની શ્રીનિંદ્રના સંબંધે આવી સારી વિશેષ પ્રયત્નવાળી પ્રવૃત્તિ થઈ છે. જે લોકેએ અંગૂઠા જેવડી નાની પણ શ્રી જિનની પ્રતિમા પ્રતિષ્ઠાપિત નથી કરી તે લેકે પિતાના આત્માની નિર્વાણ પ્રાપ્તિ માટે કેમ પ્રતિષ્ઠા કરી શકે ?” આવી રીતે ઘણા લાંબા વખત સુધી તે વીરભદ્ર વગેરે શ્રાવકેને તથા રાજને ઉત્સાહિત કરીને આચાર્યશ્રી ક્ષેમકરમુનિ બીજી તરફ વિહાર કરી ગયા. રાજા પણ પિતાનાં રાજ્યનાં અને ધર્મનાં કાર્યો તરફ ધ્યાન આપવા લાગ્યો. હવે વખત જતાં રાજા રાજ્યલક્ષમીની મેજે માણતો રહે છે, એવામાં તેને પૂર્વે કરેલું કે નિકાચિતકમે ઉદયમાં આવ્યું. એના પરિપાકરૂપે એના શરીરમાં ભયંકર દાહજવર પેદા થયો. એના પ્રતિકાર માટે અનેક મંત્રો તથા તંત્રોના ઉપચાર કરાવ્યાં. આખું રાજકુટુંબ અને બધા પ્રજાજન વ્યાકુળ થઈ ગયાં. રાજાના અંતઃપુરમાં તે રડારેડ મચી ગઈ. એક ક્ષણ કેઈના આંસું સૂકાતા નથી. એમ બધી રાણુઓ રડવા લાગી. અનેક ઉપાયો કર્યા છતાં રાજાને એ વ્યાધિ ન જ મટ એટલે એ ભયાનક વ્યાધિની અસહ્ય પીડા થતાં રાજા પિતાના આત્મભાનને ભૂ અર્થાત એનું સમ્યક્ત્વ ચાલ્યું ગયું અને રાજા આર્તધ્યાનને વશ પડ્યો. એ વખતે તેણે પિતાનું ભવાંતર આયુષ્ય બાંધ્યું અને આર્તધ્યાન દેષમાં વર્તતે રાજા મરણ પામ્ય અને સ્વયંભૂ રમણ નામના મહાસમુદ્રમાં ગર્ભજ મસ્યરૂપે તેણે જન્મ છે અથૉત્ રાજા મરીને માછલાની એનિમાં જન્મે. - આ રાજાએ પૂર્વોક્ત પ્રકારે શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરી-કરાવીને વિશિષ્ટ પુણ્ય પિદા કરેલું, વળી, એ રાજાએ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેની સન્ક્રિયાઓ પણ નિરંતર રસપૂર્વક "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy