SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ * કયારત્ન-કાલ : ચેરને પકડવા માટે અચલની પ્રતિજ્ઞા. મહાજનની આ વાત સાંભળીને રાજાને વિશેષ ક્રોધ ચડ્યો અને તેથી તેની અખેના પૂણ લાલચેળ થઈ જવાથી જાણે કે એ ભવનભાગ ઉપર (જ્યાં રાજા બેઠેલે છે તેની આસપાસના ભાગ ઉપર) રાતા કરેણના ફૂલે ન વેરાયાં હોય એવું ભાસ થયે, અને એ રીતે ગુસ્સે થયેલે રાજા રામચંદ્ર એમ કહેવા લાગ્યું. અહો! નગરમાં આટલી બધી અવ્યવસ્થા થઈ ગઈ છતાં મને આટલા બધા દિવસે વ્યતીત થઈ ગયા પછી આટલું બધું મિડું શા માટે કહેવામાં આવ્યું ? શું મે કદી પણ તમારા મહાજનનાં વચનથી કશું પ્રતિકૂળ કર્યું છે ખરું? અથવા પ્રજાના કામકાજમાં હું સારી રીતે નથી વર્તે એમ બન્યું છે? અથવા અનીતિ કરનાર માણસ તરફ મેં કદી બેદરકારી બતાવી છે ખરી? જેથી મને નગરની લૂંટની હકિત કહેવામાં આટલી બધી બેદરકારી થઈ? મહાજને કહ્યું. હે દેવ! તમે શા માટે એવી બેટી શંકા મનમાં આણે છે? તમારા માટે સ્વપ્નમાં પશુ અમારે કશી તેવી ફરિયાદ કરવાનું કશું રસ્થાન જ નથી. આ તે અમે ચાર વિશે ઘણું ઘણું શોધ ચલાવી છતાં તેનું સ્વરૂપ જાણવામાં ન આવ્યું ત્યારે અમને થયું કે હવે એ બાબત આપને કહીને કેવળ સંતાપ કરવા જેવું થશે અને એમ કરવાથી લાભ પણ શું? તેથી જ આપની પાસે એ વાત ન પહોંચાડી, પરંતુ એ જ્યારે અસહ્ય પરિસ્થિતિમાં આવી પડી અને હવે તે એ સહી શકાય એવું પણ ન રહ્યું ત્યારે જ આપની પાસે આવીને એ બાબત વિનંતી કરી.” હવે એ ચારને કોણ પકડી શકશે? એમ વિચારીને રાજાએ સભામાં બેઠેલા સુભટે, સામત વગેરે તરફ નજર નાખી. સામ, દંડનાયકે, સેનાપતિઓ, અંગરક્ષકો અને સુભટ વગેરે સામે રાજાએ નજર કરી છતાં જ્યારે એમાંનાં કેઈએ પણ કશું જ ન કહ્યું ત્યારે ઉભા થઈને પિલા અચલે રાજાને વિનંતી કરીઃ હે દેવી! તમે પ્રસન્ન થઈને મને આજ્ઞા કરે, મારે માટે આ કેટલુંક કહેવાય? અર્થાત્ મારે સારુ આ કામ વિશેષ કઠણ નથી. વળી આ પ્રસંગ તે પુણ્યને લીધે કેઈક જ વાર સાંપડે છે. તેણે એમ કહ્યા પછી રાજાએ તેને પાનનું બીડું આપ્યું અને કહ્યું કે-હે ભદ્ર! તું એવો પ્રયાસ કર જેથી એ ચેર જલદી જ પકડાઈ જાય. પછી અચલે રાજાને જણાવ્યું કે આજથી પખવાડિયાના છેલ્લા દહાડા સુધીમાં ચેરને ન પકડી શકું તે હું આગમાં પેસીને બળી મરું. એવી પિતાની નિશ્ચલ પ્રતિજ્ઞા જણાવીને તે અચલ રાજભવનમાંથી બહાર નીકળે. પછી ચેરની શોધ કરવા માટે એ, તરભેટાઓમાં, કે માં, સભાઓમાં, આશ્રમમાં અને દેવભવનમાં વગેરેમાં ભમવા લાગ્યું, અને તેણે સર્વ સ્થાનમાં પોતાના વિશ્વાસુ માણસને છુપી રીતે અને જાહેર રીતે ચોરની શોધ માટે ગોઠવી દીધા. એમ કરતાં કરતાં બાર દિવસ વીતી ગયા છતાં ચાર સંબંધી કંઈ સમાચાર ન મળ્યાં. એમ ખેદ પામીને અચલ વિચાર કરવા લાગ્યા. જે માણસ વગર વિચાર્યું વેણ કહે છે તેઓ આ રીતે દુઃખજનક હાલતમાં "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy