SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ટીકા કે ટો લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે–વિભાગે અથવા ત્રણ પાઠે તે લખાતું હોવાથી, ત્રિપાટ' અગર ‘ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર ને, ૧૪). પંચપાટ કે પંચપાઠ જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા બે બાજુના હાંસિયામાં તેની ટીકા કે ટબાર્થ લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમાં, ઉપર, નીચે અને બે બાજુના હાંસિયામાં એમ પાંચ પટે–વિભાગે અથવા પાંચ પાઠે તે લખાતું હોવાથી, “પંચપાટ’ અથવા ‘પંચપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૫). શૂડ કે જે પુસ્તક હાથીની શુડની-સુંઢની પેઠે મૂળ સુત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતને વિભાગ પડવ્યા સિવાય સળંગ લખવામાં આવે તેને “શડ” અથવા “ઢ” પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથ લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપ્પણી હાય. જે ઉપર ટીકા ટિપણી નથી હોતી તે “ફૂડ પે જ લખાય છે, પણ તેને માટે “ડ' શબ્દનો પ્રયોગ થતો નથી. “ડ' શબ્દનો પ્રયોગ સળંગ લખાએલા ટીકાત્મક ગ્રંથ માટે જ થાય છે. મૂળરૂ૫ ગ્રંથ સદા એ સાંગ એકાકારે લખાતા હોઈ એને માટે ત્રિપાટ, પંચપાટ આદિ પૈકીના કોઈ સંકેતને અવકાશ જ નથી. ત્રિપટ-પંચપાટરૂપે પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારંભથી ચાલુ થઈ છે. તે પહેલાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેનાં પુસ્તકે જુદાં જુદાં જ લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદી જુદી પ્રતોમાં નજર નાખવી પડતી હતી. ચિત્રપુસ્તક ‘ચિત્રપુસ્તક' એ નામ સાંભળી, પુસ્તકમાં ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રોની કલ્પના કોઈ ન કરી લે. ‘ચિત્રપુસ્તક એનામથી અમારે આશય મુખ્યત્વે કરી લખાણુની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રોથી છે. કેટલાક લેખકે પુસ્તક લખતાં અક્ષરેની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છેડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ, વજ, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, કલોક, ગાથા વગેરે આપણે જે વાંચી શકીએ. (જુઓ ચિત્ર ને. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકે ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂતાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અમુક અક્ષરને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રકૃતિઓ તેમજ નામ, લેક વગેરે જોઈ શકે. આ ઉપરાંત કેટલાક લેખકે પુસ્તકની વચમાં જ્યાં કાણાં પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યાં અને બે બાજુના હાંસિયાના મધ્ય ભાગમાં, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાનો ન હોય ત્યારે ત્યાં હિંગળક, હરતાલ, વાદળ આદિ રંગથી મિશ્રિત ફલ, ચોકડી, કમળ, બદામ આદિની વિવિધ આકૃતિઓ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy