________________
WWXWWWUWW909
પ્રાકથન
પ્રસ્તુત ‘જૈન ચિત્રકળા' વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતો વિસ્તૃત નિબંધ જોઈ
સૌકોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા' વિષયક ગ્રંથમાં “લેખનકળા’ વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હોવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જૈન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્ર છે. એ ચિત્રની ચિત્રકળાનો વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએ હાઈ “જૈન ચિત્રકળા’ વિષયક આ પુસ્તકમાં જૈન લેખનકળા' વિષયક વસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે.
જૈન લેખનકળા વિષયક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાને અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગેને જેટલો બને તેટલે ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે, એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જૈન ધર્માનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલો હોવા છતાં અમારે આ લેખ અમે વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાન ભંડારેને લક્ષમાં રાખીને જ લખેલો છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન હોઈ તેમજ ફક્ત જૈન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનતો હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારોમાં ભારતીય સાહિત્યની દૃષ્ટિએ કે લેખનકળાની દૃષ્ટિએ વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારેના જેવો ખાસ કશે કે પ્રાચીન વારસો નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નેધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશોમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયને જ્ઞાન ભંડાર ઉલ્લેખ કર્યો નથી.
પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કર કહેવા પ્રયત્ન સેવ્યું નથી, તેમ છતાં પ્રસંગોપાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારો મુખ્યયા મુંબાઈ, ઇડર, નાગોર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારોનો દૂર બેઠાં જે પરિચય મળે છે એ ઉપરથી તેમાંની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારોના સંગ્રહમાં શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોની જેમ સાંપ્રદાયિકતાને કિનારે ન મૂકતાં તેને આગળ જ ધરવામાં આવી છે. વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વગ સાહિત્યની સર્જનમાં તેમજ તેના સંગ્રહણમાં સાંપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે, જ્યારે દિગંબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગે સાંપ્રદાયિકતાને મોખરે રાખી છે. તાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રેને