SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શ્રી દેવ રાજાને મંત્રીઓએ આપેલ સલાહ : કથાનકોષ : અસત્ય એ આઠ વાનાં સારી રીતે દૂરથી તજી દેવાં. કેઈ ઉપર કરેલ ઉપકાર, પ્રતિપન્ન સ્વીકારેલું વચન કે કામ, સુભાષિત, મર્મ, શુદ્ધ વિચાર, દેવ, ગુરુ અને ધર્મ એ આઠ વાનને હૃદયમાં ધરી રાખવાં. કામીપુરુષ, સર્પ, પાણીનું પુર, આગ, યુવતી, શત્રુ, રાગ અને રાજા, હે પુત્ર! એ આઠ વસ્તુઓને સ્વપ્નમાં વિશ્વાસ ન કરે. હે પુત્ર ! એ પ્રમાણે હું તને કેટલુંક કહું? તે પણ છેવટે એક વાત કહું છું કે-તું રાજ્યના કારભારને એવી સારી રીતે ચલાવ કે જેથી ખળ લેકે તારી હાંસી ન કરે, ખળકેમાં તું હાંસીપાત્ર ન બને. એ પ્રમાણે પિતાના પુત્રને શિખામણ દઈને અને પિતે તાપસી દીક્ષાને સ્વીકારીને પિતાની રાણી સાથે શ્રી હર્ષ રાજા મહાશેલ વનમાં રહેવા ચાલ્યા ગયે. સમગ્ર મંત્રીઓને તથા સામંતને અનુકૂળ કરીને સિરિદેવ રાજા પ્રજાવર્ગને નતિના માર્ગની પેઠે પાળવા લાગે. હવે એક વાર પિલા કામરુદેશના રાજાને સિરિદેવ રજાના પિતા સાથેને વૈરભાવ સાંભરી આવ્યું અને તેથી તે, પિતાની ચડાઈની હકીકત અગાઉથી દૂત દ્વારા સૂચિત કરી, પિતાનું બધું લશ્કર લઈ દેશના સીમાડામાં લડાઈ કરવા આવી પહોંચ્યા. એ રાજાને ચડી આવેલ જાણી નિર્ભય ચિત્તવાળે રાજા સિરિદેવ, એકાંતમાં બેસીને મંત્રીઓને બેલાવી તેમની સાથે લડાઈ વગેરેની મંત્રણા કરવા લાગ્યું. કાર્યોની ગતિ વાંકી છે, બુદ્ધિ પણ તુચ્છ છે અને શત્રુ ભારે કુપિત થયેલ છે. આ વાતની પરિસ્થિતિમાં આપણે શું કરવું ઘટે ? ખરેખર પરમાર્થ હોય તે જ કહેવાનું છે. મંત્રીઓ બોલ્યાઃ હે દેવ ! કાને પ્રારંભ કરતાં પહેલા એ બાબતને સુનિશ્ચિત રીતે વિચાર કરી લેવું જોઈએ. એમ કરવાથી પણ કદા દૈવવશાત્ કોઈ કાર્ય બગડી જાય, વણસી જાય તે પણ અપકીર્તિ તે ન જ થાય. લડાઈ બાબત વિચાર કરતાં મંત્રીઓએ કહ્યું- હે દેવ ! આ આપણા ઉપર ચડી આવેલો શત્રુ ભારે સમર્થ છે, તમને લડાઈને અનુભવ નથી, તમે કઈ દિવસ લડાઈને જોઈ નથી, દૈવ તે વતી શકાય એવું નથી અને આપણા સહાયકે આપણને સહાયતા આપશે કે કેમ એ શંકા પડતું છે માટે હે દેવ! સામ, દામ, ભેદ અને દાન એ ઉપાય સિવાય બીજો કેઈ ઉપાય શત્રુ ઉપર વિજય મેળવવા માટે નથી તેથી બની શકે તેટલી ત્વરાથી તમે એ ઉપાયને અજમાવવાની નીતિને સ્વીકાર અને અમે પણ આ પ્રસંગે એ નીતિને જ ઉપયોગ જોઈએ છીએ. સામને પ્રયોગ કરવાથી શત્રુ પણ મિત્ર થાય છે ભેદને પ્રવેશ કરવાથી બુદ્ધિમાન પુરૂષ ભેરાઈ જાય છે એટલે જોઈતી જાળમાં સપડાઈ જાય છે અને દાનથી તે એટલે પૈસાથી તો પથરના બનાવેલા દે પણ તાબે થઈ જાય છે. આ પ્રમાણે ઉચિત રીતે સામ, ભેદ અને દાનની નીતિને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy