SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન ચિત્રકલ્પમ ભુંગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિકરીતે લાંબા તાકા હોય છે, એટલે તેને જેવડે લાંબો-પહોળા લીર જેએ તેવડે લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે બળ લગાડીને ભુંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણીઓનો ઉપયોગ શાસ્ત્રીય વિષયના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહા, બારવ્રતની ટીપ–વાદી, આચાર્યોને ચેમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટે તેમજ ચિત્રપટ આદિ લખવા માટે કરવામાં આવે છે. કાષ્ઠપદ્રિકા લેખનના સાધન તરીકે કાષ્ઠપદિકા–લાકડાની સાદી કે રંગીન પાટી–પણ વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકો તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંથકાર ગ્રંથરચના કરતી વખતે પિતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નકકી થયા પછી તે ઉપરથી પાકી નકલે ઉતારવામાં આવતી હતી. કાઈપદ્રિકાઓને સ્થાયી ચિત્રપદકો કે મંત્ર-યંત્રપટો ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કકકા (જુઓ ચિત્ર નં. ૯–૧૦) ચીતરેલી જૂની કાપદિકાઓ પણ જોવામાં આવે છે. (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય” એ જાતનાં સાધનોમાં સોઇયે, અરૂની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેનો સમાવેશ થાય છે. કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તકો લખવામાં આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદાર સોઇયાની જરૂરત હોય છે. પરંતુ મુખ્યતયા દેવનાગરી લિપિમાં લખાએલાં જન પુસ્તકો માટે, એ લિપિને મરોડ જુદા પ્રકારના હોઈ તેને સેઈયાથી કેતરીને લખવી શકય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરેત સેઇયાથી અતિરિક્ત બરૂની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ઓળિયું, કાંબી– આંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમો પણ કામમાં લેવામાં આવે છે. લેખ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મેગલ સાથેના સહવાસને કારણે પડે છે. આપણે ત્યાં એને કાંદું-કાઠા તરીકે ઓળખવામાં આવે છે. લેખણે માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં ४६ पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृति हेतवे ॥ १४ ।। उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરાઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાષ્ઠપદિકાઓ મળી આવી છે. ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કલ્પસૂત્રની પ્રતિના અંતમાં પુરતકને લગતા કેટલાંક ઉપકરણે–સાધના–નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છેઃ “બાજુટ ૧, પાટીઉં ૨, પાટલું ૩, કપડવું ૪, ચટલું પ, મુહપતી ૬, વણ ૭, ઝલમલ ૮, વીટાંગણું ૯, ક૫ ૧૦,પુંઠા ૧૧, કાંબી ૧૨, કુંપલું ૧૩, તુકારવાલી ૧૪, કાં ૧૫, દેર ૧૬, ઇતિ નંગસંખ્યા.'
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy