________________
જેન ચિત્રકલ્પદ્રુમ ગ્રંથસંધનનાં સાધને પુસ્તકસંશોધનનાં સાધનોમાં પછી, હરતાલ, સફેદ, ઘેટ, ગેરુ, દેરો વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંની બનાવટ અને ઉપગને નિર્દેશ આ નીચે કરવામાં આવે છે?
પછી આજકાલ આપણા જમાનામાં, ચિત્રકામમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની ઝીણી-જાડી નાની-મોટી જુદીજુદી જાતના વાળની બનેલી જોઇએ તેવી પીછીઓ જેમ તૈયાર મળે છે તેમ જૂના જમાનામાં ન હતું, એટલે એ પીછીએ હાથે બનાવવામાં આવતી હતી. આ પીછીએ ખાસ કરીને ખિસકોલીના વાળની જ બનતી હતી. ખિસકેલીના વાળ એકાએક સડી જતા નથી તેમજ એ કુદરતી રીતે જ એવા ગોઠવાએલા હોય છે કે તેને નવેસર ગેહવવાની જરૂરત રહેતી નથી. એ વાળ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા લઈ કબૂતરના પીછાના ઉપરના પિલા ભાગમાં પરોવી પીછી તૈયાર કરવામાં આવે છે. જે પછી જાડી બનાવવી હોય તો મોર વગેરેના પીછાને ઉપરનો ભાગ લેવામાં આવે છે. આ વાળને પીછામાં પરોવવાની રીત એ છે કે વાળને પાછળના ભાગમાં દોરાથી મજબૂત બાંધી. દેરાના છેડાને અણી તરફ રાખી, ગુંદરથી ચૂંટાડી, એ દોરાને પીછામાં પરોવવાથી વાળ સહેલાઈથી બહાર આવે છે. વાળ બહાર આવ્યા પછી વધારાના દોરાને કાપી નાખવામાં આવે છે.
હરતાલ હરતાલનું સંસ્કૃત નામ પિતા છે. એ દગડી અને વરગી એમ બે જાતની હોય છે. આ બે પ્રકાર પૈકી વરણી હરતાલ” જ પુસ્તકસંશોધન માટે ઉપયોગી છે. આ હરતાલનાં અબરખની જેમ પડ ઉખેડતાં વચમાં સોનેરી વગના જેવી પતરીઓ દેખાતી હાઈ એને “વરગી હરતાલ” એ નામથી ઓળખવામાં આવે છે. આ હરતાલને મેંદાની જેમ ખૂબ ઝીણી વાટી મજબૂત કપડાથી ચાળી તૈયાર કરવી. એ પછી તેને ખરલમાં નાખી તેમાં સ્વચ્છ બાવળના ગુંદરનું પાણી નાખતા જવું અને ખૂબ ઘૂંટતા જવું. એકરસ થયા પછી વરતાલમાં ગુંદરનું પ્રમાણ વધારે પડતું ન થઈ જાય એ માટે, અમે અગાઉ હિંગળાકની બનાવટમાં જણાવી ગયા છીએ તેમ, હરતાલની પરીક્ષા કરતા રહેવું. આ રીતે હરતાલ તૈયાર થઈ ગયા પછી તેની હિંગળકની જેમ વડીઓ કે પતરીઓ પાડી લેવી.
સફેદે રંગવાને માટે જે તૈયાર સફેદે આવે છે તેમાં ગુંદરનું પાણી નાખી ઘૂંટવાથી એકરસ થતાં એ તૈયાર થાય છે. હરતાલ કરતાં સફેદાની બનાવટ અ૫ જ નહિ પણ અલ્પશ્રમસાધ્ય છે એ ખરી વાત છે; તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સફેદા કરતાં હરતાલ વધારે ટકાઉ હોવા ઉપરાંત એનાથી સુધારેલા ગ્રંથાના સૌંદર્યમાં વિશિષ્ટ ઉમેરો કરનાર પણ એ છે.
ઘટે અગાઉ અમે નિવેદન કરી ગયા છીએ કે કાગળને મુલાયમ બનાવવા માટે અકીક, કસોટી