SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૮ કેટલીક સૂચક અને મહત્ત્વની નોંધેા થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધના ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લિપિ મળવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યાં પછી તરત જનમો નમીત્ત રિવીર્ એ રીતે ‘બ્રાહ્મી’ લિપિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ નમસ્કાર જૈન શ્રમણુસંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ ઔદ્ધ સાહિત્ય બ્રાહ્મી, ખરાબી, અર્મીઝ, સિંહાલીઝ, ટિમ્બેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કોઇપણ લિપિમાં લખાએલું હેાવાના કે મળવાના સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિએ જન્મી છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને ભળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાના અમારા આશય છે. મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દર્શનક તેમજ સાંપ્રદાયિક સંધર્ષણ-અથડામણી અને કલહને પરિણામે ક્રમેક્રમે જૈન શ્રમણેએ પાતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઇક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રાપી અને પોતાના કેન્દ્ર તરીકે મનાવી, એ જ ભૂમિમાં પ્રસંગ પડતાં સ્થવર આર્ય દેવર્ષિંગણ ક્ષમાશ્રમણે પોતાના આધિપત્ય નીચે સંધસમવાય એકત્ર કરી નક્કો કર્યું કે જૈન આગમેને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુથ્વીનાં સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલ નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમાં જ થાય એ સ્વાભાવિક છે. એટલે ‘જૈન શ્રમણુસંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેના પ્રચાર પ્રાચીન કાળમાં અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હતા—છે' એમ માનવામાં અમને આધ જણાતા નથી. પુસ્તલેખન આદિનાં સાધન રાનીયોષાંસૂત્ર, જેને સમય બીજાં કોઈ ખાસ પ્રભાણા ન મળે ત્યાંસુધી વલ્લભીવાચનાને મળતા એટલે કે વીરાન્ લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીનો નિર્ણીત છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકાનું વર્ણન આવે છે, એ વર્ણન જમાનાને અનુકૂળ લેખને પયેગી સાધના દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનાને સુવર્ણ-રત્ન-વજીમય વર્ણવેલાં છે, પણ આપણે એને સાદી દૃષ્ટિએ વિચાર કરીએ તો એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તને બરાબર બંધ એસે તેવેા છે. રાજપ્રશ્નીયસૂત્રના એ ઉલ્લેખને અહીં નાંધી તેમાં દર્શાવેલાં સાધનેને આપણે જોઈએઃ तस्स णं पोत्थरयणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा - रयणामयाई पत्तगाई, रिट्ठामईयो कंबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमणिमए लिप्पासणे, रिट्ठामए छंदणे, तवणिज्जमई સા, રિટ્ટાદ્ મશી, વાર્ફ સ્ટેટી, રિટ્રામયાર્ં કલા, ધમ્મિદ્ સત્યે 1 (ઇ. ૧૬).
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy