SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનકે : શ્રમણું થયેલા ચેરે આપેલ ધર્મ દેશના. ૧૩૮ આ ભૂતનિમાં જન્મ પામ્યું. પછી ત્યાંથી મરણ પામી અહીં હું પુરોહિતને પુત્ર થયો અને અંતકાળ વખતે થયેલા પૂર્વના કામરાગની દ્રઢ ભાવનાને લીધે મારી બુદ્ધિ ઘણી જ ઉલટી થઈ ગઈ. હાય !! હાય !! હું અધન્ય છું, અકલ્યાણનું ભોજન છું, પાપી છું. મને પૂર્વજન્મમાં ચારિત્રની સાધનાની સરસ સામગ્રી મળી છતાં હું તેનાથી બહિષ્કૃત થયેલો જ રહ્યો, અને ચારિત્રને ખરે લાભ ન મેળવી શક્યા. એટલું એટલું ભણતર, એટલું એટલું ઘેર પાપ, એ બધું મેં કરેલું છતાંય એ બધું એક પલકમાં જ આકાશના ફૂલની પેઠે કેમ નિષ્ફળ નીવડયું? આ રીતે શુભ ભાવના અને તે ચેર પસ્તાવે કરવા લાગ્યું અને તેના પૂર્વ જન્મમાં ભણેલું ભણતર બધું યાદ આવ્યું અને ચારિત્રની બધી વિધિક્રિયાઓ પણ યાદ આવી તેથી તે મહિને શાંત કરી શ્રમણ થયે અને અદ્ધર રહેલા દેવોએ તેને શ્રમણનો વેશ આપે. હમણુ જ જે ચેર તરીકે પકડાયેલા હતાતે શ્રમણ થયો. આ હકીકત રાજાને કહેવામાં આવી. હકીકત સાંભળી રાજા અચંબે પાયે અને (રાજા) બે કે-પુરુષો વિચિત્ર ચારિત્રવાળા હોય છે, એટલે એને આ બાબતમાં છે વિશ્વાસ કહેવાય? પછી પિલા દાનપત્રવાળી વાત રાજાએ જાણું અને તરત જ ચક્કસાઈ કરવા માટે એ જગ્યા છેદાવી તે પેલા ચેરે જેવા દાનપત્ર કહ્યાં હતાં તેવાં જ બરાબર મળી આવ્યાં. પછી તે રાજાને ચારમાંથી મુનિ થએલા એ પુરોહિત-પુત્ર ઉપર ભારે ભક્તિભાવ થશે અને તેથી એણે પિતાના અંગમાં રોમાંચ અનુભવ્યો. અને પછી રાજા વગેરે બધા લોકેએ જઈને એ સુનિસિંહને નમસ્કાર કર્યા. પિતે કરેલ અપમાન માટે રાજાએ એ મુનિ પાસે માફી માંગી અને પછી એ મુનિરાજ એ લેકે તરફ અમૃતની દૃષ્ટિ જેવી નજર ફેરવતો તેમને ધર્મકથા કહેવા લાગ્યું. જેમ કે - અનેક પ્રકારની કુકલ્પનાને લીધે આત્મામાં સ્વચ્છેદ ભાવો વધે છે, એમાંથી પાપના સંસ્કારે જન્મે છે. એ પાપસંસ્કારને પરિણામે આત્મા પિતે પિતાને જ એવી હાણ કરે છે કે તે હણ, સિંહ, હાથી, સર્ષ, ઝેર અને શત્રુઓ તરફથી થતી હાણ કરતાં ક્યાંય ચડી જાય એવી હોય છે. સિંહ, હાથી વગેરે હાનિકારક પ્રાણીઓને તે યંત્ર, સ્તંભન, ચારણ વગેરે વિદ્યાઓ વડે કરીને થંભાવી પણ શકાય છે, પછે વાળી શકાય છે ત્યારે પાપમાં રાચી પડેલા આત્માને તે ઇદ્ર પણ ખાળી શકતો નથી–પાછો વાળી શક્તા નથી. અથવા સિંહ વગેરે જ્યારે કોધમાં આવે છે ત્યારે માત્ર એક જન્મને નાશ કરે છે એટલે કે એક જન્મને બગાડે છે, પણ જ્યારે આત્મા અવળે થાય છે–પતિ જ પિતાને શત્રુ બને છે અને અનંત દુખવાળા આ જન્મમરણના ફેરામાં પાડી દે છે ત્યારે તે એક જન્મને નહીં પણ અનેક જન્મને બગાડે છે. ખરેખર વિચાર કરીએ તો આત્મા પોતે જ નરકનું ઘર એવું કૂટશામલિનું "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy