SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ . - - - - - - * કયારત્ન-કેપ : વિજયની કથા અને ચાપુરીનું વર્ણન ૧૨૪ માં પાણી ગળીને વાપરવું, બદતી વખતે જમીન બરાબર જેવી, પ્રમાદને લીધે ત્રાસજીને વધ ન થાય એવી કાળજી રાખવી અને બધી પ્રવૃત્તિઓમાં યતના રાખવી. કારણ કે ચતના એ જ ધર્મને સાર છે, માટે તેને ભંગ ન થવા દેવો. વળી, મંદિર નિર્માણનું જેઓ કામ કરનારા હોય એટલે મજૂરો વગેરે હોય તેની સાથે થોડું પણ છેતરામણ ન કરવું, ઊલટું તેમને સદ્દભાવ વધે એ માટે તેમની મજૂરી કરતાં સવિશેષ આપવું. આ રીતે નવીન જિનમંદિર નિર્માણનો આ વિધિ કહેલો છે, અને જીર્ણ જિનમંદિરને પુનરુદ્ધાર કર હોય તે પણ લગભગ એ જ વિધિ સમજવાનો છે, પરંતુ જ્યાં જે જિનભવન જીર્ણ થઈ ગયું, ભીંતમાં ફાટે પડી ગઈ હોય, ધજા ફાટી કે તૂટી ગઈ હોય ત્યાં એવા જિનભવનને જોઈને તેની દરકાર કર્યા વિના કુશળ પુરુષે નવું બીજું જિનમંદિર બંધાવવું ન ઘટે અર્થાત્ સૌથી પ્રથમ જીણું જિનભવનને ઉદ્ધાર કરવું એ કર્તવ્ય છે. જીણું જિનભવનને ઉદ્ધાર ન થાય તે શ્રી જિનમાર્ગને ઉચ્છેદ થાય, જૈનેનું તેજ હીણું થાય અને શ્રી જિન તરફની ભકિત પણ ઘટે, માટે સામર્થ્ય હોય તે પ્રથમ જીર્ણ જિનભવનને ઉદ્ધાર કર્યો એ જ ઉત્તમ પ્રવૃત્તિ છે. આ પ્રમાણે પૂર્વે કહ્યા પ્રમાણે જે ગૃહસ્થ પુરુષ મનહર એવા જિનભવનને કરાવે તે વિજયની પેઠે પિતાનાં કઠણુ–દુઃખ-દળદર વગેરેનો નાશ કરે છે. વિજયની કથા. માળવા દેશમાં વિખ્યાત એવી ચકકપુરી( ચપુરી) નામે ઉત્તમ નગરી છે. એ નગરીની આસપાસ પર્વતે, સરવરે, નદીઓ, આરામ, બગીચા, પર. સભાસ્થાને અને કૂવા વગેરે હોવાથી એ રમણીય છે. એ નગરીમાં “ર” શબ્દને પ્રગ કેવળ રત્નો માટે જ થાય છે અર્થાત્ “વર' ના બે અર્થો છે. એક વજરત્ન અને બીજું વૈર-વિરેાધદુશમનાવટ. આ બે અર્થોમાંથી ફકત “વજરત્ન” માટે જ “વર’ને પ્રવેગ છે, વિરોધ અર્થ માટે નહીં. હવે એ નગરીમાં વસનારાં પ્રજાજને તેમ રાજા પ્રજા વચ્ચે કયાંય વૈરવિરોધ નથી. વળી. અહિં “વિરાણ' શબ્દના બે અર્થો છે. એક શરીર અને બીજું યુદ્ધલડાઈ–ઝગડા. એ બે અર્થોમાંથી કેવળ “શરીર” અર્થ માટે જ એ નગરીમાં “વિટ્ટ' શબ્દને ઉપગ છે, લડાઈ ઝગડા. અર્થ માટે નહીં, જેથી એ નગરીમાં કયાંય લડાઈઝગડા નથી. તથા “વવા ’ શબ્દના બે અર્થો છેઃ એક કુંભારને ત્યાં ચાકડે ચાલે તે અને બીજું પરચકની-દુશ્મન સેનાની ચડાઈ. એ બે અર્થોમાંથી કેવળ કુંભારને ત્યાં ચાકડે ફરે એ અર્થમાં એ નગરીમાં “વા” શબ્દને વ્યવહાર છે. અને નગરી અજેય હોવાથી તેના ઉપર કેઈ શત્રુ ચડી શકે તેમ નથી તેથી “ ” શબ્દનો ઉપયોગ તેના બીજા અર્થમાં નથી. એવી એ નગરી રુડા રત્નવાળી અને પરચક્રના ભયથી રહિત છે. એ નગરીમાં બળભદ્ર નામે પ્રસિદ્ધ રાજા રાજ્ય કરે છે. એ રાજા મહાત્મા છે અને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy