________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
ગુજરાત–પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા, ખંભાત, છાણી, વડોદરા, પાદરા, દરાપર, ડભોઈ, સિનોર, ભરૂચ, સુરત, મુંબાઈ વગેરે.
કાઠિયાવાડ–ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, વઢવાણ કેમ્પ, જામનગર, માંગરોળ વગેરે કચ્છકડાય. મારવાડ-બીકાનેર, જેસલમેર, બાડમેર, નાગર, પાલી, જાલોર, મુંડારા, આહાર વગેરે. મેવાડ-ઉદેપુર.
માળવા–રતલામ. પંજાબ-ગુજરાનવાલા, હેશિયારપુર, ઝડિયાલા વગેરે. યુક્ત પ્રાન્ત–આગ્રા, શિવપુરી, કાશી વગેરે. બંગાળ–બાલુચર, કલકત્તા વગેરે.
અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનની જે યાદી આપવામાં આવી છે એ બધાં એ સ્થળોના ભંડાર અત્યંત મહત્ત્વના, આકર્વક તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને સ્વામિત્વ નીચે વર્તમાન છે, એટલું જ નહિ પણ આ યાદી પૈકીના કેટલાંક ગામ-શહેરોમાં બે, ચાર, પાંચ અને દસ કરતાં પણ વધારે અને વિશાળ જ્ઞાનસંગ્રહો છે.
વળી કાંતવાર જુદા જુદા જૈન જ્ઞાનભંડારની જે યાદી આપવામાં આવી છે એ પૈકી પાટણને સંધવીના પાડાને, ખંભાતનો શાંતિનાથને અને જેસલમેરના કિલ્લામાંને, એ ત્રણું જ્ઞાનભંડારત કેવળ તાડપત્રીય ગ્રંથેના તેમજ સૌ કરતાં પ્રાચીન છે. આ ત્રણે ભંડારોમાં અગિયારમી સદીથી લઈ પંદરમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકોને સંગ્રહ છે. આ સિવાયના બીજા બધા યે જ્ઞાનભંડારો અર્વાચીન છે. પણ અર્વાચીન એટલે ઓછામાં ઓછાં શુ ચારસો વર્ષ જેટલા જૂના સંગ્રહો તે ખરા જ, આ બધા જ્ઞાનભંડારોમાં, બે પાંચ દસ કે વીસ અને ક્યારેક કયારેક સો બસ તાડપત્રીય પુસ્તકો હોવા છતાં મુખ્યત્વે કરીને ચૌદમી-પંદરમી શતાબ્દીથી શરૂ કરી સોળમી-સત્તરમી શતાબ્દી સુધીમાં લખાએલાં કાગળનાં પુસ્તકોને સંગ્રહ હોય છે અને કયારેક એમાં એ કસ્તાં અર્વાચીન પુસ્તકે પણ હોય છે. આ પુસ્તકસંગ્રહ પ્રાચીન હોવા છતાં તેમાં અર્વાચીન પુસ્તકે અને અર્વાચીન હોવા છતાં તેમાં પ્રાચીન પુસ્તકો હોવાનું કારણ એ છે કે એ જ્ઞાનભંડારોમાં ઉત્તરોત્તર પુસ્તકોને ઉમેરો થતો જ રહ્યો છે. અર્થાત ઉપરનો દરેક ભંડાર જુદા જુદા જૈન શ્રમણ અને જુદી જુદી વ્યક્તિઓએ લખાવેલાં તેમજ સંગ્રહેલાં પુસ્તકોના સૈકાઓ સુધીના ઉમેરાને પરિણામે જન્મેલો છે. આ જ્ઞાનભંડાર ઉપર કોઈ એક વ્યક્તિની માલિકી ન હતાં તેના ઉપર સમુદાયની જ માલિકી
છે છે. પછી એ, તે તે ગામના સંધર પે હો, છપે હો યા ગમે તે પે હા. સામાન્ય રીતે જૈન પ્રજાની કઈ પણ ધાર્મિક વસ્તુ –પછી તે ચહાય જ્ઞાનભંડાર હે, તીર્ય હે, મંદિર છે, ઉપાશ્રય હે, ધર્મશાળા છે, પાંજરાપોળ છે અથવા ગમે તે હે–એ દરેક એક વ્યક્તિએ તૈયાર કરાવેલી હોવા છતાં એને વ્યક્તિગત સત્તા તળે ન રાખતાં સામુદાયિક સત્તા નીચે જ સોંપવામાં આવે છે. કેટલીક વાર કેટલાક શેઠિયાઓના ઘરમાંના જ્ઞાનભંડાર વગેરે તેમની સત્તા નીચે હોય છે, તેમ છતાં એ કદાચિક તેમજ આપવાદિક વસ્તુ છે. ઉપરોક્ત જ્ઞાનભંડારો લખાવવા માટેની આર્થિક વ્યવસ્થા જૈન ઉપાસક સંવ તરફથી થવા છતાં એમાં કેવાં પુસ્તકો લખાવવાં, એ પુસ્તકો ક્યાંથી અને કેમ