SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ યારત્ન-કાષ : અરિહંત ધર્મોમાં રાજાની શ્રદ્ધા થતાં તરધર્મીઓનુ વિરુદ્ધ કથન. તે ફરી અવતાર કેમ લઇ શકે ? એ પણુ વિરુદ્ધ હકીકત છે એટલે બુદ્ધમાં દેવતત્ત્વનું સ્વરૂપ પરસ્પર વિરોધી છે. ૫૨ અત્રાન્તરે અરિહંતના ભક્ત લોકોએ કહ્યું-મહારાજ ! આ અરિહંત દેવ છે. એણે ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર મેટા દોષોને જીતી લીધા છે. કામદેવને હણી નાખેલ છે. શત્રુ અને મિત્રમાં એમનું મન સમાન છે. સ્રી રહિત છે અને તેમને કયાંય મહત્ત્વ નથી. રાજા મેલ્યાઃ આ સાચું છે. હમણાં જયુાવેલુ' સ્વરૂપ અરિહંતનુ હાય તે એમની દૃષ્ટિ પ્રશાંત કેમ હોઈ શકે ? શરીર સૌમ્ય કેમ હોઈ શકે ! પ્રહરણુ શસ્ત્ર એક પણુ પાસે નથી, સ્ત્રી પણ નથી એ પણ કેમ સંભવે ? વળી, એમના ઉપર ત્રણ છા છે, એમની આસપાસ ભામંડળ છે, વગેરે જે એમની પૂજા-પ્રતિપત્તિ છે તેવી બીજા કોઈ દેવમાં દેખાતી નથી એથી ચાક્કસ માલૂમ પડે છે કે આ જ પરમાત્મા છે. સતાવડે સેવવા યોગ્ય છે, અને સંસારના પાર પામવામાં હેતુ પણ છે. રાજા વિચારે છે કે મને તે આ અરિહંત સાચા પરમાત્મા જણાય છે, પરંતુ બીજા કૈાઈ મધ્યસ્થ દ્વારા પણ આ નિશ્ચય થઈ શકે તે હું બીજા દેશને ત્યાગ કરીને આ જ દેવમાં હું મારા મનને સ્થિર કરું અરિહંત તરફ સ્થિર થતું મન જાણીને અને તે વિશે રાજાતુ ભક્તિયુક્ત વચન સાંભળીને અન્ય જે જે ધર્માચાર્યાં ત્યાં આવેલાં હતાં, તેમને ભારે મત્સર થયા અને તે બધા ભેગા થઈને રાજાને એમ કહેવા લાગ્યા હે રાજા ! તું આવું અયુક્ત કેમ બેલે છે ? અરિહંતની શ્લાઘા કેમ કરે છે ? એ અરિહંત તેા વેદબાહ્ય દેવ છે, અને તારા કોઈ પૂર્વજોએ પણ તેને દેવરૂપે સ્વીકારીને પૂજેલ નથી. તારી કુલપર પરામાં જે દેવ અને ગુરુ ચાલ્યા આવે છે. તેમને ત્યજાય નહીં. જે સત્પુરુષ છે તે અપષ્ટમાં રાગ કરે તે ઉચિત ન ગણાય. હે રાજા ! તારું ચિત્ત ઉમાગ તરફ ગયુ છે એટલે અમે કાઇ પણુ રીતે તારા તરફ બેદરકાર રહી શકીએ નહીં અને પૂર્વ પરંપરાને તું ઇંડી દે તે અમે તારી સામે અમારા જાન પણ કાઢી નાખીએ એટલા બધા અમે તારા તરફ કાળજીવાળા છીએ. રાજા બોલ્યુંઃ તમે આવું મર્યાદા વગરનું ખેલે તે અયુક્ત છે. તમારી જેવા અનેક સપ્રદાયા અને શાસ્ત્રોના જાણકારાના મુખમાં આવું વેણુ શાલે નહી, જેમ સાનુ અને રત્ન વગેરેની પરખ કર્યા વિના જ તેને લેનારા અકુશળ લેખાય છે અને લેાકેામાં હાંસીપાત્ર ખને છે. તેમ દેવ, ગુરુ અને ધર્મની પારખ કર્યાં વગર તેને માનનારા અકુશળ લેખાય છે અને લેકમાં હાંસીપાત્ર બને છે. પૂર્વથી ચાલી આવેલી પરપરા ને યુક્તિયુક્ત હોય તે જ અનુસરણીય જણાય અને યુક્તિયુક્ત ન હોય છતાં જે તેને અનુસરણીય ન "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy