________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૫૭ વિચાર કરવાનું કામ અમે તેના જાણકાર વિદ્વાન વાચકો ઉપર છેડીએ છીએ.
લેખકોની નિર્દોષતા જેમ ગ્રંથકાર પિતાના ગ્રંથને અંતે ગ્રંથમાં થએલાં અલન–ભૂલો માટે વિદ્વાન પ્રત્યે પ્રાર્થના કરી છૂટી જાય છે, ગ્રંથરચનાને લગતી પોતાની પરિસ્થિતિનું સૂચન કરે છે, તેના અચેતા અધ્યાપક વાચક વગેરેને આશીર્વાદ આપે છે, તેમ લેખકે પણ પુસ્તકોને અંતે એવા કેટલાક ઉલ્લેખ કરે છે જેમાં તેમની પરિસ્થિતિ નિર્દોષતા, આશીર્વાદ વગેરેનો સમાવેશ થઈ જાય.એ કલેકે નીચે પ્રમાણે છેઃ
'अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहीनं लिखितं मयाऽत्र । ___तत् सर्वमार्यैः परिशोधनीय, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥' 'यादृशं पुस्तके दृष्टं, तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ।।' 'भमपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्र, रत्नेन परिपालयेत् ।।' 'बदमुष्टिकटिग्रीवा, मंददृष्टिरधोमुखम् । कष्टेन लिख्यते शास्त्रं, यत्नेन परिपालयेत् ।।' 'लघु दीर्घ पदहीण वंजणहीण लखाणु हुइ, अजाणपणइ मूढपणइ, पंडत हुई ते सुधु करी भणज्यो ।'
લેખકની શબ્દશાસ્ત્ર ઉપર અસર લેખકોના ભ્રાન્તિસૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર-વ્યાકરણ ઉપર થયાનાં અનેક ઉદાહરણે આપણી સમક્ષ વિદ્યમાન છે. દા. ત. કેટલાયે લેખકે પ્રાચીન લિપિના ચ અને ચ્છને વાસ્તવિક ભેદ ન સમજી શકવાને કારણે અને બદલે છે અને રજીને બદલે આ લખવા લાગ્યા; જેનું પ્રમાણ વધી પડતાં તેને સુધારવું અશક્ય માની વૈયાકરણએ સૂત્રરચના દ્વારા બંને જાતના પ્રયોગોને અપનાવી લીધા. પરિણામે રા==૦ ર રર૬ઝા ઈત્યાદિ ૨ અને 8 વાળાં પો સ્વીકૃત થયાં. એ જ પ્રમાણે સિય ાિસ, વિશ્વ ઇત્યાદિ પ્રયોગોમાં લેખકની વિસ્મૃતિને લીધે ૨ પડી જતાં ઉપરની જેમ “રસથવર્જિાત-દં ચ:' લિ૦૦ ૮-૧-૨૬૬ ઇત્યાદિ સૂત્રો દ્વારા બંને પ્રકારના પ્રયોગોને સંગ્રહ વૈયાકરણએ કરી લીધે, એટલું જ નહિ પણ રાંસ્કૃત કેશકારોએ પણ એ શબ્દને પિતાને કોષમાં સંગ્રહી લીધા છે. હસ્વ-દીર્ધ સ્વરો અને સંયુક્ત-અસંયુક્ત વ્યંજનોના વિપર્યાસને અંગે પણ તેમને અનેક નિયમો યોજવા પડયા છે. આ સંબંધમાં વધારે ઊંડાણથી તપાસ કરવામાં આવે તે લેખકોના બ્રાતિમૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર ઉપર ઘણા મોટા પ્રમાણમાં થએલી જણાશે. અહીં અમે પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનાં જ ઉદાહરણો આપ્યાં છે એથી કોઈએ એમ માની લેવાનું નથી કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર ઉપર લેખકેના લેખનની કશી યે અસર થઈ નથી. એના ઉપર પણ એની અસર થયા સિવાય રહી શકી નથી.
લેખકોને ગ્રંથલેખનારંભ ભારતીય આર્ય સંસ્કૃતિના અનુયાયીઓ કોઈ પણ કાર્યની શરૂઆત કઈ ને કાંઇ નાનું કે મોટું