SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સુનક્ષત્ર મુનિની કથા [ ૩૧૯ ] હે ભગવંત! હું ગોશાળાની પ્રાણ-પરિયાવણિયા ગોશાળા મતની ઉત્પત્તિ સાંભળવાની ઈચ્છા રાખું છું. જેવી રીતે આવશયક સૂત્રમાં ઉપસર્ગના પ્રસંગે કહેલ છે, તે પ્રમાણે તેની સર્વ હકીકત જણાવી. “હે દેવાનુપ્રિય! તેથી કરીને શાળા પિતાને જિન કેવળી કહેવરાવે છે, તે સર્વથા મિથ્યા-બેઠું છે. પરંતુ જે વળી મહાવીર જિન કેવલી તીર્થકર છે, તે સત્ય હકીકત છે. ત્યારપછી આ હકીકત ઘણા લોકો પાસેથી સાંભળી અતિશય કેવી ઉગ્ર રવભાવવાળે હલાહલા કુંભકારની શાળાથી આજીવિક સંઘ સાથે પરિવારે ત્યાંથી નીકળી ભગવંતના આણંદ નામના શિષ્ય જે, છઠ્ઠના પાણે છઠ્ઠ કરતા ગેરરી માટે શિક્ષા મણ કરતા હતા, તેમને દેખીને તે આ પ્રમાણે કે – “હે આણંદ ! તું અહિં આવ. મારી એક વાત સાંભળ. તમારા ધર્માચાર્ય મહાવીર મારી વિરુદ્ધ બાલે છે. જે હવે પણ તેઓ ફરી આ પ્રમાણે બાલશે, તે હું ત્યાં આવીને તમે સર્વને બાળીને ઉંમરૂપ બનાવી નાખીશ. પરંતુ માત્ર તમને બચાવીશ. આ પ્રમાણે તમારા ધમાંચાર્યને તમે કહેજે. ત્યારપછી આણંદ શિષ્ય આ સાંભળીને શક્તિ થયો, ભય પામ્યા, ત્યાંથી નીકળી ભગવંતની પાસે આવી વંદન કરી સર્વ હકીકત નિવેદન કરી. અને પૂછ્યું કે, “હે ભગવત શું ગોશાળ સર્વને બાળીને ભસ્મીભૂત કરશે ખરો?” ત્યારે ભગવતે કહ્યું કે, “હે આક! જો કે ગાશાળે ભસ્મરાશિ કરવા માટે સમર્થ છે, પરંતુ અરિહંત ભગવંતો પણ તેમને તેવા પ્રકારનો પરિતાપ-ઉપસર્ગ કરવા માટે સમર્થ હોય છે. ગોશાળાની તેજે રયા કરતાં અનંતગુણ વિશિષ્ટતા અરિહંતની તેજેશ્યા હોય છે, પરંતુ અરિહંત ભાગવંતે ક્ષમાના સમુદ્ર હોવાથી કોઈને પણ પ્રતિકાર કરતા નથી. માટે હે આણંદ! તું જા અને ગૌતમ વગેરે સાધુઓને આ વાત જણાવ કે, “અહિં ગોશાળે આવે ત્યારે - તમારે કોઈએ પણ ગશાળા સાથે ધાર્મિક પ્રેરણા, પ્રતિપ્રે૨ણ ન કરવી. આણંદ સાધુએ કહ્યા પ્રમાણે સર્વ સાધુ ભગવંતની આજ્ઞા જણાવી. એટલામાં ગોશાળો જયાં ભગવંત હતા, ત્યાં જ આવી લાગ્યો અને ભગવંતની સામે ઉભો રહીને આ પ્રમાણે બોલવા લાગ્યો– “હે કાશ્યપ! તમે આ પ્રમાણે બેસીને મને - હલકે પાડયો છે કે, જે આ ગોશાળ સંખલિપુત્ર માટે જ શિષ્ય અને મારી પાસેથી જ શિખેલે છે. ત્યારપછી મહાવીર પ્રભુને ઉંચા સવારથી હલકા શબ્દોથી, તિરસ્કારથી અપમાન કરવા પૂર્વક એમ બોલવા લાગ્યા કે– “તું આ જ નાશ પામે છું, વિશેષ પ્રકાર વિનાશ પામીશ, હવે તું હઈશ નહિ.” ત્યારપછી મહાવીર ભગવંતના અંતેવાસી સર્વાનુભૂતિ નામના શિષ્ય-સાધુ પિતાના ધમાચાર્યના ભક્તિ-- અનુરાગથી આ વચન -ન સહેવાથી ત્યાં આવીને એમ બોલ્યા કે– ‘તું જ વિનાશ પામ્યો છે, તે ગોશાલક! "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy