SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ સરિદેવરાજાનું સ્વર્ગગમન અને કેવળીભગવંતને તેની ગતિ સંબંધી લેકની પૃચ્છા. : કથરત્ન-કેષ : ચરણેને વંદન કરે છે એવા અને સમસ્ત વિશ્વને શાંતિ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન જયવંતા થાઓ. આ પ્રમાણે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરીને પેલો હેમપ્રભ નામને દેવ જિનમંદિરમાંથી બહાર નીકળે અને રાજાને લઈને તેની સાથે ઉત્તમ વિમાનમાં ચડી બેઠે. મનના વેગ કરતાં પણ અતિશય વેગવાળા એ વિમાનદ્વારા તેઓ બને ધરતીનાં પર્વતવાળા, વનવાળા અને કાનનવાળા વિસ્તારોને જોતાં જોતાં શીઘ મેટા કેપિલપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં જઈને હેમપ્રભ દેવે પ્રથમના રાજાની ગાદી ઉપર આ સિરિદેવરાજાને બેસાડ્યો. જે લોકે દુર્દાત હતા એટલે તેફાની હેઈ વશમાં નહોતા આવતા તેમને હણી નાખ્યાં. પિલા કામરુદેશના રાજાને પણ તરત જ સિરિદેવ રાજાની આજ્ઞા નીચે આપે તથા બીજા ભંગ તથા કલિંગદેશના રાજાઓને પણ તાબે કરી દીધા. એ પ્રમાણે પ્રથમના રાજા કરતાં પણ અધિક રાજશ્રી અપાવીને તે દેવ બે -“હે ભદ્ર! બીજું કાંઈ તને જે ઈષ્ટ હોય તે કહે તો તે પણ તને આપી દઉં.” દેવનું વચન સાંભળીને રાજા વિશેષ રાજી થશે અને તેથી તેના શરીરની બધી રામરાજી ઊભી થઈ ગઈ. એમ થવાથી રાજાનું શરીર વિશેષ સુંદર દેખાવા લાગ્યું અર્થાત્ એ રીતે પ્રસન્નતા પામેલો રાજા કમળની કળી જેવા પિતાના બન્ને હાથને જેડી, કપાળમાં સ્થાપી, માથું ડું નીચું નમાવી આદર સાથે પેલા દેવને કહેવા લાગેઃ “જેમનું દર્શન અતિશય દુર્લભ છે એવા મુનિરાજ મળ્યા, તેમની પાસેથી શુદ્ધ સમકિત મળ્યું, પંચપરમેષ્ઠીને મહામંત્ર પામ્ય અને શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી. વળી, હે દેવ ! તારા પ્રભાવને લીધે મારું બધું વાંછિત કાર્ય સિદ્ધ થયું. હવે આના કરતાં મને બીજું વળી શું આ આ જગતમાં વિશેષ વહાલું છે કે જેની તારી પાસે યાચના કરું ? તેપણ તારી પાસે મારી આ એક માગણી તે છે જ દારિદ્રના સંકટને દૂર કરનારું, વાંછિત સિદ્ધિને આપનારું એવું ચિંતામણિરત્ન જેવું તારું દર્શન મને ફરી ફરીને થવું જોઈએ અર્થાત્ તું મને ફરી ફરીને તારે સમાગમ આપજે, એમ હે દેવ ! મારી માગણી છે.” રાજા એ પ્રમાણે બેલી રહ્યો કે તરત જ પેલે દેવ અદૃશ્ય થઈ ગયે અને રાજા પણ પોતાનાં રાજના કામે તરફ પૂરતું લક્ષ્ય આપી રાજ કરવા લાગ્યું. પછી ઘણા સમય સુધી રાજાએ રાજ્ય ભગવ્યું અને પિતાનું મરણ પાસે આવ્યું જાણી પિતાના પુત્રને ગાદી ઉપર બેસાડી તે મહાત્માને વૈરાગ્ય થયે. મનમાં પંચપરમેષ્ઠીને વારંવાર યાદ કરતે તે રાજા ચિત્તની ઉત્તમ સમાધિ સાથે કાળધર્મ પામે. રાજાનું આવું ઉત્તમ સમાધિમરણ થયેલું જાણી કપિલ્લ નગરના રહેવાસીઓને એવી જિજ્ઞાસા થઈ કે-આ રાજા મરણ પામીને કયાં ઉત્પન્ન થયે હશે? નગરલોક એવી જિજ્ઞાસામાં ને જિજ્ઞાસામાં વ્યામૂઢ બનેલા હતા તેવામાં ત્યાં હશેષ નામના કે કેવળજ્ઞાની પુરુષ આવી પહોંચ્યા અને લોકેએ વિનય સાથે પ્રણામ કરીને પિતાની "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy