SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ સાદી ] દશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર, ૫૩૩ જમણી બાજુમાં તત્પરૂષ અને અઘેર દેવતાને ઈશ ભૈરવ દેવતા સ્થાપી. આ પ્રમાણે કર્ણથી ગર્ભ સુધી પ્રાસાદનાં પાંચે અંગે માં દેવતાઓની સ્થાપના અને પૂજન કરવું. ૭૨, ૭૩. પ્રાસાદના દેવતાનું પૂર્ણ રીતે પૂજન ન કરવાથી પ્રાસાદ કરાવ્યાનું ફળ મળતું નથી. अर्चायुक्तिथरस्तंभपीठमंडोवरेषु च ॥ पूजनं लोपयेद्यत्र निष्फलं तत्प्रजायते ॥७४॥ દેવતાની પૂજા, પ્રાસાદના થરે, ખંભ, પીઠ અને મડેવર આદિની પૂજામાં જે દેવતાઓના પૂજનને લેપ કરવામાં આવે તે પૂજાફળ નિષ્ફળ જાય છે અને પ્રાસાદ કરાવ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. ૭૪. દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી પ્રથમ દર્શન. प्रथमं देवतादृष्टेर्दर्शयेदन्तर्धाहितम् ॥ विप्रकुमारिकां वास्तुं ततो लोकान्प्रदर्शयेत् ॥७॥ પ્રતિષ્ઠા કર્યા પછી દેવાલય બંધ કરી પ્રથમ બ્રાહ્મણની કુમારિકાને દેવાલય ઉઘાડી દર્શન કરાવવું અને ત્યાર પછી સર્વ લોકેને દર્શન કરાવવાં. ૭૫. ગૃહસ્થ પ્રાસાદથી થતા પુણયની માંગણી કરવી અને શિપીએ આશીર્વાદ આપવા વિષે. पुण्यं प्रासादजं खामी प्रार्थयेत्सूत्रधारतः ॥ सूत्रधारो वदेत्स्वामिन्नक्षयं भवतात्तव ॥७॥ પ્રાસાદ કરાવનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા કરાવી સૂત્રધાર પાસે પ્રાસાદથી ઉત્પન્ન થનારા પુણ્યની પ્રાર્થના કરવી અને જ્યારે સ્વામી પ્રાસાદના પુરયની પ્રાર્થના કરે ત્યારે સૂત્રધારે “દે સ્વામિન, તવ અક્ષ પુષ્ય માતાજુમૂત”હે સ્વામી ! પ્રાસાદ કરાવ્યાનું અક્ષય પુણ્ય તમને પ્રાપ્ત થાઓ” આ પ્રમાણે આશીર્વાદ આપ. ૭૬. સૂત્રધાર પૂજન. अनन्तरश्च कर्तव्यं सूत्रधारस्य पूजनम् ॥ वस्त्रालङ्कारभोज्येन गोमहिष्याश्ववाहनः ॥७॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy