SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કે કથારન-કેપ : વિશાહદત્તનું સર્વસ્વ લઈને સહાયનું નાશી છૂટવું. શકતે નથી માટે ઘનનું ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ કરવી ઉચિત છે, એમ વિચારીને તે શેઠે ક્યાંકથી ડું પણ ધન પેદા કર્યું અને પછી પોતાના કુટુંબની બરાબર ગોઠવણ કરી અને કેટલુંક કરિયાણું લઈ તે વઈરાગર નામના (કે જ્યાં વજની ખાણ છે તે વાજીકર) દેશ તરફ ધન કમાવા ગયે. કેટલાંક પેજને આગળ ને આગળ ચાલ્યા ગયે. પછી એક સીમાડાના ગામમાં તેણે પડાવ નાખે, ત્યાં તેને જમવાને સમય થતાં તે જે જમવા બેસે છે તે જ તુરત “આ જનને સમય” છે એમ ધારી પિતાના દેવ અને ગુરુને સંભારે છે અને દેવ અને ગુરુના સમરણથીતે વૈરાગ્યને પામેલે આ રીતે વિચાર કરવા લાગે. જે સ્થળે શ્રી જિનેશ્વરનું મંદિર નથી, જ્યાં જિનેશ્વરની અર્ચના થતી નથી, દુષ્કર તપને કરનારા એવા મુનિરાજે જ્યાં વિચરતા નથી, વળી જ્યાં અધિક ગુણવાળા અને પવિત્ર બુદ્ધિવાળા સાધર્મિક જ વસતા નથી તથા જે સ્થળે કયાંય પણ આગમનાં વચન સાંભળવા મળતાં નથી. મારું મન વિવેક વગરનું થયું છે. તે મન વિરુદ્ધ સ્પૃહા કરતું અને ગુણથી જતા પામતું કેમ રહેવા ઈચ્છે છે? આ જાતની વિપરીત પ્રવૃત્તિથી ધનને પેદા કરવાના ઉપાય કરે તે મને લાગે છે કે કેઈ મેટી વિપત્તિને નેતરનારે છે. અહી જે માનનાં મન મહામહથી ઘેરાયેલાં છે તેઓ જ આ પ્રકારની વિરુદ્ધ પ્રવૃત્તિમાં જોડાય. આ હકીક્ત હું બરાબર સમજું છું છતાંય ખૂબીની વાત તો એ છે કે તેને છોડી દેવાનું મન થતું નથી કે મને એમ પણ લાગે છે કે આ જાતની ધર્મને પ્રતિકૂળ પાપમય સામગ્રીને લીધે મને મારા સમક્તિમાં પણ સંદેડ થવાને છે અને જેને પરિણામે હું મારે ધર્મ હારી જ બેસવાને છું. હા ધિક્કાર છે ! મારી અવસ્થાને વિય-પરિપાક થયે જણાય છે. આ પ્રમાણે વિચાર કરતો તે શેડ પિતાની પ્રવૃત્તિથી વિશેષ સંતોષ પામવા લાગે અને પિતાના સહાયક જનોના આગ્રહને લીધે ભજન કરીને તેણે ત્યાં જ નિવાસ કર્યો. બરાબર મધરાત થતાં જ્યારે એ શેઠ ગાઢ નિદ્રામાં સૂતા હતા તે સમયે તેનું સર્વસવ ધનમાલ વગેરે લુંટી લઈ તેના સહાયકો નાસી ગયા. જ્યારે શિયાળાની ઠંડી હવાથી થરથર કંપતે એ શેઠ સવારે જાગે અને પિતાની આજુબાજુ જોયું તે તેના દડામાં કશુંય ન આવ્યું અને વિચારવા લાગ્યું કે મારા દુર સહાયકે મને લૂંટીને કેમ નાશી ગયા ? અહો! મારું ભાગ્ય વિશેષ અવળું થયું છે, કર્મની પરિણતિ વિશેષ પ્રતિકુળ થઈ લાગે છે, મારા પાપમય ઉદ્યોગનું વૃક્ષ આમ એકદમ અકાળે જ કેમ ફળવા લાગ્યું ? ભાગ્યનું બળ ન હોય તે કઈ પ્રકારે એકલા પુરુષાર્થથી જ કશુંય સાધી શકાતું નથી, ભાગ્ય વગરને બધય ઉદ્યોગ કેવળ કાયકકર જ થાય છે માટે હવે શું હું અહીંથી પાછો વળી ઘર ભણી જાઉં? અથવા કેટલાક દિવસે અહીં જ રહી જાઉં ? અથવા આ મારે નબળાઈને "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy