SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫દેશમાળા [ ૭૩ દક્ષિણ ભારતમાં મુકુટમણિ સમાન, એકલા સુવર્ણથી બનાવેલી જાણે વિજળી હાય તેમ ચમકતી, ધન-ધાન્યાદિક સમૃદ્ધિથી યુક્ત પ્રસિદ્ધ એવી અધ્યા નામની નગરી હતી. પ્રથમ રાજા ઋષભદેવને માટે કરાવેલી, શકે મણિ-સુવર્ણાદિકથી નિર્માણ કરેલી, શિખરવાળાં મોટાં જિનચેત્યોથી મનહર દેખાતી, સમગ્ર વિલાસી લેકને નવીન આનંદ આપનાર, જાણે શ્રેણીબદ્ધ તરુણી ઉભેલી હોય, તેમ સરલ ઉંચા પિયાલ (ાયણ) વૃક્ષાની ઉજજવલ વાડીયુક્ત, હાથી જોડાએલ વાહન અને અશ્વ છેડેલ વાહનમાં બેસીને જનાર એવા ધનપતિઓવાળી, જિનમંદિરોના ઉંચા દવજદંડની દવાઓ જેમાં ફરકતી હતી, તેની ઉપર રણઝણ કરતી ઘુઘરીઓના શબ્દના બાને જે નગરી ગર્વ કરતી હોય, નિરંતર હસતી હોય તેમ જણાતી હતી. પિતાના વૈભવ વડે કરીને શકિની નગરી કરતાં પણ ગુણથી ચડિયાતી હતી. નાભિકુલકરના પુત્ર ઋષભ રાજા ઈન્દ્રની જેમ તે નગરીનું લાલન-પાલન કરતા હતા. પ્રથમ ન્યાયનીતિના ભંડાર, પ્રથમ પ્રજાપતિ, પ્રથમ લેકવ્યવહાર દર્શાવનાર તેમને નિમલ ઉજજવલ નેહાનશગિણી પત્નીમાં પ્રથમ સુમંગલા નામની અને સમગ્ર અંતઃપુરમા પ્રધાન એવી બીજી સુનંદા નામની રાણી હતી. પ્રથમ સુમંગલા દેવીએ ૬૨ એવા ભરત રાજા અને બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. જ્યારે સુનંદા પાણીએ અળવાન બાહુવાળા બાહુબલી અને સુંદરી યુગલને જન્મ આપે. ફરી સુમંગલાણીએ શીલ સમાન ઉજજવલ કરેલ જયમંગલવાળા ૯૮૨૪૯ યુગલ ભવમુક્તિગામી પુત્રને જન્મ આપ્યો. વિશ લાખ પૂર્વ કુમારવાસની ક્રીડા ભોગવી. ૬૩ લાખ પૂર્વથી અધિક કાળ સુધી પ્રભુએ મંગલ કરનારી રાજ્યલક્ષમી પાલન કરી. જ્યાં આગળ માત્ર મોન્મત્ત હાથીને જ બંધન હોય છે, દંડે માત્ર સુવર્ણના દંડવાળ છત્રમાં હોય છે, પણ ગુનેગાર દંડપાત્ર કેઈ હેતે નથી. જુગારીની દુકાનમાં પાસા પડતા હતા, પરંતુ અપરાધીને પાસ એટલે દોરડાથી બંધન ન હતું “માર” શબ્દ રમવાના સોગઠાં માટે વપરાતા સંભળાતા હતા. વેશોમાં કેશનો ભાર સંભળાતે, પણ લોકોને કલેશને ભાર ન હતું. મુનિઓનું અવલોકન કરતા હતા, પરંતુ પર–ઠારાઓને જોતા ન હતા. દેશમાં દારિદ્રય ન હતું, શ્રેષ્ઠ તરુણી વગને મધ્યપ્રદેશ બહુ પાતળો હેવાથી દારિદ્રય માત્ર ત્યાં દેખાતું હતું. ધનવંતે દાન દેતાં કુપતા કરતા ન હતા. રાજા ઉચિત દાણ (ક૨) ઉઘરાવતા હતા. ધન વડે જનની અવજ્ઞા કરતા ન હતા, લેમ ન કરતાં, દાન આપતા હતા. ત્યાં રાજ્યમાં હકાર-મકાર-ધિક્કાર રૂપ દંડનીતિ પ્રવર્તતી હતી. ત્યાં કોઈ અથી વશ માગનાર ન હોવાથી દાન આપવાના મનોરથો નિષ્ફળ થતા હતા. ૬૩ લાખ પૂર્વ સુધી લોકોને સંતોષ પમાડી નાભિરાજાના પુત્રે ભવ વધારનાર રાજ્યને ત્યાગ કરીને તરત સંયમરાય અંગીકાર કર્યું. ઋષભરાજાને ૮૩ લાખ પૂર્વ વર્ષ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy