SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નદિષેણ મુનિની કથા [ ૨૪૫ ] દેવને પતિ મેળવવા માટે પ્રાર્થના કરતી હતી, તે વસુદેવને ફળ મળેલું હેય તે, આગલા ભવમાં કરેલા તપગુણનું ફળ છે. એટલે કુલની પ્રધાનતા નથી, પણ ગુણની પ્રધાનતા ગણેલી છે. વસુદેવના પૂર્વભવમાં થએલા નદિ મુનિની કથા કહે છે – વસુદેવના પૂર્વભવ નંદિષેણમુનિની કથા– મગધ દેશરૂપ મહિલાના કીડારવરૂપ શાલિગામમાં ગૌતમગાવવાળો કામદેવના રૂપ અને કાંતિ સમાન એક વિપ્ર હતું. તેની પત્નીને ગર્ભધારણ કર્યા છ માસ થયા એટલે પિતા, અને પુત્ર જન્મે એટલે માતા પણ મૃત્યુ પામી. “બાળકને માતાનું મરણ, યોવનવયવાળાને ભાર્યા-મરણ, વૃદ્ધ વયવાળાને પુત્રનું મરણ આ ત્રણે મોટા દુખે કહેલાં છે.” પોતાના સમગ્ર રવજનોથી રહિત એવો પણ જે આ જીવે છે, તે “ન ઘટી શકે તેવાં કાર્ય ઘડનાર દેવ-ભાગ્યને પિતાને વ્યાપાર છે. તેના અશુભોદય કમની સાથે તે છોકરી સર્વ લોકોને પણ અળખામ થઈ ગયો. તેના પિતાની પાછળ ઘરની સમૃદ્ધિ પણ ચાલી ગઈ, અનુક્રમે આઠ વર્ષની વયને થયે, ત્યારે જાણે ટીપેલા હોય તેવા વિષમ પાદયુગલવાળે, દુંટીની સૂંઢ બહાર નીકળેલી હોય તે, અતિકઠણ ઘણા મોટા પેટવાળા, માંસ વગરને, પ્રગટ હાડકાં દેખાતાં હોય તેવા વક્ષસ્થલવાળે, વિષમ વાંકી બાધાએવાળે, લટકતા વિષમ હેઠવાળો, અતિચબા મોટા છિદ્રયુત નાસિકાવાળા, ઝીણી ચપટી કેકા-કાણી દષ્ટિવાળ, ટોપરા જેવા કાનવાળ, ત્રિકોણ મસ્તકવાળ, માખીઓ જેના ઉપર બણબણ રહેલી છે એવો કસ્તૂપે તે પૃથ્વી પીઠમાં ભીખ માટે ભટકતો હતે. મગથપુરીમાં ભમતાં ભમતાં તેને પિતાના મામા મળી ગયા. ત્યાં ઘરનાં કાર્ય કરવા લાગ્યો, જેથી તેના મામા ગૃહકાર્યમાં નિશ્ચિત થયા. અતિસુખી સજજન લોકો પણ સ્વભાવથી દુર્જન લોક અને નગરજનોએ તેને આડું-અવળું મામાથી વિરુદ્ધ સમજાવી ઉભગાવ્યા. વચન-પરંપરારૂપ શેખ અને પારકી પંચાતરૂપ ગોર-દૂરથી તૈયાર થયેલ ગળી રાબડીને રસ કેઈ અપૂર્વ પ્રકાર હોય છે ! તે બિચારા ભાણિયાને પાડોશી અને બીજાએ ચડાવીને ભરમાવે છે કે, “હે ગરીબડા ! અહિં તારું કંઈ વળવાનું છે ? માત્ર કામ કરીને તેને ખાવાનું આપે છે. બીજી નોકરને લાવે, તે તેને આજીવિકા–પગાર આપવો પડે, તું તો મફતિયું કામ કરનાર ઠીક મળી ગયા છે. - તને તો કશુંય આપતા નથી. લોકોએ આમ સમજાવ્યું, એટલે એનું મન કામ કરવામાં પાછું પડયું. મામાના ઘરના કાર્યમાં પૂરતું ધ્યાન આપતો નથી. મામાને વૃત્તાતની ખબર પડી, એટલે સમજાવ્યો કે, “લોકોના કહેવા ઉપર પ્રધાન ન આપીશ. તારા માટે મને દરેક પૂરી ચિંતા છે. મારે અતિશય રૂપવાળી આ ત્રણ પુત્રીઓ છે, તેમાંથી માટીનું લગ્ન તારી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy