SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ * ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૫ કે મજબૂત બંધાએલાં પુસ્તકોમાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઈએ અને બહાર રાખેલાં પાનને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઈએ. ચોમાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જૈન જ્ઞાન ભંડારે એકાએક ઉધાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે. ચેટી જતાં પુસ્તકે માટે કેટલાંક હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા બિનકાળજીને લીધે,—અંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના ચેટી જવાને ભય રહે છે. આ પ્રસંગે એવા પુરતકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવ-ભભરાવો, જેથી તે ચેટશે નહિ. ચાંટી ગએલાં પુસ્તક માટે કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચાટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવાં પુસ્તકોને ઉખેડવા માટે પાણી આરામાંની હવાવાળી સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી ચુંટી ગએલા પુસ્તકનાં પાનાંને ધીરેધીરે ઉખેડવાં, જે પુસ્તક વધારે પડતું ચોંટી ગયું હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, ૫ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે જ્યારે ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચૂંટી ગએલા પુરત ને ભેજ લાગે તેમ મકાનમાં ખુલ્લું મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું, ઉખેડવ્યા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દે. આ ઉપાય કાગળનાં પુસ્તકો માટે છે, તાડપત્રીય પુસ્તક એટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવામાં જાય તેમ તેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરે ભૂંસાઈ જવાને કે ખરાબ થવાનો ભય હોતા નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઈએ નહિ. આ પાનાં ઉખેડતાં તેની ક્ષણ ત્વચા એકબીજા પાના સાથે ચેટીને તૂટી ન જાય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્ત્વ ઉડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઈ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એ સંભવ નથી. પુસ્તકની રક્ષા અને લેખકે પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકેએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જાદજાદી જાતના સંસ્કૃત બ્રોકો લખેલા હોય છે, જે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે:
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy