SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ વિજયે પ્રાપ્ત કરેલ મંત્રવિદા. : કારત્ન-કેષ : જમીનમાં નિધાનરૂપે દટાયેલું પડ્યું છે. દવા જતાં વ્યંતરે તે ધનને લેવા દેતા નથી, માટે એ માટે તું કાંઈ પ્રયત્ન કરે અને તે નિધાન મળે તો અડધું તારું અને અડધું મારું, માટે તું જરૂર પ્રયત્ન કરો. પછી ભૂલે એ વાત સ્વીકારી અને મંડળ કરી દેવતા નું આહ્વાહન કર્યું, તેમની પૂજા કરી અને વિશેષ પ્રયત્નપૂર્વક પૂરી કાળજીથી સારી રીતે મંત્ર ભણવા લાગે. એ રીતે એ ભૂલ, ફકત ડી જ વાર ધ્યાનમાં રહ્યો એટલી વારમાં પિલાં વ્યંતરે જેમના ઉપર તેઓને કાબૂ હતો તે મંત્રના પ્રભાવને લીધે તે ભૂત મંડળમાં પકડાઈ ગયાં. મંડળમાં પકડી પાડેલાં ભૂતને ચસકાવીને થંભાવી રાખ્યાં અને પછી પિલા વિજયની નજરોનજર જ મહેન્દ્રની નિધાનવાળી જમીન શીધ્ર દાવા લાગી. ડી જ વારમાં કઈપણ જાતના વિઘ વગર જમીનમાં દાટેલાં નિધિઓ મળી આવ્યાં, અને તેમાંથી પિતાને અડધો અડધ ભાગ લઈને પેલો ભૂયલ બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. આ હકીકત જોઈને પેલે વિજયે તે વિસ્મય પામે અને વિચાર કરવા કરવા લાગ્યું કે “હું નિધાને ખોદવાની વિદ્યામાં કુશળ થયે હેઉં તે મને પણ આ પ્રકારે નિધાનનો લાભ જરૂર મળે.” એ માટે હું નિધાને ખોદવાના મંત્રને ઝટ શીખી લઉં. પછી વિજયે વિશેષ વિનય અને સેવાભક્તિ કરીને પેલા ભૂયલ બ્રાહ્મણને એ તે ખુશ કરી નાખે કે તેણે જ પિતાની મેળે વિજયને નિધાન દવાની વિદ્યામાં નિપુણ બનાવી દીધો. પછી આ વિયે પિતાના વિદ્યાગુરુ ભૂલને પગે પડ્યો અને પિતાના દટાયેલા નિધાન વગેરેની બધી હકીકત કહી બતાવી. ત્યાર બાદ જલદી તે પિતાના નગર તરફ પાછો વળ્યો. વિના વિલંબે તે પિતાને ઘેર પહોંચે ત્યાં જઈને તે, જ્યાં નિધાને દટાયેલાં છે તે જગ્યા ઉપર ગયો અને પેલાં ભૂતડાં ધનને ન ઉઠાવી જાય માટે તેણે જતાવેંત તે જગ્યાને મંત્રી લીધી. હવે વિજયે જ પેલા મંત્રના પ્રભાવથી એ નિધાને પર અધિકાર ધરાવતા વ્યંતરેશ એ તે ગભરાઈ ગયું કે એ નિધાનવાળી જમીનની તરફ નજર પણ નાખી શક્તિ નથી, આથી તે વ્યંતરને ભારે ઉદ્વેગ થયો અને તેને પોતાના વિસંગજ્ઞાન દ્વારા (વિવધારે જુદા જુદા ભંગ=વિક અર્થાત્ જે જ્ઞાન ચેકસ ન હોય પણ અનેક વિકવાળું હોય તે વિભંગ) આમ થવાનું કારણ તે વ્યંતર સમજી ગયો. તેને જ પુત્ર, એ નિધાને જમીનમાંથી બેદી કાઢવા ઈચ્છે છે. અને એ માટે જ તેણે મને (વ્યંતરને) થંભાવી રાખે છે. આવી વિષમ સ્થિતિમાં મૂકાઈ જવાથી તે વ્યંતર પિતાના બચાવ માટે પોતાના પુરાણું મિત્ર બળભદ્રને એકાંતમાં જઈ મળે, અને તેણે કહ્યું કે-“હે રાજા ! હું શ્રીગુપ્ત નામને તારા મિત્ર છું, મરીને વ્યંતર થયેલો છું અને મેં જ્યાં મારાં નિધાનો દાટયાં છે તે જમીન ઉપર રહું છું. હવે, મારાં નિધાનવાળી મારી એ જમીનને મારા દિકરાએ મંત્રી લીધી છે. મને લાગે છે કે–તે મારા પુત્ર જમીન૧૭ "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy