SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રસિંહ કયા [ ૧૭ ] કરીને કહ્યું કે, “હે પ્રત્યક્ષ શીતલહમી! હું પાપી આજ્ઞા ઉઠાવનાર કર્મચંડાલ થયે છું.” “હે સંપુરુષ! પિતાના માલિકની આજ્ઞા બજાવનાર તારો આમાં છે દોષ? પત્થર અથવા તે સેવક ત્યાં જ ફેકે છે કે, જ્યાંનું સ્થળ ચિંતવાયું હોય. તરવ સમજનારાઓએ પ્રભુનું પરવશપણું, અન્નની આસક્તિ, પ્રદેશનાં દર્શન અને ચાકરીથી આજીવિકા કરવી આ વસ્તુઓને ઉચિત કહી નથી. હવે નિભંગિણી એવી હું એક વચન કહેવું છું, તે તેમને કહેજે કે, “મારા અને તમારા કુલને પ્રેમ છે, તેમાં તમે કેને અનુરૂપ આ કાર્ય કર્યું?” રુદન કરતી તે રથનો ત્યાગ કરીને એક વડવૃક્ષ. નીચે બેઠી. તેઓ પણ જુહાર કરીને રથ લઈને પિતાના સવદેશ તરફ ચાલ્યા. દેલ અહિત કાર્ય કરે, તે સુખેથી તેના ફળ સહન કરવા માટે સામ મેળવી શકાય છે, પરંતુ ખોટા કલંક વડે કરીને પ્રિયાને પરદેશને પ્રવાસ કરવું પડે. આ આ પાપ-કુલેશ દુસ્સહ છે. હે શ્વેત અને શ્યામ કાર્ય કરાવનાર તું મને આજે જ આ પ્રમાણે પ્રવાસ કરાવે છે. ક્ષણમાં રાગી ક્ષણમાં વિરાગી થનાર મનુષ્યને નમસ્કાર થાઓ. હે માતા! તમે અહિં જલદી આવે, પહેલાં આ વત્સા ઉપર તું વસ્ત્રયવાળી હતી. અસામાન્ય દુઃખ-દાવાનળમાં બની રહેલી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા હે. માતાજી! તમે અહિં ન આવશે. કારણ કે, “આ શૂન્ય અરણ્યમાં મારું દુઃખ દેખવાથી તમારું હૃદય ફાટી જશે. હે પિતાજી! હું કુમારી હતી, ત્યારે તમને મારા વરની ચિંતા હતી, પરણાવ્યા પછી સાસરા પક્ષના વચન-પ્રહારની પીડા, અત્યારે તે હું આવા સંતાપ કરાવનારી થઈ છું. હે રાજન! હું સારી રીતે અનેક વખત પરી. ક્ષિત શીલવાળી પ્રાણપ્રિયા હતી, તે કોઈક દુબુદ્ધિ ભૂત-રાક્ષસનો આ પ્રપંચ જણાય. છે. અપયશના કલંકથી મલિન થએલી હુ પિતાના ઘરમાં પ્રવેશ કરીશ નહિ, અષધિના પ્રભાવથી પુરુષ બનીને ઈચ્છા પ્રમાણે રહીશ. કારણ કે, સીઓમાં લાવણ્ય, મધુરતા આદિ ગુણો હોવાથી સ્વાભાવિક રીતે તે પ્રાર્થના કરવા યોગ્ય ગુણવાળી હોય છે. પાકેલી આંબલીના ફળની માફક જગતના મનુષ્યની વાંછા વૃદ્ધિ કરનાર ીઓ હોય છે. તમાલ, તરુણીઓ, ચંદ્ર, તળાવનું પાણી કોના મનને હરણ કરતું નથી ? એવો કોણ છે કે, આ પદાર્થોને ન માણે? પ્રાણના ત્યાગમાં પણ મારે મા શીલનું રક્ષણ કરવાનું છે. આને વિનાશ થાય, તે આ લેક કે પરલોક બંને બગડે છે.” શીલ એ શાશ્વતું ધન છે, પરમ પવિત્ર અને નિષ્કપટ-હિતેષી મિત્ર છે, ઉત્તમ કીતિ માટે અને મુક્તિ-સુખ મેળવવાના સાધનભૂત હોય તો આ શીલ છે. ધન વગરનાને આ શીલ ધન છે, આભૂષણ હિત હોય, તેને શીલ રમે મોટું આભૂષણ છે, પરદેશમાં પણ પિતાનું ઘર અને સવજન રહિત હોય, તેને શીલા એ સ્વજન છે.” શીલ વ્રતના પ્રભાવથી વાલાણીથી ભયંકર અગ્નિ હોય, તે પણ હિમ સરખો શીતલ બને છે, નદી બંને કાંઠા એકઠા થઈ માર્ગ આપે છે, પાતાળ કૂટીને જળ પર્વત ઉપરની નહી. વહેવા લાગે, સિંહ, હાથી, યક્ષ, રાક્ષસ, સર્ષ ઉલંઘન કરતા નથી, નિર્મલ શીલના. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy