SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ બલદેવ મુનિ અને મૃગની કથા [ ૩૩૫ ] -વગરના ગાંડા સરખા ચિત્તવાળા થયા છે. પૂર્વ ભવમાં તેમની પાસે દીક્ષાની રજા મેળવતાં પ્રતિબંધ કરવા આવવાના સંકેત કરેલ હતા, તે અત્યારે કોઈ પણ પ્રકારે મારે તેમને પ્રતિબંધ કરવું જ જોઈએ.” આ પ્રમાણે પ્રતિબોધ કરવાના ઉપાય કરે છે–એક જગા પર ખેડૂતનું રૂપ વિકુને તથા ઘરડા બળદ જોડીને અતિવિષમ એવા પર્વત ઉપર તે હળથી ખેતી કરતા હોય તેમ બતાવ્યું. વળી ખરાબ ખાડા-ટેકરાવાળી ભૂમિમાં રથ બરાબર સીધે ચલાવ્યો અને સરખી ભૂમિમાં માટી શિલા સાથે અફળાઈને તેના સે ટૂકડા થઈ ગયા અને તેને સાંધે છે. એટલે તેને બહાએ કહ્યું કે, “આટલી શિલામાત્રમાં આના ચૂરેચૂરા થઈ ગયા, હવે તેવા રથને તું સજજ કરવા બેઠે, તે તું ખરેખર બીજાને હાપાત્ર બને છે. ત્યારે દેવે કહ્યું કે આ તારો મરેલો ભાઈ જીવતે થશે, તે આ મારું ગાડું-થ પણ સજજ થઈ જશે.” આ સાંભળીને રાષાયમાન થએલ રોહિણીપુત્ર-અલદેવ આગળ ચાલ્યા. અને અબડતા ગયા કે, “અરે દુર્મુખ ! આવા અપમંગલ શબ્દો કેમ બોલે છે ? કોઈક પાકી શિલા ઉપર કમળ પતે તે, તેવા દેવને આગળ જોયે, ત્યારે દેવને હાસ્ય કરીને ઠપકો આપ્યો. ત્યારે દેવે પણ બલરામને આગળ માફક કહ્યું. વળી દેવે બીજા કોઈ સ્થાનમાં લાંબા સમયથી મરી ગએલી ગાયનાં હાડકાં એકઠાં કરીને તેને ખાવા માટે લીલી ચારી આગળ મૂકે છે, તેમ જ તેની આગળ પીવા માટે પાણી મૂકે છે. (૩૦) એક સ્થાને મોટી આગમાં સર્વથા બળીને અંગારરૂપ થએલ મહાવૃક્ષને જ્યારે કરી તેને જળથી સિંચે છે. એક સ્થાને હાથીના મૃતકને યુદ્ધ કરવા માટે સ્થાપન કર્યું. સેના સજજ થઈ એટલે હાથમાં અંકુશ લઈને મહાવત તેને ઊઠાડે છે. દરેકમાં બળરામ ઠપકો આપ્યા, ત્યારે દેવે તે જ ઉત્તર આપ્યો. હવે બળદળ પણ મનમાં ચિંતવવા લાગ્યા, તેમ જ ચમત્કાર પણ પામ્યાં અને કંઈક પ્રતિબોધ પામ્યા. આવા શૂન્ય અરણ્યમાં આ પ્રમાણે બેલનાર કોઈ મનુષ્ય ક્યાંથી હોય? માટે આમ કંઈ પણ કારણ હોવું જોઈએ.” આમ તેણે વિચાર્યું. ત્યારે પ્રથમ અતિચપલ કુંડલાદિક આભૂષણવાળું દેવનું રૂપ પ્રગટ કર્યું. હાર, અહંકારથી શોભતા હૃદયવાળા દેવને બળરામ નમસ્કાર કર્યો, “તે મારા પર અતિનેહવાળો આ હળધર-બળદેવને સિદ્ધાર્થ સારથી હો જોઈએ. તેને ઓળખીને બે હાથ જોડી અંજલિ કરી તેને પૂછવા લાગ્યા. “હે વત્સ! આશ્ચર્ય, તું સિદ્ધાર્થ હતા, તે દેવ થયા છે કે શું? દેવે પણ વ્રત-પાલનના પ્રભાવથી મારી ક૫માંદેવલોકમાં ઉત્પત્તિ થઈ છે. આગળ બલરામ સાથે જે સંકેત કર્યો હતો, તે વાત યાદ કરાવી અને વિશેષમાં દેવે રામને કહ્યું કે, કૃષ્ણ વૃક્ષ-છાયામાં સુતા હતા, ત્યારે સુવર્ણ સરખી કાંતિવાળા એક હરણિયાના બ્રમથી જરાકુમારે બાણ ફેંકર્યું અને કૃષ્ણ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy