________________
૫૩
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ અમદાવાદમાં મુસલમાની સુલતાનો લાવ્યા. હિંદુ સત્તાના અંત અને મુસલમાનોની ચડતીના એ વખતે, ખાસ કરીને ચૌદમા અને પંદરમા શતક લગભગમાં, એક પ્રજાકીય ઉથાન થયું જે જીવનના દરેક પ્રદેશને સ્પર્શી વળ્યું. તેનું મહત્વ હજુ પણ પૂર્ણરીતે સમજાયું નથી, કારણકે સામાજિક તેમજ ભૌગોલિક બંને દષ્ટિએ તેના પ્રત્યાઘાતે ભારતના દરેક પ્રદેશ ઉપર વિરતપણે વેરાયા હતા. મહાકાવ્યોના દિવસો જતા રહ્યા હતા. સાહિત્ય-સામ્રાજ્યમાં એ પંડિતાઈનો જમાનો હતો. અલાઉદ્દીન ખિલજીના સરદારોએ ગુજરાતને હિંદુ રાજ્યને પાયમાલ કર્યું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ તો શારદાસેવન તજી દીધું; પણ મંદિર, પ્રતિમાઓ આદિની આશાતના થવા છતાં જૈન સાધુએ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. ભભકભર્યો શિલ્પ અને પ્રયાસજનિત ભિત્તિચિત્ર માટે તે સમય ન હતો. તે સમયે પ્રજાકીય ઉત્થાન અને સંસ્કૃતિના પ્રજાવાદનો હોદ પ્રાથમિક સર્જન કરતાં વિગતોની ઝીણવટનો એ જમાનો હતો.
બેલુર, આબુ, ખજૂરાહો અને ભુવનેશ્વર આ બધાં જ તે સમયમાં પ્રવર્તી રહેલા આ સામાન્ય તત્વની સાક્ષી પૂરે છે. નાનાં છબિચિત્રોના વિના વિકાસને ઉભવ માત્ર અકસ્માત રૂપે જ નહોતો, કિંતુ તે વખતની ભાષા–અપભ્રંશ ભાષા પણું તે સર્વ દેશોમાં લગભગ એકસરખી વપરાતી હતી. એમાં સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતરે થયાં. અને આ સર્વગત ભાષા આપણું ગુર્જરદેશમાં રહીને વિકાસને પામી ગુજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી તે પણ આ જ સમયથી, નર્મદ કવિ ગુજરાતી ભાષાને પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે કહે છે કે “સંવત ૧૩૫૬ પછી મુસલમાની હાકેમીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. તેવી જ રીતે પ્રજામાં ફેલાતી સંસ્કૃતિના અવશ્ય પરિણામ રૂપે જ આ કળાનો ઉદભવ થયો છે. અતિ ભવ્ય કલ્પના અને બીજું સચવાઈ રહેલાં ચિત્રો ઉપરથી આ સ્પષ્ટ થાય છે. મોગલોને અને પાછળથી હિંદુ રાજાઓના રાજ્યાશ્રય નીચે આવતાં સુધી મેગલ સમય પહેલાનાં નાનાં છબિચવ્યાના સુંદરમાં સુંદર નમૂનાએ આપણને ઓ ‘ગુજરાતની જેનાશિત કળા'સિવાય બીજે કયાંય પણ મળી આવતાં નથી.
કાગળ ઉપર ચિત્રકામવાળી પ્રતમાં સૌથી જૂનામાં જૂની કહપસત્રની તારીખવાળી પ્રત રાવ બહાદુર શાં. હીરાનન્દ શાસ્ત્રીના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૧૨૫માં તે લખાયાની નોંધ છે. પરંતુ આપણે અગાઉ જાણી ગયા તે મુજબ તેનાં ચિત્ર પંદરમા સૈકાથી પ્રાચીન નથી જ. વિ.સં. ૧૪૭૨ની સાલની કલ્પસૂત્રની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાએટીની મુંબઈની શાખાની લાયબ્રેરીમાં છે અને તે જ સંવતની એક મત લીમડીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહમાં (લિસ્ટ. નં. ૫૭૭ની) છે; તેના પછી કપસૂત્રની એક પ્રત વિ.સં. ૧૪૮૪ (ઈ.સ. ૧૪૨૭)ની, લંડનની ઈડિયા ઓફિસમાં, ૧૧૩ પાનાની, રૂપેરી શાહીથી લખેલી છે. તે પછી વિ.સં. ૧૪૮૯માં લખાએલી વયોવૃદ્ધ આચાર્ય શ્રી જયસૂરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતને વારે આવે છે, જેમાંનાં એકવીસ ચિત્રો પૈકીનાં બે ચિત્રા નમૂના તરીકે અવે (ચિત્ર. નં. ૧૮૪–૧૯૫માં રજુ કર્યો છે. ત્યાર પછી સંવત ૧૫૨માં યવનપુર (હાલના જેનપુર)માં લખાએલી, વડોદરાના નરસિંહજીની પિળના જ્ઞાન