SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ શિપ રત્નાકર [ દ્વાદશ રન સિવાય બીજે ઠેકાણે હોય તે તે પ્રતિમા મધ્યમ જાણવી, પરંતુ ખરાબ તીરડે કે ચીર આદિ દૂષણથી રહિત, સ્વચ્છ, ચિકણું, ઠંડી અને પિતાના વર્ણના રંગની રેખાઓવાળી હોય તે દોષકત જાણવી નહિ. ૧૫૩, ૧૫૪, ૧૫૫. હીનાંગે દેય વર્ણન. एतत्प्रामाणकं प्रोक्तमूर्ध्वं प्रासादपूजिता ॥ ऊर्ध्वदृष्टिव्यनाशा दुर्भिक्षाय कृशोदरी ॥१५६॥ આ પ્રમાણે પ્રતિમાની ઉચાઈનું પ્રમાણ કહ્યું. તેમાં એકી સંખ્યાએ પ્રતિમા ઉચી કરવી શુભ છે અને આથી ઉંચી પ્રતિમા પ્રાસાદમાં પૂજવી. પ્રતિમાની દૃષ્ટિ ઉચી રાખે તે દ્રવ્યને નાશ કરનારી અને પિટને ભાગ પાતળું કરી નાખે તે દુકાળ પાડનારી થાય છે. ૧૫૬. ' जंघाहीना भवेद् भक्षा कटिहीना च घातिनी ॥ अधोहीनातिदुःखाय शिल्पिनो भोगवर्जिताः ॥१५७॥ જંઘાહીન ( પ્રમાણથી પાતળી) પ્રતિમા કરે તે ભક્ષણ કરનારી, કટિ (કેડ) હીના થાય તે કર્તા કારયિતાનો ઘાત કરનારી અને નીચેના ભાગે હીના થાય તે અત્યંત દુઃખકર્તા તથા શિલપીએના સુખને હાનિકર્તા થાય છે. ૧૫૭. वक्रनासादिकञ्चैव करक्षीणे न लोपना ॥ । भाले नखे मुखे चैव क्षीणेऽधिके कुलक्षयः ॥१५८॥ નાસિકા, મુખ અને પગાદિ વાંકા હેય તેમજ હાથ પાતળા થાય તે કુલને નાશકર્તા તથા કપાળ, નખે અને મુખાદિ પાતળાં અથવા પ્રમાણથી અધિક થાય તે કુલને ક્ષય કરનારી જાણવી. ૧૫૮. વિશાજા જયંત્તિનમિત્તે સુરક્ષાઃ | कक्षालम्बे वियोगश्च सौम्या सर्वार्थसिद्विदा ॥१५९॥ પ્રમાણથી પ્રતિમા વિશાળ (મેટી લખી) કરે તે સંપત્તિનો ક્ષય કરે, નાભિને ભાગ લાંબો થાય તે કુલને ક્ષય કરે, કાખને ભાગ લાંબે કરે તે ઈષ્ટને વિયોગ થાય અને સભ્ય (બરાબર) સ્વરૂપની કરે તે સર્વ પ્રકારના અર્થોની સિદ્ધિ આપનારી જાણવી. ૧૫૯.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy