SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૫૪ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ માનિત તે પાછા આવીને સર્વ હકીકત તેને કહી. રાષાયમાન થએલે કરકંડુ શા હાથી, ઘોડા, સવ-પરિવાર અને મોટી સામગ્રી સહિત યુદ્ધ કરવા ગયા. ચંપા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. દરાજ મોટું યુદ્ધ પ્રવતેલું છે. પેલી સાધ્વીના સાંભળવામાં આવ્યું. બંને પક્ષેના લોકોને વિનાશ ન થાઓ.” એમ જાણી કકડુ પાસે આવીને. રહસ્ય ખેલી નાખ્યું. આ દધિવાહન જા તારા પિતા છે, હું તારી માતા છું. તેવા પ્રકારના પ્રસંગમાં ફસાઈ પડેલી હોવાથી હું સાવી થઈ અને ચંડાળ-પુત્ર થયો. તેણે માતા-પિતાને પૂછ્યું. તેઓએ સત્ય હકીકત જણાવી. નામની મુદ્રા અને કંબલરત્ન દેખાડયું. પ્રતીતિ થવા છતાં અભિમાનથી કહે છે કે, “મને તે મરણ થતું નથી. ત્યાર ચંપામાં પ્રવેશ કરીને રાજના મહેલમાં પહોંચી. સેવકો અને દાસીઓ સાદવને ઓળખીને રુદન કરવા લાગ્યા. રાજાને ખબર પડી એટલે આવ્યા. વંદન કરી આસન આપીને સામો બેઠે. સર્વ પૂર્વ વૃત્તાન્ત પૂછશે, એટલે અહીં આવ્યા સુધીનો સર્વ વૃત્તાન જણાવ્યું અને ખાસ કરીને ગર્ભની હકીકત જણાવી. છેવટે જણાવ્યું કે, જેણે તમને ઘેરેલા છે, તે તમારા જ પુત્ર છે, ખુશ થએ સામે નીકળ્યા અને મળ્યો. રાજાએ તેને બંને રાજ્ય આપીને પોતે દીક્ષા અંગીકાર કરી. કરકંડુ પ્રચંડ આજ્ઞા કરનાર રાજા થયે. તે ગોકુલપ્રિય હોવાથી તે અનેક ગોકુળો પળાવે છે. એક સમયે શરદકાળમાં ગોકુળમાં ગયે, ત્યારે તેણે ગંગાનદીના તરંગના ઉજજવલ ફીણ સમાન વાવાળા વાછરડાને દેખે. તેને બહુ ગમી ગયે, એટણે આજ્ઞા કરી કે, તેની માતાને દેહવી નહિ. જ્યારે માટે થાય અને વધારે દૂધ પાવતે થાય, ત્યારે બીજી ગાયોને પણ ધવશવ. તે પ્રમાણે ગોવાળે તેનું પાલન-પોષણ કરતા હતા. તેને ઉંચા શીંગડાં, પુષ્ટ ખાધ આવી એટલે મજબૂત બળદ થયો. રાજા તેને યુદ્ધ કરાવી દેખતે હતે. અને તેમાં અતિશય આનંદ માનતે હતે. ફરી લાંબા કાળે જઈને તે બળદને દેખે છે, ત્યારે વૃદ્ધપણાના કારણે ખખડી. ગએલો જેના નેત્રોમાંથી પાણી મળી રહેલું છે, વાછડા જેને શીંગડાં મારીને અધમૂવ કરી નાખે છે. હવે રાજા ગોવાળાને પૂછે છે કે, પેલે પુષ્ટ થએલે બળદ કયાં છે ત્યારે તેને બતાવ્યો. તેને દેખીને વિષાદ પામેલા ચિત્તવાળે તે વિચારવા લાગ્યો કે, “આ સંસારની અસારતાને ધિક્કાર થાઓ. જે વાછરડાને ત્યારે તેવા પ્રકારની શરીર-સંપત્તિ પમાડી હતી. અત્યારે તે બિચારા સર્વ આપત્તિઓનું સ્થાન બન્યા. “મનુષ્યોને વૃદ્ધાવસ્થામાં ચામડીઓમાં સર્વત્ર કરચલીઓ પડી જાય છે, બંને નેત્રોની શોભા ઉડી જાય છે, આંખનું તેજ ઘટી જાય છે, અર્ધા મસ્તકના કેશ છે ચિતાની ભમ કેમ હોય, તેવા વર્ણવાળા ભુખરા થઈ જાય છે. ઘડિયાળના લક માફક દાંત લટકતા અને પડી ગએલા હોય છે, મુખમાંથી લાળ વારંવાર ગળ્યા કરતી હોય છે, ઉધરસને શબ્દ અતિશય થયા જ કરતો હોય છે. જે મનુષ્યની આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy