SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાન–કોષ : પ્રભાકર મુનિએ કરેલ વિજય દેહની પ્રશંસા. ૧૪૨ નિર્મળ શરીર વાળા દેવ થયે અને ત્યાં તેનું આયુષ્ય બે સાગરોપમનું હતું. હવે, તે પ્રભાકર અપ્રતિબદ્ધપણે ભૂતળ ઉપર વિહાર કરતાં કરતાં કાલક્રમે ચક્રપુરી નગરીમાં આવી પહોંચે અને ત્યાં ઉચિત સ્થાનમાં ઊતર્યો. પછી, પિતાના તપસ્વી શિષ્યને સાથે લઈને તે પ્રભાકર મુનિ, પેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયે. ત્યાં જઈને દેવદર્શન કરીને તે ચગ્ય સ્થળે બેઠો અને ધર્મ કથા કહેવા લાગ્યા. ત્યાં નગરીના લેકે પણ આવી પહોંચ્યા. હવે, પાણીવાળા મેઘની ગર્જના જેવા ગંભીર શબ્દ વડે તે ધર્મકથા કહે છે, એટલામાં બધી દિશાઓને ઊજળી કરતો પેલે સૌધર્મ સ્વર્ગમાં રહેલે વિજયદેવ, તેની પાસે આવે. એ વિજયદેવને આ પ્રભાકર મુનિ સાથે ગાઢ સંબંધ હતો એટલે જ તે, તેની પાસે ગયો. ઇદ્રની પેઠે શોભાયમાન એ દેવ, ચૈત્યમાંનાં શ્રી શાંતિનાથ ભગવાનને વાંદીને અને પ્રણામ કરીને જમીન ઉપર મુનિની સામે બેઠે. એ દેવને જોઈને આખી સભા જાણે કે ચિત્રમાં ચિતરેલી ન હોય અથવા ચૂના વગેરેથી જાણે બનાવેલી ન હોય એ રીતે ફાડી આંખે-આંખનું મટકું માર્યા વિના તેના તરફ શીવ્ર, એક ચિત્તે જોઈ રહી. પ્રભાકર મુનિ શ્રુતજ્ઞાની હતા તેથી તે પિતાની સામે બેઠેલા દેવના ચિત્તની સ્થિરતાને ભાવ જાણું શક્યા અને એ દેવ, વિજયમુનિના ભાવમાં પિતાને ગુરુ હતું તેથી તેના ઉપરના પક્ષપાતને લીધે કહેવા લાગ્યા. આ સામે બેઠેલા દેવ એ મહાત્મા છે, એણે જ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ઉદ્ધરાવ્યું છે અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એણે પોતાને અને બીજા અનેક ભવ્યજીવન પણ ઉદ્ધાર કર્યો છે. જે ચૈત્ય ન હોત તે અહીં સાધુ આવી શકે શી રીતે? અને સાધુઓ ન આવે તે અમારી જેવાને પ્રતિબંધ પણ કેમ થાય? ચ ન હેત તે ચંદ્ર જેવા ધવળ શ્રી જિનશાસનને, મેહના પ્રભાવને હટાવી દે એ સર્વત્ર અધિક પ્રચાર પણ કેમ કરીને થાય? વધારે કહેવાથી શું? વિજય! તું ધન્ય હો. તું જ વિજયવંત છે. ગાયના પગલાથી પક્ષે ખાડો જેમ જલદીથી ટપી જવાય છે તેમ તું સંસારના મહાસાગરને ટપી-તરી ગયેલ છે. વળી, તે તારી નિર્મળ કીર્તિને વધારી છે. તું પુણ્યવંત પુરુષ માટે ઉદાહરણરૂપ બને છે. શ્રી તીર્થકર ભગવાનમાં તારી ખરેખરી સ્વાભાવિક-બનાવટી નહીં એવી ભકિત છે અને તેને લીધે જ તે આ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર સમરાવ્યું છે. આ જગતમાં અનંત છ ભમ્યા કરે છે, તેઓ અનેક પ્રકારે પાપ કરે છે અને હિંસાનાં અનેક સાઘને ઊભા કરી જિંદગી પૂરી કરી મિતને માર્ગે ચાલ્યા જાય છે. તેઓ કઈ પણ પ્રકારને સદ્દગુણ મેળવી શકતા નથી. તેમાં તે વિજય! તું એક જ ધન્ય છે કે તે પર્વત જેવું ઊંચું અને જેનારને અચંબ પમાડે તેવું શ્રી જિનમંદિર કરાવીને સ્વાર્થને સાથે તથા પરાર્થ–પરોપકાર પણ કર્યો. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy