SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદેવરાન્વીનું સમરક્ષેત્રમાંથી નાસી જવુ. • કયારન કાષ : હુવે અડધે ક્ષણુ થયે એટલી વારમાં તે કામરુદેશના બળવાન શત્રુઓએ લાગ જોઇને સિરિદેવ રાજાના સૈન્યને જેમ અંધારાને દિનાનાથ-સૂર્ય હણી નાખે તેમ હણી નાખ્યું. આ બધી કિકત રાન્ત સિરિદેવ પાસે પહેાંચી અને કહેવામાં આવ્યું કે-તમારા પક્ષના જય, વિક્રમ અને ભીમ વગેરે લડાઇમાં ખપી ગયા છે. આ વાત સાંભળીને રાજાના મત્રી ગભરાયા અને ઉદ્વિગ્ન થઇને કહેવા લાગ્યા કે-હમણાં લડાઇને થેાભાવી દેવી જોઇએ. વળી, વખત આવ્યે લડી લેવાશે, હે રાજા ! પરાક્રમ હશે તે તેના જોરે લાંબા સમય સુધી ચાલ્યું ગયેલુ. રાજ્ય પણ પાછું મેળવી શકાશે, પરંતુ જીવિત ચાલ્યું જાય તે એના એ જન્મે એ પાછું મેળવી શકાતું નથી, માટે હુમાં જીવિતને બચાવવા લડાઈ થંભાવી જ દેવી ઘટે. રાહુની આફતમાં ફસાયેલા સૂર્ય તેનાથી છૂટકારો મેળવી અખંડ મ`ડળવાળાપરિપૂર્ણ બની પેાતાની ગયેલી રાજશ્રી જેમ પાછી મેળવી લ્યે છે અને પરના તેજને-પ્રભાને હણી નાખે છે તેમ હું રાજા ! અમે તમને પહેલાં પશુ વિનંતી કરી હતી કેલડાઈ કરતાં પહેલાં સામ, દામ વગેરે નીતિ અજમાવે। અને પછી જ લડાઈના નિચ કરી. હું રાજા! તમે અમારું કહેવું ન માન્યું અને સ્વચ્છ ંદપણે વતી વિપરીત પ્રવૃત્તિ કરી છે તેથી આ દુષ્ટનીતિ હમણાં ખૂબ ફાલી છે અને ફળી છે અર્થાત્ લડાઇનું પરિણામ ધાર્યાં કરતાં વિપરીત આવ્યુ છે. જેમ કેઇને નાગણુ કરડી હોય અને ત્યાં કાઈ માંત્રિકની ખરાખર સમજ ન હોય તથા ડંખ થયેલ મનુષ્યના શરીરને સાચવવાની પણ પૂરી કાળજી ન થઈ શકે તેમ હોય તેા એ ખૂ થયેલ માનવ મૃત્યુ જ પામે છે તેમ હું રાજા! જે રાજાએ લડાઇ વિશે નિશ્ચિત મંત્રણા- વિચાણુા કર્યાં વિના લડાઈ આર ભી હાય તે રાજાની રાજશ્રી છળી જાય છે અર્થાત્ રાજા તરીકે તેનું મૃત્યુ જ થાય છે—તેની રાજલક્ષ્મી ખીજે ચાલી જાય છે. હવે ગત વાતને શોક કરવાથી શું વળે ? તાપણુ હજી અમારું કહેવુ માન તે હે રાજા ! વાયુવેગ નામના ઘેાડા ઉપર ચડીને તમે અહીંથી જલદી ભાગવા જ માંડા, પેાતાનું સામર્થ્ય ખરાખર જાણ્યા વિના લડાઈના આરંભ કરનારા રાજાઓને ભાગ્યા સિવાય શ્રીો ઉપાય જ નથી. એ રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી નાશી ગયેલા અને યાદવાને અધીશ પણ મથુરામાંથી ભાગી ગયેલા એ પ્રાચીન હકીકત આજે પણ આપણે સાંભળીએ છીએ. આ રીતે મત્રીઓએ અને બીજા લાકાએ રાજાને સમજાવ્યા અને તેની નાસવાની ઈચ્છા ન છતાં લડાઈના મેટ્ઠાનમાંથી ઉત્તમ જાતિવ ́ત ઘેાડા ઉપર બેસાડીને ભગાડી મૂકયે. ત્યાંથી ભાગતા ભાગતા રાજા દિગ્મૂઢ થઈને તમાલવૃક્ષા, તાડનાં વૃક્ષેા અને કેળનાં વનખ’ડવાળી કોઈ ભયાનક અટવી તરફ ક્રમે કરીને આવી પહેાંચે. આ દોડાદોડને લીધે સાથે આવેલા પરિજન-નાકરચાકરના પરિવાર-પણ · કાક કયાંક, કાંક કયાંક ' એમ જુદા જુદા પડી ગયા અને દોડાવતા ભારે પરિશ્રમને લીધે થાકી ગયેલા રાજાના ઘેાડા પણુ તત્કાલ મરણુ ૧૧૧ "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy