SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ . * : . - - - : કથાન–કોષ : તપસ્વી મુનિએ અચળને કહેલ સ્વવૃત્તાંત. ત્યાં એકાંતમાં રહેતા હતા અને એક જ પગ ઉપર શરીરને બધે ભાર ટેકવીને ઊભે હતું તથા એનાં હલ્યાચલ્યા વગરનાં નેત્રે સૂર્યમંડળની સામે તેણે તાકી રાખેલાં હતાં. એ તપસ્વીને જોઈને અચળને એમ થયું કે મરવું તે સ્વાયત્ત છે જ; પરંતુ આ મુનિને પૂછી લઉં કે તે આ જાતનું કષ્ટ શા માટે સહી રહ્યો છે? એમ ધારીને અચલ તેની પાસે ગયા અને તેને પગે પડ્યો. પ્રણામ કરીને તે એ મુનિની સેવા કરવા લાગે. શેડીકવાર પછી ધ્યાન પૂરું થયું એટલે તે અચળે પેલા મુનિને પૂછયું; “હે ભગવન્! તમે શા માટે આ રીતે તમારા આત્માને સંતાપ આપે છે?” મુનિ બેલ્યા. મોટા રોગવિના કે ઈ મૂઠ માણસ પણ વિરેચન, ઔષધ અને વિશેષણ વગેરે લેવાનું પસંદ ન કરે. તેમ પિતાની જાત ભારે પાપના ભારથી ભારે થયેલી ન હોય તો કેઈપણ માણસ આવી જાતની કેટ કિયા ન સહન કરે. તે હે ભદ્ર! મારી આ કટકિયાનું ઉપર જણાવ્યું તે કારણ છે. અચલ બેલ્યર હે ભગવન્! તમારું સાચું વૃત્તાંત સ્પષ્ટ અક્ષરમાં તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું. મુનિ બોલ્યા-તારી ઈચ્છા છે તે સાંભળ-કાકી નગરીમાં વણસીહ નામને હું પારધી હતો. એક વાર મારા ઠાકર (રાજા) સાથે શિકાર કરવા ગયો. ત્યાં જઈને મારા કેરના કહેવાથી હરણને ભેગાં કરવા માટે મેં પંચમસ્વરવાળું ગીત ગાવું શરુ કર્યું. મારું એ ગીત સાંભળતાં હરણને આનંદ થયે અને આંખ વિચીને જાણે ઊંઘતા ન હોય એ રીતે બધાં હરણાં પાસે ને પાસે આવવા લાગ્યાં. બરાબર એ વખતે ઝાડના થડની પાછળ સંતાઈ રહેલા એ ઠાકોરે કાન સુધી ખેંચીને એ હરણની સામે બાણ ફેંકયું. એ બાણથી પ્રસવકાળની પાસે આવેલી એક ગાભણી હરણી વિંધાઈ ગઈ. બાણ વાગતાં ભારે પીડા થવાથી તેનું પેટ ચિરાઈ ગયું, તેને ગર્ભ ર પડીને તરફડવા લાગે અને એ દુઃખભર્યું રડતી “ધબ દઈને જમીન ઉપર પડી ગઈ. હવે તે હરણીની આવા પ્રકારની ભારે દુખમય વિષમ દશા જોઈને મારા (પારધિના) મનમાં ભારે દયા આવી. મને લાગ્યું કે આ કાર્યનું પાપકાર્યનું ખરું કારણ તે હું જ બન્ય છું એથી મને મારી જાત ઉપર વિશેષ ગુસ્સો આવ્યું. પછી બાણ સહિત ધનુષ્યને મરડી નાંખીને હું ભગુપત કરીને મરવા માટે વેગથી એક પહાડ તરફ દેડ્યો. પેલે કર મને રેકી ન શકે અને વિલખે થઈને ત્યાંથી પાછો ફર્યો. હું વળી પહાડના શિખર ઉપર ચડીને ત્યાંથી મારી જાતને નીચે પાડતો હતો તેવામાં એ જ પહાડ ઉપર ધ્યાન ધરતા એક ચારણુશમણે મને તેમ કરતા અટકાવ્યું અને એ બાબત સમજણ પાડી; જેમકે - હે ભદ્ર ! તું તારી જાતને આ રીતે અશંકપણે નાશ કરવા ઈચ્છે છે અને તે વિશે બધી તૈયારી પણ કરી લીધી છે તે પછી તું તેનો નાશ એવી રીતે કર કે જે નાશ કે રીતે સફળ થાય, તારું સુમરણ થાય. અર્થાત જન્માંતરમાં તું સુભગ થા, એવી જાતનું "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy