________________
જૈન ચિત્રકલ્પદ્રુમ જોવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશોમાં નાના મેટા, ઝીણું જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જૂના જમાનાથી માંડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અથત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણા શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુડા (મેવાડ). અમદાવાદ, ખંભાત, કાગજીપુરા (દોલતાબાદ પાસે) આદિ અનેક સ્થળામાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં ૪૨ કાશ્મીરી, ભુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણ, દોલતાબાદી આદિ જાતજાતના કાગળે બનતા હતા? અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે, તેમાંથી જેને જે સારા ટકાઉ અને માફક લાગે તેને તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તક લખવા માટે કાશ્મીરી, કાનપુરી, અમદાવાદી આદિ કાગળોને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે.
કાગળનાં પાનાં કાગળે આખા હોય તેમાંથી જેઈતા માપનાં પાનાં પાવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીનો-કાગળ કાપવાનાં યંત્ર—વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ યો ન હતાં, તેમજ આજકાલ જેમ જે સાઈઝ–માપના જેટલા કાગળ જોઈએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ પણ ન હતું; એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તયા ૨ કરેલા તે તે માપના પતરાને
૪૧ તા. ૨૪ માર્ચ ૧૯૩૫ના “હરિજનબંધુના પુ. ૩ એક ૨ માં “બિહારમાં કાગળને ઉદ્યોગ શીર્ષક લેખમાં બિહારના પટણા, શાહાબાદ, અરવાલ વગેરે જુદા જુદા પ્રદેશોમાં બનતા જથાબંધ કાગળોને અંગે જે ટૂંકી નધિ આપવામાં આવી છે એ ઉપરથી તેમજ બીજી નેને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદાજુદા વિભાગો અને નગરમાં કાગળને ઉદ્યોગ કેટલો ફૂલ્યોફાલ્યું હતું ! ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં કે પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીકવાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામે એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જયારે કેટલીકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૩ી કાગળ કેમ બનતા એની માં ને સરસ માહિતી મેળવવા ઇચ્છનારને તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ના ‘હરિજનબંધુ'ના પુ૨ એક ૩૭માં સ્વામી આનંદ લખેલો “ખાદી કાગળ’ શીર્ષક લેખ જેવા ભલામણ છે. ૪૪ કાશ્મીરી કાગળે રેશમના કૂચામાંથી બનતા હાઈ અત્યંત કમળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે બાજુથી પકડી જેથી આંચકા મારવામાં આવે તે પણ તે એકાએક ફાટતા નથી. આ કાગળમાં જે સૈથી સારા અને ટકાઉ હોય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણીને પોતાના દફતરી કામ માટે ખરીદી લે છે; એટલે ત્યાંની સરકાર સાથે લાગવગ પહોચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળો ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝણઝીણું સંખ્યાબંધ કાણાં દેખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળના માવાને સાબરમતી નદીના પાણીથી ધેવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રેતીનાં ઝીણાં રજકણે એ માવામાં ભળી જાય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને રવયે ટાં પડી જાય છે અને બદલામાં તેમાં ઝણઝીણાં કાણાં દેખાય છે. આ કાગળો ટકાઉ હોઈ તેને વ્યાપારી લેક પિડા માટે પાણુ વાપરતા-વાપરે છે.