SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાલ બનવાનું શકય લાગતું નથી, પરંતુ જ્યારે પુથને પ્રક વૃદ્ધિ પામે છે, ત્યારે તે પણ હસ્તગત થાય છે. મોટાભાઈ પ્રસન્નચંદ્ર પિતાના બધુને ઘરે લાવવા માટે તયાર થયા. હાથીના સ્કંધ ઉપર રોમાંચિત ગાત્રવાળી પ્રૌઢ નવપરિણીત પત્ની સાથે બેસાડીને મહાઋતિ સહિત પોતાના મહેલમાં તેને પ્રવેશ કરાવ્યો. રાજાએ ત્યારપછી સમાન થવાની બીજી ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તેના સાથે ભોગ-સુખ ભોગવતે હતો. પિતાની પાસે કોઈ પુરુષને મેકલીને પોતાને સર્વ વૃત્તાન્ત કહેવરાવ્યા. બાર વરસ સુધી તેઓની સાથે શ્રેષ્ઠ ભેગો ભેગવ્યા પછી વટકલચીરી વિચારવા લાગ્યા કે, “સોમ. શજવિનું શું થતું હશે ? પિતાના પિતાના ચરણમાં જવા માટે એકદમ તીવ્ર ઈચ્છા થઈ, હૃદય મંથન થવા લાગ્યું, એટલે પ્રસન્નચંદ્રને પૂછયું. તે પણ પિતા પાસે આAમમાં આવવા તૈયાર થયો. ત્યાં આશ્રમમાં પહોંચ્યા. ખડા થએલા રોમાંચિત ગાવવાળો તે પિતાના પગમાં પડયા. સમર્ષિ હાથ વડે પ્રસન્નચંદ્રની પીઠ પર સ્પર્શ કરવા લાગ્યા. વલલચીરીના વિયાગથી શેક કરનાર તેના નેત્રોમાં પડલ આવી ગયાં હતાં, તેથી પગમાં પડેલા રાજાને તેણે ન દેખ્યા. હવે વકલચીરી પગમાં પડ્યું. ત્યારે વારંવાર તેને સ્પર્શ કરતા કરતા આનંદાશ્રુના પ્રવાહથી પડો ગળી ગયાં. ત્યારે પિતાએ સાક્ષાત્ પુત્રને દેખે, એટલે ઉ૯લસિત સનેહ-શૃંખલાથી બંધાએલ પિતાએ આશીવૉદ આપી લાવીને એકદમ ખેાળામાં બેસાડશે. ત્યાર પછી ત્યાંથી ઊભે થઈને ક્ષણવારમાં પિતાની પર્ણકુટિરમાં પહોંચ્યો. કેસરિકા રૂપ પિતાનું પહેલાનું ઉપકરણ જેટલામાં ઉપયોગમાં લે છે, (૭૫) તેટલામાં જાતિસ્મરણજ્ઞાન થયું અને આગલા પિતાના મનુષ્ય અને દેવો દેખ્યા જેમાં પિતે પ્રત્રજ્યા અંગીકાર કરી ઉત્તમદેવભવમાં ગયા હતા. આગલા ભવમાં ઉત્તમ પ્રકારનું શ્રમણપણું સ્વીકારી પાલન કર્યું હતું, તે સ્મરણ કરીને ઉગ વૈરાગ્યમાગને પામ્યો. કર્મમલ ગળી જવાથી ચિંતવવા લાગ્યું કે, “દેવભમાં તેવા પ્રકારના નિરંતર ભાગે ભેળવીને હવે અસાર અને કડવાં ફળ આપનાર એવા મનુષ્યના ભેગમાં મૂઢ બનીને કેમ આનંદ પામું ?” આ પ્રમાણે અત્યંત અદભુત સાચી ભાવના ભાવતાં ભાવતાં ક્ષય કરેલા મોહવાળા તેને કેવલજ્ઞાનરૂપ મહાનેત્રોની પ્રાપ્તિ થઈ. જેનાથી ત્રણે લોકના સર્વ પદાર્થો સાક્ષાત દેખાવા લાગ્યા, તેમને કેવલજ્ઞાન-મહોત્સવ કરવા માટે આવતા દેવતાના રતનવિમાન વડે તે સમયે એકદમ આકાશ પ્રકુટિલત વન સમાન બની ગયું. પંચમૃષ્ટિ લોચ કર્યો એટલે દેવતાએ તેને રહણ અર્પણ કર્યું. એટલે સમગ્ર જન તેમના ચરણકમળમાં પ્રણામ કરવા તત્પર બન્યા. સેમરાજા વગેરેને આ જાપવામાં આવ્યું, એટલે હર્ષ થી પ્રકુલિત થતા તેઓ નવીન કેવલીના પગમાં પડેલા હોવા છતાં ગુણમાં ચડિયાતા થયા. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy