SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૭૯ એ પાઠભેદના થોડા પ્રકારો આ નીચે અમે આપીએ છીએ? ૧ પ્રમ-કસવ, ૨ તવ-ભૂજન, રે --પ્યથા, ૪ પ્રત્યક્ષતોવખ્યા–રત્યક્ષોધળ્યા, ५ नवा-तथा, ६ नच-तव, ७ तद्वा-तथा, ८ पवत्तस्स-पवनस्स, ९ जीवसात्मीकृतं-जीवमात्मीकृतं, ૧૦ - તુષ્ટ્રિ, 9 નવંતદેવ, ૧૨ રાળિ–ારિવારિ-વિનિ, ૧૨ - क्खेविया-दोहलक्खेदिया, १४ नंदीसरदीवगमण संभर जिणमंडियं-नंदीसरदीवगमणसंभवजणमंडियं-नंदीसरदीवगमणं संभवजिणमंडियं, १५ घाणामयपसादजणण-घणोगयपसादंजणण, १६ गयकुलासपण.-रायकुलासण्ण, ૧૭ સર્વ-વૈ સદં, ૧૮ વિરાળકવિહૃારા વિ જન-વિજૂદાળગઇવર વિના ઇત્યાદિ. ૨ લેખકને પડિમાત્રાવિષયક ભ્રમ કેટલાક લેખકે કાનાનો અને પડિમાત્રાન-પૃષ્ઠમાત્રાનો ભેદ સ્પષ્ટપણે નહિ સમજી શકવાને લીધે ઘણી વાર માત્રાને બદલે કાને અને કાનાને બદલે માત્ર લખી દે છે. આથી અશુદ્ધ પાઠ કે શુદ્ધ પાઠનો આભાસ આપતા ભળતા પાઠ બની જતાં ઘણી વાર પુસ્તકોમાં ભારે ગોટાળા ઉભા થઇ જાય છે, જેને કાળાંતરે શુદ્ધ કરવામાં કે એ પાઠના અર્થની સંગતિ કરવામાં વિદ્વાન શધકાને ધણી જ મુશ્કેલી અનુભવવી પડે છે—જિલ૦ચમઢપત્યો - સચવામपत्थपाणी, तारानिकर-तरोनिकर-तमोनिकर, आसरासीओ-असेरासीओ-असेसरासीओइत्यादि ૩ પતિતપાઠસ્થાન પરાવર્તન કેટલીકવાર પ્રતિઓમાં પડી ગએલા પાઠને ધકે બહાર કાઢયો હોય તેને લેખક, પંક્તિસૂચક સંકેતને ન સમજી શકવાને લીધે અથવા પંક્તિની ગણતરીને ભૂલી જવાને કારણે એ બહાર કાઢેલ પાને એકને બદલે બીજી પંક્તિમાં દાખલ કરી દે, એથી ગ્રંથોમાં ઘણી વાર ગોટાળા થયાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ૪ ટિપ્પન પ્રવેશ કેટલીક વાર પુસ્તકના સંશોધકે કોઈ પાઠભેદ કે કઠિન શબ્દને પર્યાયાર્થ-ટિપ્પન લખ્યું હોય તેને લેખક મૂળ ગ્રંથમાં દાખલ કરી દે એથી પણ પુસ્તકમાં ગરબડ મચી જાય છે. ૫ શબ્દપંડિત લેખકેને કારણે કેટલાક લેખકો રાતદિવસ ઘણું પુસ્તકો લખવા આદિને લીધે અમુક શબ્દથી પરિચિત હોઈ પુસ્તકમાં ભળતે સ્થાને અણધટતો ફેરફાર કરી લખે છે એથી પણ અશુદ્ધિઓ અને પાઠભેદે ઘણા વધી પડે છે અને તે કઇકોઈવાર તો શોધના સંશોધનકાર્યમાં ઘણું જ હરકત ઊભી કરે છે. ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા લેખકે લખતાં લખતાં ભૂલથી અક્ષરોને કે શબ્દોને ઉલટાસુલટી લખી નાખે એ કારણથી પણ લિખિત ગ્રંથમાં અશુદ્ધિઓ અને પાઠાંતરે વધી પડે છે, રા-.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy