SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રફિકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમાં એ સંપ્રદાયના સાહિત્યનો સંગ્રહ પિતાનાં પુસ્તકાલયમાં કર્યો છે, જ્યારે દિગંબર આચાર્યોએ જૈનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેનો ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયોગ કરો તેમજ પિતાના ગ્રંથાલયમાં એ સાહિત્યનો છૂટથી સંગ્રહ કરે વગેરે તો દૂર પરંતુ સ્વસમાન વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પિતાને ત્યાં એ ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયોગ કરવો કે છેવટે અનેક દષ્ટિએ એ સાહિત્યનો સંચય કરવો એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ પોતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગંબર સાહિત્યનો ઉપયોગ કર્યો છે તેના શતાંશ જેટલો યે દિગંબરાચાર્યોએ પોતાના સાહિત્યમાં શ્વેતાંબરીય સાહિત્યને ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દૃષ્ટિએ ઉપયોગ કર્યો નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે વેતાંબરીય સાહિત્યને પોતાના જ્ઞાનભંડારોમાં સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણ છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારોમાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકને સંગ્રહ છે, જ્યારે દિગબરીય જ્ઞાનભંડારમાં વેતાંબરીય પુસ્તકો ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઈએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાને ફાળો ગમે તેટલો વિશાળ હોય તેમ છતાં ગૂજરાત વગેરેમાં તેમને ફાળે લગભગ નથી એમ કહેવામાં જરા યે અણધટતું કે વધારે પડતું નથી. ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દૃષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દષ્ટિએ - તાંબર મૂર્તિપૂજક જૈનેના જ્ઞાનભંડારમાં જે અને જેટલી વિવિધતા તેમજ અપૂર્વતા પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલાને બાદ કરી લઈએ તે બીજે કયાં એ નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યેન હતી, એનો ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક લેખનકળા, પુસ્તક-સંશોધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારોના સંરક્ષણની કળાને અને એ દરેકને લગતા વિવિધ પ્રકારનાં ઉપકરણો તેમજ સાધનો જે પ્રાચીન મહાન વારસો છે,–જેને વિસ્વત પરિચય અમે અમારા “જૈન લેખનકળા” વિષયક આ નિબંધમાં આપ્યો છે--- એ ઉપરથી સહેજે આવી શકશે. પ્રસ્તુત નિબંધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલોકનને પરિણામે જૈન લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતો એ ભારતીય લેખનકળામાં અતિ મહત્વનું અને બેનમૂન સ્થાન મેળવનાર હતો. આજના મુદ્રણયુગમાં ઓસરતી જતી લેખનકળાના જમાનામાં પણ વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલો આદર--પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિર્દેશ પૂરતા છે કે ચાલુ છેટલી સદીમાં જૈન મુનિઓ, જૈન યતિઓ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તકો લખ્યાં-લખાવ્યાં છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તક લખાયે જાય છે. એ જ
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy