________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળી સાથે સંબંધ ધરાવતાં સાધને કી પત્ર, કંબિકા-કાંબી,દોરે, ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસનખડીઓ, છંદણ-છાંદણ–ખડીઆનું ઢાંકણું, સાંકળ, મણીશાહી અને લેખણ એટલાં સાધનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનામાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે રૂપમાં ગ્રંશે લખાતા, ૨ જે સાધનોથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો–શાહીનો ઉપયોગ કરીને અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા.
( પત્ર જેના ઉપર પુસ્તક લખાતાં એ સાધનને “પત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ પત્ર’ શબદથી અને આગળ ઉપર પુસ્તકને બાંધવા માટેનાં જે સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોતાં સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં–પેજ લખાતાં હતાં.
કેખિકા તાડપત્રીય લિખિત પુસ્તકને રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ-પાટીએ રાખવામાં આવતી તેનું નામ “કેબિકા' છે. જોકે આજકાલ તે “કંબિકો' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એકસવા કુટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથનો પરસેવો ન લાગે તે માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૧) કરવામાં આવે છે, –ને ઓળખવામાં આવે છે, તેમ છતાં આચાર્ય મલયગિરિએ ટીકામાં “ખ્યિ પૃષ્ઠ તિ માવઃ અર્થાત્ બે કંબિકા એટલે બે પૂંઠાં અર્થત પુસ્તકની બે પંડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠ અથવા પંઠો” એમ દ્વિવચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા’ શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર નાં રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે.
તાડપત્રીય પુસ્તકો સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાંકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણમાં હઈ તેમજ તેનાં પાનાંમાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી પડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વયમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તક માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાનાં પહેલાં હાઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના ખસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે, તે પણ એ દેરો પરોવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલાં ઘણાંખરાં પુસ્તકમાં લહિયાઓ આજસુધી પાનાની વચમાં 0 ૦ આવા સાદા ચોરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની