________________
૧૯૨
જેન ચિત્રકલ્પદ્રુમ દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળે, છ વસ્ત્રવાળે અને મલિનતાથી પિશાચ જેવો દેખાતે આ ગળે વસ્ત્ર વીટાળીને કોણ ચાલ્યો આવે છે ?'-૫,૬.
આમ વિચારી મુનિને સંબોધીને કહેવા લાગ્યા કેઃ “રે આવો અદર્શનીય (ન જેવાલાયક) તું કોણ છે ? અને કઈ આશાથી અહીં આવ્યો છે? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થએલો તું અહીંથી જ. અહીં શા માટે ઊભો છે ?' ૭,
આ જ વખતે તે મહામુનિને અનુરાગી તિન્દુકાવાસી દેવ યક્ષ જે એમને સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો–૮.
તે સમયે કેટલાક બ્રાહ્મણે પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ યજ્ઞના નામે મહા હિંસાઓને કરતા હતા તેવાઓને ઉદેશીને આ કલાક મુનિના મુખમાંથી યક્ષની પ્રેરણાદ્વારા બોલાયોઃ
“રે ! વેદોને ભયા છતાં તેના અર્થને તમે જરા પણ જાણી શકતા નથી માટે ખરેખર વાણીના ભારવાહક છે. જે મુનિપુષો સામાન્ય કે ઊંચાં કોઈઘણું ધમાં (જાતિભેદ વિના) જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે.'—૧૫.
આ સાંભળીને પંડિતના શિષ્યો ખૂબ કોપ્યા અને બ્રાહ્મણ પરિતા પણ લાલચોળ થઈ ગયા અને ઘાંટા પાડીને બોલવા લાગ્યાઃ
અરે ! અહીં કાણું ક્ષત્રિ, યજમાનો કે અધ્યાપક છે? વિદ્યાર્થીઓની સાથે મળી સૌ લાકડી અને દંડાએ આને (મુનિને) મારી તથા ગરદન દાબીને જલ્દી બહાર કાઢો.’--૧૮,
પંડિતનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારો દોડી આવ્યા અને દંડ, છડી અને ચાબુકોથી તે ઋષિને મારવા તૈયાર થયા–૧૯.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. લે. ૧૯ના વર્ણન પ્રમાણે મધ્યમાં ઊભા રહેલા હરિકેશીબલ મહામુનિને બંને બાજુથી મારવા માટે ઉપાડેલા દંડા કુમારોના હાથમાં સ્પષ્ટ દેખાય છે.
કુમાર જેવા ઇંડા લઈને મારવા જાય છે તેવામાં તે પોતાના એ શિવેને કોઈને પીઠ ઉપર તે કેને નીચે મસ્તકે પડી ગએલા, કોઈ તન કર્મ અને ચેષ્ટાવિહીન બનેલા, કોઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગએલા ડોળા અને જીભવાળા તો કોઈ ચા મસ્તકે ૮ળી પડેલા, એવી રીતે કાદભૂત બનેલા જોઈને તે યાજક બ્રાહ્મણ પોતે બહુ ખેદ પામ્યો અને પિતાની ધર્મપત્નિ (ભદ્રા) સહિત મુનિ પાસે જઈ વારંવાર વિનવણી કરવા લાગ્યું કેઃ “હે પૂજ્ય ! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરે –-૨૦-૩૦.
ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં ભદ્રાની વિનવણીનો પ્રસંગ જોવાનો છે. મુનિ કાઉસગ્નમદ્રાએ ઊભા છે. તેઓના પગ આગળ ભદ્રા બે હાથ પહોળા કરીને ઘુંટણથી નમીને મુનિની ક્ષમા માગતી દેખાય છે. ચિત્ર ૨૫૯ “મૃગાપુત્રય” નામના ઉત્તરાધ્યયનના ૧૯મા અધ્યયનના પ્રસંગને લગતું એક ચિત્ર. નરકયોનિની યાતના.