________________
જૈન ચિત્રકલ્પદ્રુમ મેળવવા, તેમજ દેશવિદેશમાં પિતાની લાગવગ કેમ પહોંચાડવી ઇત્યાદિને લગતી દરેક જવાબદારી જૈન શ્રમણોના શિરે જ હતી. શાસ્ત્રનિર્માણથી લઈ શાસ્ત્રલેખન પર્વતની દરેક પસંદગી જૈન શ્રમણના હાથમાં જ હતી. આજની નષ્ટભ્રષ્ટ અને શીવિશીર્ણ દશાને અંતે પણ આટલા વિશાળ જ્ઞાનભંડારો એ જૈન શ્રમણના ઉપદેશ અને તેમના સર્વતોમુખી પાંડિત્યને જ આભારી છે. એ જ કારણને લીધે આજના જૈન જ્ઞાનભંડારોમાં પ્રત્યેક સંપ્રદાયના પ્રત્યેક વિષયના સેંકડો ગ્રંથ વિદ્યમાન છે, જે પૈકીના કેટલાક ગ્રંથોની બીજી નકલ આજે દુનિયાના પડમાં ધી જડતી નથી. જ્ઞાનભંડારેની વ્યવસ્થા
પુસ્તકોને વિભાગ અત્યારની જેમ જૂના સમયમાં આપણે ત્યાં કાગળની વિપુલતા ન હોવાને લીધે આપણા જ્ઞાનભંડારમાંનાં અનેકવિધ નાનામેટાં પુસ્તકો અને તેનાં પાનાં એકબીજા સાથે સેળભેળ ન થઈ જાય અને તેને બરાબર વિભાગ રહે, એ માટે કેટલીક વાર તે દરેક ઉપર કાચા સૂતરનો દોરો વીંટવામાં આવતો. આ આપણે સર્વસામાન્ય પ્રાચીન ક્રમ હતો એ આપણે, આપણે ત્યાંના પ્રાચીન ભંડાર જોતાં જાણી શકીએ છીએ. પરંતુ પુસ્તક વિભાગ માટે આ દોરો બાંધવાની પદ્ધતિનું પરિણામ એ આવતું કે તે દિવસે પુસ્તકો ઉપર દેરાના કાપા પડી પુસ્તકનાં પાનાં ખરાબ થઈ જતાં અને તે પુસ્તકનું નામ વગેરે વાંચવા માટે પુસ્તકો દવાની અગવડ ઊભી જ રહેતી. આથી ઉપરોક્ત દોરાને બદલે પુસ્તકો ઉપર ત્રણ-ચારેક આગળ પહોળી કાગળની ચીપને ગંદરથી કે ઘઉં-ચોખાની ખેળથી ચોડીને અથવા કપડાની લેવડી જ પહોળી પટ્ટીને સીવીને બયાની જેમ પરોવવામાં આવતી અને તેના ઉપર ગ્રંથનું નામ, પત્રસંખ્યા, દાબડાને કે પોથીને નંબર, પ્રતનો નંબર તેમજ કોઈકોઈ વાર ગ્રંથકારનું નામ વગેરે લખવામાં આવતાં. સામાન્ય નાનાંમોટાં પ્રકરણની પ્રતા હોય તેનાં નામની અનુક્રમણિકા અને જે જે પાનાથી તે તે પ્રકરણાદિની શરૂઆત થતી હોય તેની નોંધ કેટલીક વાર તે પ્રતના અંતિમ પાન ઉપર અથવા કોઈ વાર જુદા પાના ઉપર કરવામાં આવતી, અને ઉપરોક્ત ચીપ-પટ્ટી ઉપર પ્રારંભમાં જે પ્રકરણ હોય તેનું નામ લખી “આદિ પ્રકરણસંગ્રહે કે આદિ પ્રકરણો” એમ લખવામાં આવતું તો કેટલીક વાર “પ્રકરણસંગ્રહ' એટલું સામાન્ય નામ પણ લખવામાં આવતું. આ જાતની ચીપ-પટ્ટીઓ નાનામાં નાની પ્રતોથી લઈ સે બસે પાનાં સુધીની પ્રતોને અને કેટલીક વાર તેથી યે વધારે પાનાંની પ્રતોને પણ પહેરાવવામાં આવતી. આથી ગ્રંથનું નામ વગેરે જાણવાની સરળતા જરૂર રહેતી, પરંતુ પુસ્તક જેવા માટે એ ચીપ-પટ્ટીને કાઢતાં ઘાલતાં તે પ્રતાની આસપાસનાં ઉપરનાં પાનાં મોટે ભાગે વળીને ફાટી જતાં અને પુસ્તકોનો અકાળે નાશ થત.
ઉપર અમે જણાવ્યું તેમ પ્રતિની આસપાસ દોરો વરવો અથવા કાગળ-કપડાની ચીપપદીને બલૈયાની જેમ પહેરાવી તેના ઉપર ગ્રંથનું નામ વગેરે લખવું એ પ્રાચીન કાળની વિશિષ્ટ સુધરેલી પદ્ધતિ જ ગણાવી જોઈએ; નહિતર મોટે ભાગે જૂના જમાનાના જ્ઞાનભંડારાની પદ્ધતિ એ જ હતી કે એક પિથી કે દાબડામાં જેટલી પ્રતો સમાઈ શકે તેટલીને એકીસાથે મૂકી તેનાં નામની