________________
કલિકાળનો પ્રભાવ
[ ર૯ ]
માહાસ્યને તું જે. (“સ્ત્રીને આધીન થએલો પુત્ર માતાને પણ કાઢી મૂકશે. - એ મારે પ્રભાવ દેખ.)
કપૂર આદિ સમાન શીલરૂપી સુગંધવાળા સુસાધુઓનું ગુણાનુરાગી એવા શ્રેષ્ઠ શ્રાવકો ગૌરવ કરશે. શીલરહિત શિથિલવિહારી જેઓ હમણાં ધન રાખનાર ગૃહો થયા છે, તે લેકથી અવગણના પામશે. આટલા કાળ સુધી તે વિકસિત આમ્રવૃક્ષની કાંટાળા વૃક્ષોની વાડેથી રક્ષણ કરવામાં આવતું હતું, તેમ જ સજજનેનું પણ રક્ષણ કરાતું હતું, પરંતુ હવે તે સરલ ઉત્તમ શીલાદિ ગુણવાળા ધર્મ ધારણ કરનારાને દૂર કાઢીને તેમના સ્થાનકે રાજાઓએ દુર્જન અનીતિ કરનારને સ્થાપન કરેલા છે.
માટે હે રણસિંહ રાજન્ ! કલિકાળમાં આ મારી રાજ્ય સ્થિતિ છે, માટે હે વત્સ! તું આટલી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ન થજે.” આ પ્રમાણે રણસિંહ રાજાને ઠગીને એકદમ અદશ્ય થયે. રાજા અર્જુન તથા લોકો જ્યાંથી આવ્યા હતા, ત્યાં સવે પિતાના સ્થાનકે પહોંચી ગયા. કલિનાં વચન સાંભળીને રાજાએ તેની દુષ્ટ નીતિ હૃદયમાં ધારણ કરી. સ્વભાવને અન્યથા કરવા કોણ સમર્થ થઈ શકે છે? સંદેહરૂપી હિંચકા ઉપર ઝુલતે હોવા છતાં પણ પહેલાની માફક રાજ્ય પાલન કરતે હતા. તે પણ તેનું વચન દુષ્ટો વડે ખલના પમાડાતું હતું. લોકો બોલવા લાગ્યા કે–
ઘડા માફક પરિપૂર્ણ હોવા છતાં ચતુર ગવાળા હોય, પરંતુ કાનના કાચા એવા રાજાને કે વિશ્વાસમાં લઈ શકે? અવિવેકી રાજા ઉપર સમૃદ્ધિ માટે જે લાલચવાળો થાય છે, તે સમૃદ્ધિ ઉપર ચડીને દેશાન્તર જાય છે—એમ હું માનું છું.”
કલિકાળના પ્રભાવનો વિચિત્ર કજિયાને ઉપદેશ જાણુને ચપળચિત્તવાળા ભાણેજ પસિંહ રાજાને તેની અસર તળે આવેલો જાણીને તેના મામા જિનદાસ મહામુનિ વિજયપુરનગરના દરવાજા બહાર બગીચામાં વસ્તિની માગણી કરીને ત્ર-પ્રાણ-વીજરહિત સ્થાનમાં આનંદથી રોકાયા. તેમનું આગમન જાણીને રાજા આનંદ પામ્યા અને તેમને સર્વઋદ્ધિ સહિત વંદન કરવા માટે ગૌરવવાની ભક્તિથી નીકળ્યો. તે પ્રદેશમાં પહોંચીને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને બે હાથની અંજલિની રચના કરીને પ્રણામપૂર્વક સન્મુખ બેઠે.
ધર્મલાભના આશીર્વાદ આપીને તૃણ અને મણિમાં સમાનભાવ માનનાશ એવા મુનિએ મેઘના શબ્દ સરખા ગંભીર અવાજથી ધર્મદેશના આપવી આરંભી છે રાજન્ ! નિરુક્ત–નિશ્ચિત મનુષ્યપણામાં એક સાથે જન્મેલા જીવોને સુખ-દુઃખની વિશેષતા કે ન્યૂનતા તે પુ–પાપને પ્રકાશિત કરે છે. જીવ સુખ મેળવવા માટે અને દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરે છે. કર્મ આવવાનાં કારણેને અટકાવે છે, તેનાથી
"Aho Shrutgyanam